આ કારણે સામાન્ય કેસ હોવા છતાં હાર્દિકે જેલમાં જવું પડશે. અલબત રાજદ્રોહના કેસમાં જામીન મળતાં બીજા સામાન્ય કેસોમાં જામીન મળવાની શક્યતા વધી ગઇ છે. તેમ છતાં આ કેસોમાં જામીન મેળવવાની કાનૂની પ્રક્રિયા પુરી કરતાં હજુ એકાદ મહિના જેટલો સમય નીકળી શકે છે.
2/12
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશન: ગુના રજિસ્ટ્રેશન નંબર 90/2015. કલમ- 121 ભારત સરકાર સામે યુદ્ધ છેડવું. કલમ- 121 (એ) ગુનાઓને અંજામ આપવાનું કાવતરું. કલમ- 124 રાજદ્રોહ. કલમ- 153 વર્ગ વિગ્રહ ફેલાવવું. 120 (બી) ષડયંત્ર આ કેસમાં જામીન મળી ગયા છે.
આ સંજોગોમાં હાર્દિક હજુ એક મહિના સુધી જેલની બહાર આવે તેવી શક્યતા નથી. હાર્દિક સામે ક્યા કેસ નોંધાયેલા છે અને તેમાં શું સ્થિતિ છે તે અંગેની વિગતો આ પ્રમાણે છે.
ગુજરાત હાઇકોર્ટે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન આપી દીધા છે. પણ તેમ છતાં હાર્દિક હમણા જેલમાંથી બહાર નહીં આવી શકે, હાર્દિક આઠ પોલીસ સ્ટેશનમાં કુલ 9 ગુના નોંધાયેલા છે. આ પૈકી ત્રણ કેસમાં તેને જામીન મળ્યા છે જ્યારે બાકીના છ કેસમાં તેને જામીન મળ્યા નથી. આ તમામ ગુના જામીનપાત્ર છે પણ કોઇ ને કોઇ કારણસર આ કેસોમાં સુનાવણી આગળ વધતી નથી.