આ પહેલાં પણ રાજપૂત સમાજ દ્વારા આ રીતે 100 કાર તથા પીક-અપ વાનનું વિતરણ કરાયું હતું. તેના કારણે 500 કરતાં વધારે લોકોને રોજગારી મળી રહી છે તેવો દાવો સમાજના અગ્રણીઓ દ્વારા કરાયો છે. ભવિષ્યમાં આ રીતે વધારે યુવકોને કાર આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કરાયો છે.
2/4
અમદાવાદ: રાજ્યમાં વધી રહેલી બેરોજગારી વચ્ચે રોજગારીના પ્રશ્નને હલ કરવા માટે હવે જુદાજુદા સમાજનાં સંગઠનો દ્વારા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ પ્રયાસો અંતર્ગત રાજપૂત સમાજ દ્વારા યુવકોને 51 બોલેરો પીક-અપ વાનનું વિતરણ કરાશે.
3/4
રાજપૂત સમાજ દ્વારા જે યુવકોને 50 બોલેરો કાર આપવામાં આવશે તેના કારણે 400 લોકોને રોજગારી મળશે. રાજપૂત સમાજના યુકોએ કોઈ ડાઉન પેમેન્ટ ભરવાનું નથી. બાકીના હપ્તા આપવાના રહેશે. આ હપ્તા ભર્યા પછી કાર તેમની થઈ જશે.
4/4
આ અંગે રાજપૂત સમાજના અગ્રણી વિજયભાઈ ચાવડાએ જણાવ્યું કે, સમાજના યુવાનોને રોજગારી મળે તે માટે કાર વિતરણનું આયોજન કરાયું છે. રાજપૂત સમાજ દ્વારા શુક્રવારે આ અંગેનો યોજવામાં આવી રહ્યો છે. જેમાં રાજપૂત સમાજના યુવકોને 51 કારનું વિતરણ કરાશે.