શોધખોળ કરો
ઉમરેઠમાં નારાયણ જ્વેલર્સનું 150 કરોડનું ઉઠમણું, જાણો કઈ મોટી બેંકના નાણાં ફસાયા
1/6

ઉમરેઠની નારાયણ જ્વેલર્સ નામની પેઢી છેલ્લા 6 માસથી તુટી જવાની છે. તેવી બજારમાં વાતો વહેતી થઈ હતી. છતાં ઉમરેઠની બે બેંકોએ આ પેઢીને કરોડો રૂપિયાનું ધીરાણ છેલ્લા બે માસમાં કરવામાં આવતા બેંકોના નાણાં પણ સલવાઈ ગયા હતા અને બેંકોના અધીકારીઓ આ સમગ્ર પરિસ્થિતી જાણ હોવા છતાં કરેલ ધીરાણ કરી બેંકોના રોકાણકારોના નાણાં જાણી જોઈને સલવાવા બદલ આ ધીરાણ શંકાના દાયરામાં આવી ગયું હતું.
2/6

સરકાર દ્વારા ખેડુતોને ચાર ટકાના વાર્ષિક વ્યાજના દરે ક્રોપ લોન ખેતી માટે આપવામાં આવે છે. ઉમરેઠના કેટલાંક ખેડુતોએ ક્રોપ લોન લઈ નારાયણ જ્વેલર્સમાં બાર ટકાના વાર્ષિક વ્યાજથી ફીક્સ મુકી હતી. આઠ ટકા વ્યાજ વધારે મળે તે હેતુથી ફીક્સ કરનાર ખેડુતો માટે ઘેટું અને ઉન બન્ને ગયા હોવાનો ઘાટ સર્જાયો હતો.
Published at : 14 May 2018 10:51 AM (IST)
View More





















