Chaitra Purnima 2025: હનુમાન જયંતી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ સમયે કરેલું પૂજન બનશે ફળદાયી
Chaitra Purnima 2025: પૂર્ણિમા એ હિંદુ ધર્મમાં એક તહેવાર છે, ખાસ કરીને ચૈત્ર પૂર્ણિમા હનુમાનજીના ભક્તો માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ દિવસે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે હનુમાન જયંતિ પર દુર્લભ સંયોગ સર્જાયો છે.

Chaitra Purnima 2025: એક વર્ષમાં 12 પૂર્ણિમા હોય છે પરંતુ ચૈત્ર મહિનામાં આવતી પૂર્ણિમા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે ઉત્સાહનો તહેવાર છે કારણ કે આ દિવસે કેસરીનંદન અને માતા અંજનીના પુત્ર સંકટમોચન હનુમાનનો જન્મ થયો હતો. ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 2025માં ક્યારે ઉજવાશે ચૈત્ર પૂર્ણિમા, જાણો અહીં પૂજા મુહૂર્ત.
ચૈત્ર પૂર્ણિમા 2025 ક્યારે ?
ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ 2025 ને શનિવારે ઉજવવામાં આવશે. આ વખતે શનિવારનો સંયોગ હનુમાન જયંતિ પર બની રહ્યો છે જે ખૂબ જ દુર્લભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે લોકો ચૈત્ર પૂર્ણિમાના દિવસે રામચરિતમાનસ અને સુંદરકાંડનો પાઠ કરે છે તેમના ઘરમાં હનુમાનજીનો વાસ હોય છે. બધી તકલીફો દૂર થાય
ચૈત્ર પૂર્ણિમા 2025 મુહૂર્ત
ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલ, 2025 ના રોજ સવારે 3:21 વાગ્યે શરૂ થશે અને 13 એપ્રિલ, 2025 ના રોજ સવારે 5:51 વાગ્યે સમાપ્ત થશે. આ દિવસે સ્નાન અને દાન ઉપરાંત સત્યનારાયણ પૂજા, હનુમાનજીની પૂજા, ચંદ્રને જળ અર્પણ અને લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ છે.
- પૂર્ણિમા નાહવાનો સમય - સવારે 4.29 થી 5.14
- સત્યનારાયણ પૂજા- સવારે 7.35 થી 9.10
- ચંદ્રોદયનો સમય - સાંજે 6:18
આ આખો દિવસ હનુમાનજીની પૂજા માટે શુભ છે. જો કે બજરંગબલીની પૂજા સવારે કે સાંજે કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજીનો જન્મ સૂર્યોદયના સમયે થયો હતો. હનુમાન જયંતિના દિવસે સવારે મંદિરોમાં બ્રહ્મમુહૂર્ત દરમિયાન આધ્યાત્મિક પ્રવચનનું આયોજન કરવામાં આવે છે અને આ કાર્યક્રમો સૂર્યોદય સાથે સમાપ્ત થાય છે.
આ કામ હનુમાન જયંતિના દિવસે કરો
હનુમાનજીના ભક્તોએ હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ પછી વિધિ-વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલ, ફળ, મીઠાઈ વગેરે પણ ચઢાવો.
હનુમાનજીના મંત્રોનો જાપ કરવો
હનુમાન જયંતિના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
- ॐ हं हनुमते नमः:।
- ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा:।
- ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय:।
આ સાથે તમે રામ નામનો જાપ પણ કરી શકો છો. રામજીનું નામ લેવાથી તમને હનુમાનજીની કૃપા મળે છે.

