આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં વર્ષ 2024માં થયેલા આરજી કર રેપ-મર્ડર કેસમાં પોલીસે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ કરી છે.

RG Kar Case: પશ્ચિમ બંગાળના કોલકાતામાં વર્ષ 2024માં થયેલા આરજી કર રેપ-મર્ડર કેસમાં મોટી કાર્યવાહી જોવા મળી છે. પોલીસે આ મામલે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરજી કર રેપ-મર્ડર કેસમાં પુરાવા નાશ કરવાના કથિત કેસમાં ઓડિશાથી પૂર્વ TMC ધારાસભ્ય નિર્મલ ઘોષની ધરપકડ કરવામાં આવી છે.
આરજી કર કેસની બીજી વર્ષગાંઠ પર 9 ઓગસ્ટે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે તેઓ પીડિતાના શવના અંતિમ સંસ્કારના કેસમાં નવો કેસ નોંધે અને ફરીથી તપાસ કરે. તમને જણાવી દઈએ કે પીડિતાના અંતિમ સંસ્કાર નિર્મલ ઘોષની હાજરીમાં પાનીહાટીમાં ઉતાવળમાં કરવામાં આવ્યા હતા.
9 ઓગસ્ટ 2024ની રાત્રે આરજી કર હોસ્પિટલમાં તાલીમાર્થી તબીબ પર બળાત્કાર ગુજારી હત્યા કરી દેવામાં આવી હતી. જેને લઈને બંગાળ ઉપરાંત સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. એવા આક્ષેપો છે કે પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો અને ઘટના બન્યા બાદ તરત જ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે અગ્નિસંસ્કાર ફી માફ કરવા અને દસ્તાવેજો પર પરિવારના સભ્યોની સહીઓની ગેરહાજરીથી અનેક પ્રશ્નો ઉભા થયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નિર્મલ ઘોષ, કાઉન્સિલર સોમનાથ ડે અને પરિવારના પાડોશી સંજીવ મુખર્જીની ભૂમિકાઓની તપાસ કરવાની જરૂર છે. મુખ્યમંત્રીએ બેરકપોર પોલીસ કમિશનરને આ મામલે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સીબીઆઈ તપાસથી અલગ કેસ
નિર્મલ ઘોષ ઉપરાંત, પાનિહાટી મ્યુનિસિપાલિટી કાઉન્સિલર સોમનાથ ડે અને પીડિતાના પરિવારના પાડોશી સંજીવ મુખર્જીનું પણ આ કેસમાં નામ લેવામાં આવ્યું છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ નવો કેસ મૂળ બળાત્કાર અને હત્યા કેસ અંગે હાલમાં ચાલી રહેલી સીબીઆઈ તપાસથી અલગ છે. નોંધનીય છે કે સીબીઆઈએ કોલકાતા પોલીસ પાસેથી મુખ્ય તપાસ સંભાળી લીધી છે, પરંતુ અગ્નિસંસ્કાર સંબંધિત આ નવો મામલો સીધો પોલીસ તપાસના કાર્યક્ષેત્રમાં આવે છે.
સુવેન્દુ અધિકારીએ અગ્નિસંસ્કાર ફી માફ કરવા અને દસ્તાવેજો પર પરિવારના સભ્યોની સહીઓ ન હોવા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે નિર્મલ ઘોષ, કાઉન્સિલર સોમનાથ ડે અને પાડોશી સંજીવ મુખર્જીની ભૂમિકાઓની તપાસ જરૂરી છે. મુખ્યમંત્રીએ બેરકપોર પોલીસ કમિશનરને આ મામલે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો.





















