શોધખોળ કરો

Garud Puran: વ્યક્તિના મોત બાદ તેનો પુન:જન્મ આખરે કેટલા સમય બાદ થાય છે? જાણો શું છે Rebirthનું રહસ્ય

સવાલ એ પણ થાય છે કે, શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.

Garud Puran:મૃત્યુ બાદ જીવનું શું થાય છે, ફરી જીવન ક્યારે મળે છે આવા અનેક સવાલો છે. જે કુતુહલ જગાડે છે. ગુરૂડ પુરાણમાં આ દરેક સવાલના જવાબ છે. રાજકોટના જાણીતા જ્યોતિષાચાર્યે તેને સરળ સમજાવાની કોશિષ કરી છે. જો જાણીએ આખરે પુન:જન્મની થિયોરી શું છે અને તે કેવી રીતે નકકી થાય છે.

મૃત્યુ બાદ પુન:જન્મ ક્યારે થાય છે?

દરેક જીવ પોતે નક્કી કરેલા કરાર પ્રમાણે,પોતે નક્કી કરેલ સમય બાદ પુનઃજન્મ લઇ શકે છે. આ પ્રકારનું વિધાન ગુરૂડ પુરાણમાં છે.દરેક જીવને પોતાના માતા પિતાને પસંદ કરવાનો અધિકાર પ્રાપ્ત છે. તે ઉપરાંત જીવને માતાના ગર્ભમાં ક્યા સમયે દાખલ થવું એનો અધિકાર પણ છે. જીવ અંડકોષના મિલન દરમ્યાન 4-5માંમહીને અથવા, પ્રસૂતિના અંતિમ સમયે પણ ગર્ભમાં પ્રવેશ કરી શકે છે.

આ બ્રહ્માંડ પણ એટલું જ વિકસિત અને સંપૂર્ણ છે કે, જો જીવની જન્મકુંડળીનું વિધાન કાઢવામાં આવે તો એ જીવાત્માએ જે પ્રમાણે જીવનનો કરાર કરીને જન્મ લીધો હોય.તેની જ બ્લુ-પ્રીન્ટ નીકળશે. દરેક જીવાત્માને જન્મના ૪૦ દિવસ સુધી પોતાનો પાછલો જન્મ યાદ રહે છે. ત્યારબાદ પાછલા જન્મની બધી સ્મૃતિ વિસરાઈ જાય છે.અને, જીવ એ રીતે વર્તન કરે છે કે,જાણે તે અગાઉ અસ્તિત્વ માં જ ન હતો. દરેક જીવ દેવલોકમાં જે કરારબધ્ધ થઈ ને અહીં મૃત્યુલોકમાં જન્મે છે..તે કરાર જ ભૂલી જાય છે અને પોતાની વિષમ પરિસ્થિતિનો દોષ

ગ્રહો તથા ભગવાન ને આપે છે.  આપણે સહુએ એક વાત સમજવા જેવી છે કે,આપણે ભોગવી રહેલ દરેક પરિસ્થિતિ સારી અથવા વિષમ તેનું ચયન આપણે ખૂદ જન્મ લીધા પહેલાં જ કરેલું હોય છે. આ જીવનમાં રહેલી દરેક વ્યક્તિ, માતા, પિતા, મિત્રો, સંબંધીઓ, જીવનસાથી, શત્રુઓ વિગેરેની પસંદગી પણ આપણે જ કરેલ છે.

આપણા જીવન રૂપી ફિલ્મની વાર્તા લખનારા તથા પ્રોડ્યુસર અને ડાયરેક્ટર પણ આપણે સ્વયં છીએ. એક વાત ધ્યાનમાં રાખો કે, આપણા જીવનમાં આવનારી દરેક વ્યક્તિ એજ રોલ નીભાવે છે, જે રોલ આપણે લખ્યો છે તો પછી આપણે શું કામ કોઇ પણ વ્યક્તિ સામે ફરિયાદ કરવી જોઈએ ?

મોત બાદનું કર્મકાંડ ક્રિયાકર્મ કેમ જરૂરી?

સવાલ એ પણ થાય છે કે, શું મૃત્યુ બાદ સ્વજનો પાછળ પ્રાર્થના તથા ક્રિયા કરવાની જરૂર છે? મૃત્યુ બાદ આપણાં સ્વજનોને ગતિ પ્રાપ્ત થાય તે અત્યંત જરૂરી છે.ગતિ એટલે આત્મા એ મૃત્યુલોક થી પરલોકમાં પ્રયાણ કરવું.જો ગતિ ન થાય તો જીવ પૃથ્વીલોકમાં જ અટકી જાય છે.  ઘણી વાર એવું પણ બને છે કે,જીવની કોઈ ઈચ્છા બાકી રહી ગઈ હોય તો જીવ અત્યંત દુ:ખી થઇ ને નીકળ્યો હોય,અકસ્માત માં કે ઈજાગ્રસ્ત અવસ્થામાં મોત થયું હોય અથવો તો આપઘાત કર્યો હોય, ઉપરાંત કોઈ નજીકની વ્યક્તિમાં જીવ રહી ગયો હોય અથવા જીવાત્માની પાછળ અધકચરી અપૂર્ણ અંતિમ ક્રિયા થઈ હોય અથવા આત્માને લાગે કે તેને હજુ થોડો સમય પૃથ્વીલોકમાં રહેવું છે.આવી પરિસ્થિતિ માં જીવ અહીં જ રહી જાય છે.

પરંતુ મૃત્યુ બાદ દરેક જીવાત્માએ 12  દિવસમાં દેવલોક તરફ પ્રયાણ કરવાનું હોય છે. ત્યારબાદ તે પ્રવેશદ્વાર બંધ થઈ જાય છે અને તે આત્મા દેવલોકમાં પ્રવેશી શકતો નથી.પૃથ્વી ઉપર 'પ્રેત-યોની' માં અધવચ્ચે રહી જાય છે. આમ તે આત્માને નથી દેવલોકમાં પ્રવેશ મળતો કે નથી ભોગવવા માટે શરીર મળી શકતું.  આજ કારણસર જનાર વ્યક્તિ પાછળ ક્રિયા-વિધિ, ક્ષમા-પ્રાર્થના અત્યંત જરૂરી છે કે,જેથી  સદ્ગગત્ આત્માની 'ગતિ' થાય.અત્યારના સમયમાં નવી પેઢીને આ બધા રીતીરિવાજો, માન્યતાઓ જૂનવાણી લાગે છે, અને પોતાના સ્વજનો પાછળ ક્રિયા વિધિ કરતાં નથી. આને લીધે ઘણાં જીવાત્માઓ અહીં પૃથ્વીલોકમાં અટકી ગયા છે.

અને  તેઓની ગતિ થતી નથી. દરેક પરિવારે તેમના સ્વજનો ના સદ્ગગત આત્માની ગતિ માટે કરવામાં આવતી ક્રિયા વિધિની કદી ઉપેક્ષા કરવી નહીં.  જે પરિવારે તેમના સ્વજનો ગુમાવ્યા છે, તેમણે કદી દુઃખી થવું નહીં. કેમ કે,આત્માનુ કદી મૃત્યુ નથી થતું,સમય આવતાં આપણે સ્વજનોને મળવાનાં જ છીએ.

-જ્યોતિષાચાર્ય તુષાર જોશી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shri Ram Yantra Sthapana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું, જુઓ VIDEO
Shri Ram Yantra Sthapana: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અયોધ્યામાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું, જુઓ VIDEO
Chaitra Navratri: આજથી નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજા વિધિ અને મંત્ર વિશે જાણો
Chaitra Navratri: આજથી નવરાત્રિનો પ્રારંભ, પ્રથમ નોરતે શૈલપુત્રીની પૂજા વિધિ અને મંત્ર વિશે જાણો
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું આ રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો રાશિફળ
Today's Horoscope: ચૈત્ર નવરાત્રિનું પ્રથમ નોરતું આ રાશિ માટે નિવડશે લાભદાયી, જાણો રાશિફળ
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય
તમારી કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને મજબૂત કરવા માટે કરો આ ઉપાય

વિડિઓઝ

Morbi Marriage Mandap Collapse : મોરબીમાં મીની વાવાઝોડું ત્રાટકતા લગ્નનો મંડપ ધરાશાયી
Rajkot Water Logging : રાજકોટમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, ઠેર ઠેર ભરાયા પાણી
Hun To Bolish : હું તો બોલીશ : નકલી ગુરૂનું નકલી સામ્રાજ્ય
Hun To Bolish : હું તો બોલીશ : ભર ઉનાળે તોફાની વરસાદ
Stock Market: ભારતીય શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 2500 પોઈન્ટનો કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે કરા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં કાલે કરા સાથે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
કૉંગ્રેસે આસામ વિધાનસભા ચૂંટણીને લઈ 22 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ  
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, રુપા ગાંગુલીને મળી ટિકિટ  
West Bengal Assembly Election: પશ્ચિમ બંગાળમાં BJP એ જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, રુપા ગાંગુલીને મળી ટિકિટ  
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
બુક નથી થઈ રહ્યો LPG Cylinder? આ નંબર પર કરો ફરિયાદ, સરળતાથી મળી જશે ડિલીવરી 
1 એપ્રિલથી વાર્ષિક ફાસ્ટેગ થઈ જશે મોંઘો, જાણો સુવિધાઓમાં કેટલો થશે બદલાવ?
1 એપ્રિલથી વાર્ષિક ફાસ્ટેગ થઈ જશે મોંઘો, જાણો સુવિધાઓમાં કેટલો થશે બદલાવ?
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
Botad Rain: બોટાદ જિલ્લામાં વાવાઝોડા જેવી સ્થિતિ, ભારે પવન સાથે ખાબક્યો વરસાદ 
15 એપ્રિલ બાદ બંધ થઈ જશે PNB નું એકાઉન્ટ, શું છે બેંકના મેસેજનો મતલબ?
15 એપ્રિલ બાદ બંધ થઈ જશે PNB નું એકાઉન્ટ, શું છે બેંકના મેસેજનો મતલબ?
Embed widget