શોધખોળ કરો

Dhanteras 2024: 100 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ધનતેરસની ઉજવણી થશે

Dhanteras 2024: દિવાળી પહેલાં ખરીદીનો બીજો મહામુહૂર્ત ધનતેરસ 29 ઓક્ટોબરે રહેશે. આ દિવસે ખરીદીનો ત્રણ ગણો લાભ આપનાર ત્રિપુષ્કર સાથે લક્ષ્મીનારાયણ યોગ પણ બનશે.

Dhanteras 2024: દિવાળી પહેલાં ખરીદીનો બીજો મહામુહૂર્ત ધનતેરસ 29 ઓક્ટોબરે રહેશે. આ દિવસે ખરીદીનો ત્રણ ગણો લાભ આપનાર ત્રિપુષ્કર સાથે લક્ષ્મીનારાયણ યોગ પણ બનશે. આ દિવસે સોનું-ચાંદી, વાસણો સાથે જમીન-મકાન, ઈલેક્ટ્રોનિક સામગ્રી સાથે જ તમામ પ્રકારની ચલ-અચલ સંપત્તિની ખરીદીમાં રોકાણ લાભદાયી રહેશે.

પાલ બાલાજી જ્યોતિષ સંસ્થાન જયપુર-જોધપુરના નિર્દેશક જ્યોતિષાચાર્ય ડૉ. અનીષ વ્યાસે જણાવ્યું કે ધનતેરસ 29 ઓક્ટોબર 2024ના રોજ થશે. ધનતેરસ નામ "ધન" અને "તેરસ" શબ્દોથી આવ્યું છે જ્યાં ધનનો અર્થ ધન અને સમૃદ્ધિ છે અને તેરસનો અર્થ હિન્દુ કેલેન્ડરનો 13મો દિવસ છે. આ દિવસે ભગવાન ધન્વંતરિ જે આરોગ્યના દેવતા છે તેમની પૂજા કરવામાં આવે છે. તેમની આરાધનાથી રોગમાંથી મુક્તિ મળે છે. જોકે, ધનતેરસના દિવસે કુબેર દેવ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાની પણ પરંપરા છે. આ વર્ષે ધનતેરસ પર 100 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ એટલે કે ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ બની રહ્યો છે.

કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિની શરૂઆત મંગળવાર 29 ઓક્ટોબરે સવારે 10.32થી 30 ઓક્ટોબરે બપોરે 1.16 વાગ્યા સુધી રહેશે. આ દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. આમાં કરેલા કાર્યના પ્રભાવને ત્રણ ગણો વધારી દે છે. આ યોગમાં શુભ કાર્યો કરવા ઉત્તમ માનવામાં આવે છે. સાથે જ એવા કાર્યો, જેમાં નુકસાન સંભવિત હોય તેને કરવાથી બચવું જોઈએ. આ ઉપરાંત શુક્ર પહેલેથી વૃશ્ચિક રાશિમાં છે, જ્યારે ધનતેરસ પર વૃશ્ચિક રાશિમાં બુધના આવવાથી લક્ષ્મીનારાયણ યોગ પણ બનશે.

ધનતેરસ પર ત્રણ ગણો ફાયદો આપનાર યોગ

અનીષ વ્યાસે જણાવ્યું કે 29 ઓક્ટોબરે ધનતેરસ પર તિથિવાર અને નક્ષત્રથી મળીને ત્રિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરેલા રોકાણથી ત્રણ ગણો ફાયદો મળી શકે છે. ત્રિપુષ્કર યોગમાં ખરીદી પણ ત્રણ ગણી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે બિઝનેસ અને શુભ કામોની શરૂઆત કરવી જોઈએ. જે લોકો 30 તારીખે ખરીદી કરવા માંગે છે, તેમના માટે બીજા દિવસે સર્વાર્થસિદ્ધિ યોગમાં ખરીદી કરવી પણ શુભ ફળદાયી રહેશે.

ધનતેરસ તિથિ (29 ઓક્ટોબર 2024):

પંચાંગ અનુસાર કારતક કૃષ્ણ ત્રયોદશી તિથિનો પ્રારંભ 29 ઓક્ટોબર સવારે 10:32 વાગ્યેથી થશે. આ તિથિ બીજા દિવસે 30 ઓક્ટોબર બપોરે 01:16 વાગ્યા સુધી રહેશે. કારણ કે ધનતેરસનો તહેવાર પ્રદોષ કાળમાં મનાવવાની પરંપરા છે, તેથી તે 29 ઓક્ટોબરે મનાવવામાં આવશે.

ત્રયોદશી તિથિ પ્રારંભ - 29 ઓક્ટોબર સવારે 10:32 વાગ્યેથી

ત્રયોદશી તિથિ સમાપ્ત - 30 ઓક્ટોબર બપોરે 01:16 વાગ્યા સુધી

ધનતેરસ પર શુભ યોગ: (Dhanteras 2024 Shubh Yog)

ધનતેરસ પર આ વખતે 100 વર્ષ બાદ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, ધનત્રયોદશી એટલે કે ધનતેરસના દિવસે ત્રિગ્રહી યોગ, ત્રિપુષ્કર યોગ, ઈન્દ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ, શશ મહાપુરુષ રાજયોગ કુલ 5 શુભ સંયોગ બની રહ્યા છે. આવામાં પૂજા અને ખરીદીનો વિશેષ લાભ મળશે.

ઈન્દ્ર યોગ - 28 ઓક્ટોબર 2024, સવારે 6:48 - 29 ઓક્ટોબર 2024, સવારે 07:48 સુધી

ત્રિપુષ્કર યોગ - 06:31 - સવારે 10:31 (29 ઓક્ટોબર)

લક્ષ્મી-નારાયણ યોગ - ધનતેરસના દિવસે વૃશ્ચિક રાશિમાં શુક્ર અને બુધ એક સાથે બિરાજમાન રહેશે, આવામાં લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થશે.

શશ મહાપુરુષ રાજયોગ - ધનતેરસ પર શનિ પોતાની મૂલ ત્રિકોણ રાશિ કુંભમાં રહેશે. જેનાથી શશ મહાપુરુષ રાજયોગ બનશે, આવામાં શનિની કૃપા પણ પ્રાપ્ત થશે.

ખરીદી માટે ચોઘડિયા: (Choghadiya for Shopping)

ચર: સવારે 9.18થી 10.41 વાગ્યા સુધી

લાભ: સવારે 10.41થી બપોરે 12.05 અને સાંજે 7.15થી 8.51 વાગ્યા સુધી

અમૃત: બપોરે 12.05થી 1.28 વાગ્યા સુધી

શુભ: બપોરે 2.51થી 4.15 વાગ્યા સુધી

પ્રદોષકાળમાં પૂજન મુહૂર્ત 1 કલાક 31 મિનિટ

ડૉ. અનીષ વ્યાસે જણાવ્યું કે ધનતેરસથી પંચ પર્વની શરૂઆત થશે. ભગવાન ધન્વંતરિ ઉપરાંત સુખ-સમૃદ્ધિ માટે ધન લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આની સાથે અકાળ મૃત્યુના ભયથી મુક્તિ માટે યમ દીપ દાન કરે છે. લક્ષ્મી-કુબેર પૂજન સાથે યમ દીપ દાન માટે પ્રદોષકાળમાં સાંજે 6.31થી રાત્રે 8.13 વાગ્યા સુધી 1 કલાક 42 મિનિટનો શ્રેષ્ઠ સમય છે. પ્રદોષકાળ સાંજે 5.38થી રાત્રે 8.13 વાગ્યા સુધી રહેશે.

29 ઓક્ટોબરે ધનતેરસ પર દીપદાનની થશે શરૂઆત

ધનતેરસ જેને ધન ત્રયોદશી અને ધન્વંતરિ જયંતી પણ કહે છે પાંચ દિવસીય દિવાળીનો પહેલો દિવસ હોય છે. ધનતેરસના દિવસથી દિવાળીનો તહેવાર શરૂ થઈ જાય છે. માન્યતા છે આ તિથિ પર આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિ સમુદ્ર મંથનથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. આ જ કારણે દર વર્ષે ધનતેરસ પર વાસણો ખરીદવાની પરંપરા નિભાવવામાં આવે છે. એવું કહેવાય છે કે જે કોઈ ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાસણો, જમીન અને સંપત્તિની શુભ ખરીદી કરે છે, તેની સંપત્તિ તેર ગણી વધી જાય છે. ડૉક્ટરો અમૃત વાહક ભગવાન ધન્વંતરીની પૂજા કરશે. આ દિવસથી ભગવાન યમરાજ માટે દીવા પ્રગટાવવાની શરૂઆત થશે અને પાંચ દિવસ સુધી તે પ્રગટાવવામાં આવશે. માન્યતા અનુસાર આ દિવસે ખરીદેલા સોના કે ચાંદીના ધાતુના વાસણો શાશ્વત સુખ આપે છે. લોકો નવા વાસણો અથવા અન્ય નવી વસ્તુઓ ખરીદશે.

આ પણ વાંચોઃ

સવારે ઉઠતા જ આ રીતે પાણી પીવો, એક જ ઝાટકે પેટ સાફ થઈ જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot KBZ Namkin Fire : રાજકોટની KBZ નમકીનમાં ભીષણ આગ, જુઓ સંપૂર્ણ અહેવાલMahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget