શોધખોળ કરો

Akshaya Tritiya 2022: અક્ષય તૃતીયા પર 50 વર્ષ બાદ બની રહ્યો છે આ અદ્ભૂત સંયોગ, આ રીતે કરો પૂજા

જ્યોતિષીઓનું કહેવું છે કે લગભગ 50 વર્ષ પછી ગ્રહોનો આવો શુભ સંયોગ બની રહ્યો છે. આ સિવાય 30 વર્ષ પછી અક્ષય તૃતીયાનો શુભ યોગ આવી રહ્યો છે.

Akshaya Tritiya 2022: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ શુભ અને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ છે. અક્ષય તૃતીયાનો દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. તેને ઉજવવા પાછળ અનેક માન્યતાઓ રહેલી છે. આ વખતે અક્ષય તૃતીયા 3 મે, 2022 ના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે મંગળ રોહિણી નક્ષત્રના શોભન યોગમાં વર્ષ 2022ની અક્ષય તૃતીયા મનાવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે લગભગ 50 વર્ષ પછી ગ્રહોનો આવો શુભ સંયોગ બની રહ્યો છે. આ સિવાય 30 વર્ષ પછી અક્ષય તૃતીયાનો શુભ યોગ આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. આવા શુભ યોગમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ અનેક ગણી વધી જાય છે.

અક્ષય તૃતીયા પર ગ્રહોની સ્થિતિ

જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે વૈશાખ સુદ ત્રીજ પર લગભગ 50 વર્ષ પછી બે ગ્રહો ઉચ્ચ રાશિમાં બિરાજમાન થશે. બે ગ્રહોની ઉચ્ચ રાશિમાં અને બે ગ્રહોની સ્વ-રાશિમાં હાજરીથી શુભ કાર્યોનું પુણ્યફળ અનેક ગણી વધી જાય છે. અક્ષય તૃતીયા 2022 ના રોજ, ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં હશે અને શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હશે. જ્યારે શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન થશે અને ગુરુ સ્વરાશિ મીન રાશિમાં રહેશે. જ્યોતિષમાં, અક્ષય તૃતીયા પર ચાર ગ્રહોની સ્થિતિ મહાન લાભની પ્રાપ્તિની તક દર્શાવે છે. 

અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત 2022

અક્ષય તૃતીયા તિથિ આરંભઃ મંગળવાર, 3 મે 2022 ના રોજ સવારે 05:19

અક્ષય તતીયા તિથિ સમાપનઃ 04 મેના રોજ સવારે 07:33 વાગ્યે

રોહિણી નક્ષત્રઃ 3 મે સવારે 12:34 થી 04 મે 03:18 સુધી રહેશે.

અક્ષય તૃતીયાએ આ ચીજોનું કરો દાન

અક્ષય તૃતીયાનો દિવસ શુભ અને માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે નવા કપડાં, ઘરેણાં, ઘર-ગાડી વગેરેની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં પણ અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અક્ષય તૃતીયાના દિવસે દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.

  • જલ પાત્રનું દાનઃ હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ અખા ત્રીજના દિવસે જલ પાત્રનું દાન આપવું શુભ માનવામાં આવે છે.
  • ગાયની સેવાઃ અક્ષય તૃતીયાના દિવસે ગાયની સેવા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાણીમાં ગોળ મિક્સ કરીને ગાયને આ પાણી પીવડાવવાથી કે રોટલી ખવડાવાથી અક્ષય પુણ્ય મળે છે.
  • જવ દાનઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમના ચરણોમાં જવ અર્પણ કરવા જોઈએ. આ દિવસે જવ દાનનો પણ મહિમા છે.
  • અન્ન દાનઃ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે અન્ન અર્થાત ચોખા, લોટ અને દાળ વગેરેનું દાન પણ ફળદાયી માનવામાં આવ્યું છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget