શોધખોળ કરો

Dussehra 2024: મૃત્યુશય્યા પર અંતિમ શ્વાસ લઈ રહેલા રાવણ પાસે ભગવાન રામે લક્ષ્મણને શું લેવા મોકલ્યા હતા

Dussehra 2024: વિષ્ણુના સાતમા અવતારમાં જન્મેલા મર્યાદા પુરૂષોત્તમ રામે તેમની માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આપણને વિશ્વાસ અપાવ્યો કે ધર્મની હંમેશા જીત થાય છે, આજે પણ દર વર્ષે આ માન્યતા સાથે રાવણ દહન કરવામાં આવે છે.

Dussehra 2024 Ravan Updesh: દશેરા પર વિવિધ સ્થળોએ રામલીલા(Ramleela)નું આયોજન કરવામાં આવે છે, જેમાં યુદ્ધના મેદાનમાં રાવણને મૃત્યુશૈયા પર સૂતો જોઈને લોકો ખૂબ જ ખુશ થાય છે અને ભગવાન રામની જીત અને ઉત્સાહથી તાળીઓ પાડે છે.

આ ખુશી માત્ર રાવણના અંતની નથી પણ અધર્મ, અસત્ય અને અન્યાયના અંતની પણ છે. માનવ સ્વરૂપમાં જન્મ લઈને ભગવાન રામે અનેક લીલાઓ કરી અને રાવણનો વધ કરીને આપણને વિશ્વાસ અપાવ્યો કે અધર્મ ગમે તેટલો શક્તિશાળી હોય, સત્યની હંમેશા જીત થાય છે.

રાવણમાં આ ગુણો હતા

દશાનન રાવણ રાક્ષસ કુળનો રાજા હતો. તે અત્યંત દુષ્ટ હોવા છતાં, તેના જેવો શક્તિશાળી વિશ્વમાં બીજો કોઈ ન હતો. રાવણ અત્યંત શક્તિશાળી, પરાક્રમી યોદ્ધા, શિવનો મહાન ભક્ત, વેદોનો જ્ઞાતા અને વિદ્વાન હતો. તે બ્રહ્મા જ્ઞાની અને અનેક વિદ્યાનો જાણકાર હતો. એવું કહેવાય છે કે રાવણ તંત્ર, સંમ્મોહન,ઈન્દ્રજાલ અને જાદુ પણ જાણતો હતો.

રામે લક્ષ્મણને રાવણ પાસે કેમ મોકલ્યા?

ભગવાન રામે તેનો વધ કર્યો. પરંતુ ભગવાન રામ જાણતા હતા કે આ સંસારમાં રાવણ જેટલો વિદ્વાન અને જ્ઞાની બીજો કોઈ નથી. તેથી, જ્યારે રાવણ મૃત્યુશૈયા પર તેના અંતિમ શ્વાસો ગણી રહ્યો હતો, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને તેની પાસે જઈને જ્ઞાન મેળવવા કહ્યું. રામજીએ લક્ષ્મણને કહ્યું કે,જીવન વિશે જે જ્ઞાન રાવણ આપી શકશે તેવું બીજુ કોઈ નહીં આપી શકે.

આજના સમયમાં પણ રાવણ દ્વારા કહેવામાં આવેલી આ વાતો ખૂબ જ ઉપયોગી છે. તેથી તમારે રાવણે લક્ષ્મણજીને આપેલી સલાહ પણ જાણી લેવી જોઈએ. આ તમારા માટે જીવનમાં ખૂબ ઉપયોગી થશે.

રાવણનો ઉપદેશ(Ravan Teaching Advice)

શુભ કાર્યમાં વિલંબ ન કરવોઃ પોતાના છેલ્લા શ્વાસો ગણી રહેલા રાવણે લક્ષ્મણને કહ્યું કે કોઈ પણ શુભ કે સારુ કાર્ય કરવામાં ક્યારેય વિલંબ ન કરવો જોઈએ. બીજી તરફ, બને તેટલું અશુભ કાર્ય ટાળવું વધુ સારું છે.

અહંકાર બુદ્ધિને ભ્રષ્ટ કરે છે: જ્યારે વ્યક્તિ અહંકારથી ભરપૂર હોય છે, ત્યારે તેની બુદ્ધિ બગડે છે. રાવણે લક્ષ્મણને કહ્યું કે અહંકારથી એટલો આંધળો ન થવો જોઈએ કે તે પોતાના શત્રુને કમજોર સમજવા લાગે. વાસ્તવમાં રાવણને ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મળ્યું હતું. આવું વરદાન મળ્યા પછી રાવણ ખૂબ જ અભિમાની થઈ ગયો અને બીજાને નીચા માનવા લાગ્યો. તેણે વિચાર્યું કે શું માણસો અને વાંદરાઓની સેના તેને જડમૂળથી ઉખેડી શકશે. જ્યારે તેની આ ભૂલ તેના મૃત્યુનું કારણ બની હતી.

દુશ્મન અને મિત્ર વચ્ચે ઓળખ કરવી: તમે ત્યારે જ જીવનમાં સફળ થઈ શકો છો જ્યારે તમે દુશ્મન અને મિત્ર વચ્ચેના ભેદની ખબર હોય. ઘણી વખત, તમારા દુશ્મનને તમારો મિત્ર અને તમારા મિત્રને તમારો દુશ્મન માનીને, તમે આવા ઊંડા રહસ્યો જાહેર કરો છો જે તમને નુકસાન પહોંચાડી શકે છે. રાવણે લક્ષ્મણને કહ્યું, જ્યારે વિભીષણ લંકામાં હતો ત્યારે તે મારો શુભચિંતક હતો પણ જ્યારે તે રામના શરણમાં ગયો ત્યારે તે મારા વિનાશનું કારણ બન્યો.

પર સ્ત્રી પર ખરાબ નજર ન રાખોઃ રાવણે મૃત્યુશય્યા પર ઉપદેશ આપતાં લક્ષ્મણને કહ્યું કે કોઈ પણ પર સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઈએ. જે આવું કરે છે તેનો નાશ નિશ્ચિત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget