શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

Dussehra 2024: મૃત્યુશય્યા પર અંતિમ શ્વાસ લઈ રહેલા રાવણ પાસે ભગવાન રામે લક્ષ્મણને શું લેવા મોકલ્યા હતા

Dussehra 2024: વિષ્ણુના સાતમા અવતારમાં જન્મેલા મર્યાદા પુરૂષોત્તમ રામે તેમની માનવીય પ્રવૃત્તિઓ દ્વારા આપણને વિશ્વાસ અપાવ્યો કે ધર્મની હંમેશા જીત થાય છે, આજે પણ દર વર્ષે આ માન્યતા સાથે રાવણ દહન કરવામાં આવે છે.

Dussehra 2024 Ravan Updesh: દશેરા પર વિવિધ સ્થળોએ રામલીલા(Ramleela)નું આયોજન કરવામાં આવે છે, જેમાં યુદ્ધના મેદાનમાં રાવણને મૃત્યુશૈયા પર સૂતો જોઈને લોકો ખૂબ જ ખુશ થાય છે અને ભગવાન રામની જીત અને ઉત્સાહથી તાળીઓ પાડે છે.

આ ખુશી માત્ર રાવણના અંતની નથી પણ અધર્મ, અસત્ય અને અન્યાયના અંતની પણ છે. માનવ સ્વરૂપમાં જન્મ લઈને ભગવાન રામે અનેક લીલાઓ કરી અને રાવણનો વધ કરીને આપણને વિશ્વાસ અપાવ્યો કે અધર્મ ગમે તેટલો શક્તિશાળી હોય, સત્યની હંમેશા જીત થાય છે.

રાવણમાં આ ગુણો હતા

દશાનન રાવણ રાક્ષસ કુળનો રાજા હતો. તે અત્યંત દુષ્ટ હોવા છતાં, તેના જેવો શક્તિશાળી વિશ્વમાં બીજો કોઈ ન હતો. રાવણ અત્યંત શક્તિશાળી, પરાક્રમી યોદ્ધા, શિવનો મહાન ભક્ત, વેદોનો જ્ઞાતા અને વિદ્વાન હતો. તે બ્રહ્મા જ્ઞાની અને અનેક વિદ્યાનો જાણકાર હતો. એવું કહેવાય છે કે રાવણ તંત્ર, સંમ્મોહન,ઈન્દ્રજાલ અને જાદુ પણ જાણતો હતો.

રામે લક્ષ્મણને રાવણ પાસે કેમ મોકલ્યા?

ભગવાન રામે તેનો વધ કર્યો. પરંતુ ભગવાન રામ જાણતા હતા કે આ સંસારમાં રાવણ જેટલો વિદ્વાન અને જ્ઞાની બીજો કોઈ નથી. તેથી, જ્યારે રાવણ મૃત્યુશૈયા પર તેના અંતિમ શ્વાસો ગણી રહ્યો હતો, ત્યારે ભગવાન રામે લક્ષ્મણને તેની પાસે જઈને જ્ઞાન મેળવવા કહ્યું. રામજીએ લક્ષ્મણને કહ્યું કે,જીવન વિશે જે જ્ઞાન રાવણ આપી શકશે તેવું બીજુ કોઈ નહીં આપી શકે.

આજના સમયમાં પણ રાવણ દ્વારા કહેવામાં આવેલી આ વાતો ખૂબ જ ઉપયોગી છે. તેથી તમારે રાવણે લક્ષ્મણજીને આપેલી સલાહ પણ જાણી લેવી જોઈએ. આ તમારા માટે જીવનમાં ખૂબ ઉપયોગી થશે.

રાવણનો ઉપદેશ(Ravan Teaching Advice)

શુભ કાર્યમાં વિલંબ ન કરવોઃ પોતાના છેલ્લા શ્વાસો ગણી રહેલા રાવણે લક્ષ્મણને કહ્યું કે કોઈ પણ શુભ કે સારુ કાર્ય કરવામાં ક્યારેય વિલંબ ન કરવો જોઈએ. બીજી તરફ, બને તેટલું અશુભ કાર્ય ટાળવું વધુ સારું છે.

અહંકાર બુદ્ધિને ભ્રષ્ટ કરે છે: જ્યારે વ્યક્તિ અહંકારથી ભરપૂર હોય છે, ત્યારે તેની બુદ્ધિ બગડે છે. રાવણે લક્ષ્મણને કહ્યું કે અહંકારથી એટલો આંધળો ન થવો જોઈએ કે તે પોતાના શત્રુને કમજોર સમજવા લાગે. વાસ્તવમાં રાવણને ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મળ્યું હતું. આવું વરદાન મળ્યા પછી રાવણ ખૂબ જ અભિમાની થઈ ગયો અને બીજાને નીચા માનવા લાગ્યો. તેણે વિચાર્યું કે શું માણસો અને વાંદરાઓની સેના તેને જડમૂળથી ઉખેડી શકશે. જ્યારે તેની આ ભૂલ તેના મૃત્યુનું કારણ બની હતી.

દુશ્મન અને મિત્ર વચ્ચે ઓળખ કરવી: તમે ત્યારે જ જીવનમાં સફળ થઈ શકો છો જ્યારે તમે દુશ્મન અને મિત્ર વચ્ચેના ભેદની ખબર હોય. ઘણી વખત, તમારા દુશ્મનને તમારો મિત્ર અને તમારા મિત્રને તમારો દુશ્મન માનીને, તમે આવા ઊંડા રહસ્યો જાહેર કરો છો જે તમને નુકસાન પહોંચાડી શકે છે. રાવણે લક્ષ્મણને કહ્યું, જ્યારે વિભીષણ લંકામાં હતો ત્યારે તે મારો શુભચિંતક હતો પણ જ્યારે તે રામના શરણમાં ગયો ત્યારે તે મારા વિનાશનું કારણ બન્યો.

પર સ્ત્રી પર ખરાબ નજર ન રાખોઃ રાવણે મૃત્યુશય્યા પર ઉપદેશ આપતાં લક્ષ્મણને કહ્યું કે કોઈ પણ પર સ્ત્રી પર ખરાબ નજર ન રાખવી જોઈએ. જે આવું કરે છે તેનો નાશ નિશ્ચિત છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : વાગ્યું તીર તો ફૂટી ફાનસ, ખીલ્યું કમળ તો વિખરાયો પંજો
Hun To Bolish : હું તો બોલીશ : ત્રિશુલની શક્તિ
Hun To Bolish : હું તો બોલીશ : કહાની વશની, ઉજળ્યો વંશ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
બિહારમાં NDA ની જીતે આપ્યો નવો 'MY Formula', PM મોદીના ભાષણની મોટી વાતો 
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું',  જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?   
Bihar Election Result: રાહુલ ગાંધીએ કહ્યું, 'બિહારનું આ પરિણામ ખરેખર ચોંકાવનારું', જાણો બીજું શું આપ્યું મોટું નિવેદન ?  
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
'બિહાર કે લોગો ને ગર્દા ઉડા દિયા', પ્રચંડ જીત બાદ વિજય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી મોદી 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
ખેડૂતો માટે ખુશખબરી!  PM-KISAN નો  21મો હપ્તો આ તારીખે આવશે, જાણી લો 
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
Bihar election result 2025: તેજસ્વી યાદવે કાંટે કી ટક્કરમાં રાઘોપુરથી જીત મેળવી, જાણો કેટલા હજાર મતોથી જીત્યા
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
મૈથિલી ઠાકુરની આટલા હજાર મતોથી જીત, બિહારને મળી સૌથી Youngest MLA
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
પ્રચંડ જીત બાદ BJP હેડક્વાર્ટર પહોંચ્યા PM મોદી, બિહારી સ્ટાઈલમાં લહેરાવ્યો ગમછો, Video
Embed widget