શોધખોળ કરો

Hartalika Teej 2022: આજે છે હરતાલિકા ત્રીજનું વ્રત, મહિલાઓ ન કરે આ ભૂલો નહીંતર.......

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા, લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજ દેવી પાર્વતી અને ભગવાન શંકરને સમર્પિત છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે હરતાલિકા ત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હરતાલિકા ત્રીજ મંગળવાર, 30 ઓગસ્ટ 2022 ના રોજ છે. હરતાલિકા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય અને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ માટે હરતાલીકા ત્રીજનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે થોડી ભૂલ તમારા ઉપવાસની અસરને ઓછી કરી શકે છે.

શાસ્ત્રોમાં હરતાલીકા ત્રીજના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઉપવાસ કરવાથી ભૂલોથી બચી શકાય છે. આવો જાણીએ હરતાલિકા ત્રીજ પર શું કરવું અને શું ન કરવું.

હરતાલિકા ત્રીજની પૂજા કરવાનો યોગ્ય સમય

હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, શાસ્ત્રોમાં ગૌરીશંકરની પૂજા માટે પ્રદોષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હરતાલિક ત્રીજના રોજ સવારે નિયમિત પૂજા કર્યા પછી સાંજે પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરીને કીર્તન કરવું. આ વર્ષે હરતાલિકા ત્રીજ પર પૂજા માટે પ્રદોષ કાલ મુહૂર્ત 30 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 06.33 PM થી 08.51 PM સુધી છે.

હરતાલિકા ત્રીજ પર શું ન કરવું

  • હરતાલિકા ત્રીજના ઉપવાસ કરતી મહિલાઓએ ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. બીજા પ્રત્યે દ્વેષની ભાવના ન રાખો, તેમજ વાણી પર સંયમ રાખો. તો જ ઉપવાસ સફળ થાય છે.
  • પતિ કે અન્ય લોકો સાથે વાદવિવાદ ન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રતની અસર ઓછી થાય છે અને પૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી. પતિએ પણ પત્ની સાથે વિવાદ ન કરવો જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ નિર્જળા વ્રત ન રાખવું જોઈએ, તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું નથી. જો કોઈ કારણસર તે આ વ્રત ન કરી શકે તો તેને પરિવારની અન્ય સ્ત્રીને સોંપી દો જેથી વ્રતનો ક્રમ જળવાઈ રહે.
  • શાસ્ત્રો અનુસાર હરતાલિકા ત્રીજ વ્રત દરમિયાન વ્રત રાખનાર મહિલાઓ માટે ઉંઘવું વર્જિત છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે જે મહિલાઓ સૂવે છે તેઓ આગામી જન્મમાં અજગરના રૂપમાં જન્મ લે છે. તેથી આ દિવસે રાત્રે જાગરણ કર્યા બાદ ભજનોનો જાપ કરવો જોઈએ.
  • જો તમે પહેલીવાર વ્રત શરૂ કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ ઉપવાસ નિર્જળા રાખવાનો છે. આ દિવસે અન્ન અને પાણીનો ત્યાગ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ વ્રત દરમિયાન ભોજન કરવાથી ઉપવાસ કરનાર આગામી જન્મમાં વાનર બની જાય છે. પાણી પીવાથી આગલા જન્મમાં માછલીની યોનિમાં જન્મ મળે છે છે.
  • જે ઘરોમાં મહિલાઓ હરતાલિકા ત્રીજનું વ્રત કરે છે ત્યાં આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું. પરિવારના બાકીના સભ્યોએ આ દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
27 જુલાઈથી શનિ વક્રી થશે, આ 3 મૂળાંકના લોકોને આવી શકે છે મુશ્કેલીઓ; આ ઉપાયોથી ઘટશે શનિના અશુભ પ્રભાવ
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 
શુક્ર 29 જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં કરશે પ્રવેશ, વૃષભ-ધન સહિત 3 રાશિઓને મળી શકે શુભ પરિણામ 

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget