શોધખોળ કરો

Hartalika Teej 2022: આજે છે હરતાલિકા ત્રીજનું વ્રત, મહિલાઓ ન કરે આ ભૂલો નહીંતર.......

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા, લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજ દેવી પાર્વતી અને ભગવાન શંકરને સમર્પિત છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે હરતાલિકા ત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હરતાલિકા ત્રીજ મંગળવાર, 30 ઓગસ્ટ 2022 ના રોજ છે. હરતાલિકા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય અને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ માટે હરતાલીકા ત્રીજનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે થોડી ભૂલ તમારા ઉપવાસની અસરને ઓછી કરી શકે છે.

શાસ્ત્રોમાં હરતાલીકા ત્રીજના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઉપવાસ કરવાથી ભૂલોથી બચી શકાય છે. આવો જાણીએ હરતાલિકા ત્રીજ પર શું કરવું અને શું ન કરવું.

હરતાલિકા ત્રીજની પૂજા કરવાનો યોગ્ય સમય

હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, શાસ્ત્રોમાં ગૌરીશંકરની પૂજા માટે પ્રદોષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હરતાલિક ત્રીજના રોજ સવારે નિયમિત પૂજા કર્યા પછી સાંજે પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરીને કીર્તન કરવું. આ વર્ષે હરતાલિકા ત્રીજ પર પૂજા માટે પ્રદોષ કાલ મુહૂર્ત 30 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 06.33 PM થી 08.51 PM સુધી છે.

હરતાલિકા ત્રીજ પર શું ન કરવું

  • હરતાલિકા ત્રીજના ઉપવાસ કરતી મહિલાઓએ ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. બીજા પ્રત્યે દ્વેષની ભાવના ન રાખો, તેમજ વાણી પર સંયમ રાખો. તો જ ઉપવાસ સફળ થાય છે.
  • પતિ કે અન્ય લોકો સાથે વાદવિવાદ ન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રતની અસર ઓછી થાય છે અને પૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી. પતિએ પણ પત્ની સાથે વિવાદ ન કરવો જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ નિર્જળા વ્રત ન રાખવું જોઈએ, તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું નથી. જો કોઈ કારણસર તે આ વ્રત ન કરી શકે તો તેને પરિવારની અન્ય સ્ત્રીને સોંપી દો જેથી વ્રતનો ક્રમ જળવાઈ રહે.
  • શાસ્ત્રો અનુસાર હરતાલિકા ત્રીજ વ્રત દરમિયાન વ્રત રાખનાર મહિલાઓ માટે ઉંઘવું વર્જિત છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે જે મહિલાઓ સૂવે છે તેઓ આગામી જન્મમાં અજગરના રૂપમાં જન્મ લે છે. તેથી આ દિવસે રાત્રે જાગરણ કર્યા બાદ ભજનોનો જાપ કરવો જોઈએ.
  • જો તમે પહેલીવાર વ્રત શરૂ કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ ઉપવાસ નિર્જળા રાખવાનો છે. આ દિવસે અન્ન અને પાણીનો ત્યાગ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ વ્રત દરમિયાન ભોજન કરવાથી ઉપવાસ કરનાર આગામી જન્મમાં વાનર બની જાય છે. પાણી પીવાથી આગલા જન્મમાં માછલીની યોનિમાં જન્મ મળે છે છે.
  • જે ઘરોમાં મહિલાઓ હરતાલિકા ત્રીજનું વ્રત કરે છે ત્યાં આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું. પરિવારના બાકીના સભ્યોએ આ દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Shrawan 2026: શ્રાવણ માસનો આજથી પ્રારંભ, રૂદ્રાક્ષ ધારણ કરવા માટે ઉત્તમ અવસર, જાણો વિધિ વિધાન
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો મેષથી મીનનું રાશિફળ
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget