શોધખોળ કરો

Hartalika Teej 2022: આજે છે હરતાલિકા ત્રીજનું વ્રત, મહિલાઓ ન કરે આ ભૂલો નહીંતર.......

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા, લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

Hartalika Teej 2022 Puja: હરતાલિકા ત્રીજ દેવી પાર્વતી અને ભગવાન શંકરને સમર્પિત છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે હરતાલિકા ત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે હરતાલિકા ત્રીજ મંગળવાર, 30 ઓગસ્ટ 2022 ના રોજ છે. હરતાલિકા ત્રીજ વ્રત કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય અને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. મહિલાઓ માટે હરતાલીકા ત્રીજનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે થોડી ભૂલ તમારા ઉપવાસની અસરને ઓછી કરી શકે છે.

શાસ્ત્રોમાં હરતાલીકા ત્રીજના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવાથી ઉપવાસ કરવાથી ભૂલોથી બચી શકાય છે. આવો જાણીએ હરતાલિકા ત્રીજ પર શું કરવું અને શું ન કરવું.

હરતાલિકા ત્રીજની પૂજા કરવાનો યોગ્ય સમય

હરતાલિકા ત્રીજના દિવસે મહિલાઓ નિર્જળા વ્રત રાખે છે. આ દિવસે મહિલાઓ પતિની રક્ષા અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ વ્રત પર મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે, શાસ્ત્રોમાં ગૌરીશંકરની પૂજા માટે પ્રદોષનો સમય શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. હરતાલિક ત્રીજના રોજ સવારે નિયમિત પૂજા કર્યા પછી સાંજે પૂજા કરવી અને રાત્રિ જાગરણ કરીને કીર્તન કરવું. આ વર્ષે હરતાલિકા ત્રીજ પર પૂજા માટે પ્રદોષ કાલ મુહૂર્ત 30 ઓગસ્ટ 2022 ના રોજ સાંજે 06.33 PM થી 08.51 PM સુધી છે.

હરતાલિકા ત્રીજ પર શું ન કરવું

  • હરતાલિકા ત્રીજના ઉપવાસ કરતી મહિલાઓએ ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ. બીજા પ્રત્યે દ્વેષની ભાવના ન રાખો, તેમજ વાણી પર સંયમ રાખો. તો જ ઉપવાસ સફળ થાય છે.
  • પતિ કે અન્ય લોકો સાથે વાદવિવાદ ન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રતની અસર ઓછી થાય છે અને પૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી. પતિએ પણ પત્ની સાથે વિવાદ ન કરવો જોઈએ.
  • ગર્ભવતી મહિલાઓએ નિર્જળા વ્રત ન રાખવું જોઈએ, તે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારું નથી. જો કોઈ કારણસર તે આ વ્રત ન કરી શકે તો તેને પરિવારની અન્ય સ્ત્રીને સોંપી દો જેથી વ્રતનો ક્રમ જળવાઈ રહે.
  • શાસ્ત્રો અનુસાર હરતાલિકા ત્રીજ વ્રત દરમિયાન વ્રત રાખનાર મહિલાઓ માટે ઉંઘવું વર્જિત છે. પૌરાણિક કથા અનુસાર આ દિવસે જે મહિલાઓ સૂવે છે તેઓ આગામી જન્મમાં અજગરના રૂપમાં જન્મ લે છે. તેથી આ દિવસે રાત્રે જાગરણ કર્યા બાદ ભજનોનો જાપ કરવો જોઈએ.
  • જો તમે પહેલીવાર વ્રત શરૂ કરી રહ્યા છો, તો ધ્યાનમાં રાખો કે આ ઉપવાસ નિર્જળા રાખવાનો છે. આ દિવસે અન્ન અને પાણીનો ત્યાગ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર આ વ્રત દરમિયાન ભોજન કરવાથી ઉપવાસ કરનાર આગામી જન્મમાં વાનર બની જાય છે. પાણી પીવાથી આગલા જન્મમાં માછલીની યોનિમાં જન્મ મળે છે છે.
  • જે ઘરોમાં મહિલાઓ હરતાલિકા ત્રીજનું વ્રત કરે છે ત્યાં આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું. પરિવારના બાકીના સભ્યોએ આ દિવસે તામસિક ભોજન લેવાનું ટાળવું જોઈએ.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ  પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરવો જોઈએ આ ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
Shani Shukra Navpancham Yog 2026: શનિ-શુક્ર બનાવશે 'નવ પંચમ રાજયોગ', આ રાશિઓ થઈ જશે માલામાલ
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 
June Horoscope 2026: જૂનમાં બનશે 3 મોટા રાજયોગ, આ 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ! 

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
હવે અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કાર્યવાહી, FSSAI એ મુક્યો પ્રતિબંધ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
પટના કોર્ટમાં સરેન્ડર કરી શકે છે ખાન સર, ફાયરિંગ મામલે FIR બાદ શોધી રહી છે બિહાર પોલીસ
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Train News: તત્કાલ ટિકિટ માટે કઈ એપ છે ઉપયોગી, IRCTC અથવા Rail One? જાણો
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
Cockroach Janta Party Protest: કૉકરોચ જનતા પાર્ટીને વિરોધ પ્રદર્શનની દિલ્હી પોલીસની મંજૂરી
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
IND vs AFG Test Live Score: બીજા સત્રની રમત શરૂ, ભારતે બનાવ્યા 100 રન, રાહુલ-સુદર્શન કરી રહ્યા છે બેટિંગ
Embed widget