શોધખોળ કરો

Hindu Dharma: શું મૃત વ્યક્તિના કપડાં કે ઘરેણાં પહેરવા જોઇએ કે નહીં ? જાણો આના વિશે શું લખ્યું છે શાસ્ત્રોમાં

મૃત્યુ પછી ફક્ત તે વ્યક્તિની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જ આપણી સાથે રહે છે

Hindu Dharma Rituals: ભારતમાં મોટી ભાગની વસ્તી હિન્દુ ધર્મની છે, અને હિન્દુ ધર્મને સનાતન ધર્મ પણ કહેવામાં આવે છે, સનાતન ધર્મમાં કેટલીક માન્યતાઓ અને વિધિઓ એવી છે જેને લોકો આજે પણ અનુસરે છે, આજે અમે તમને આવી જ એક વિધિ કે માન્યતા વિશે માહિતી આપી રહ્યાં છીએ. ખરેખરમાં, મૃત્યુ એ સનાતન સત્ય છે. જે જન્મ લે છે તે જીવનની સફર પૂરી કરીને શરીર છોડી દે છે. મૃત્યુ પછી ફક્ત તે વ્યક્તિની યાદો અને તેની સાથે જોડાયેલી વસ્તુઓ જ આપણી સાથે રહે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમારે મૃત વ્યક્તિની વસ્તુઓ, કપડાં, ઘરેણાંનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. આવો જાણીએ શાસ્ત્રોમાં આ વિશે શું લખ્યું છે.

મૃત વ્યક્તિના ઘરેણાં પહેરવા જોઇએ કે નહીં  
ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત વ્યક્તિના ઘરેણા ના પહેરવા જોઈએ. આ આભૂષણો તમે સંભારણું તરીકે તમારી પાસે રાખી શકો છો પરંતુ તેમને પહેરવાથી મૃત વ્યક્તિની આત્મા તમારી તરફ આકર્ષિત થઈ શકે છે અને તેમને માયાના બંધનને તોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે, જો કોઈએ તેના મૃત્યુ પહેલા તેના ઘરેણાં તમને ભેટમાં આપ્યા હોય, તો તમે તેને પહેરી શકો છો. આ સાથે મૃત વ્યક્તિની જ્વેલરીને નવો આકાર આપીને પણ પહેરી શકાય છે એટલે કે તેને પીગાળીને અને પછી તેને નવી ડિઝાઇનમાં મૉલ્ડ કરીને.

મૃત વ્યક્તિના કપડાંને પહેરવા જોઇએ કે નહીં 
ગરુડ પુરાણ અનુસાર, તમારે ભૂલથી પણ મૃત વ્યક્તિના કપડા ન પહેરવા જોઈએ. કપડાં પણ આત્માને આકર્ષે છે, ખાસ કરીને જો પરિવારના સભ્યો મૃત વ્યક્તિના કપડાં પહેરે છે, તો તેની ખરાબ અસર થઈ શકે છે. આ કારણે મૃત વ્યક્તિની આત્મા આસક્તિના બંધનને સરળતાથી તોડી શકતી નથી અને ભટકતી રહે છે. મૃતકના વસ્ત્રો પહેરવાથી તમને પિતૃ દોષની અસર પણ થઈ શકે છે. તેથી, મૃતકની નજીકના લોકોએ આ કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. જો કે, તમે આ કપડાં અજાણ્યા લોકોને ગિફ્ટ કરી શકો છો અથવા દાન કરી શકો છો.

મૃતક સાથે જોડાયેલી અન્ય વસ્તુઓનોનું શું કરવું 
તમારે મૃતક સાથે સંબંધિત અન્ય વસ્તુઓ ક્યાંક સ્મૃતિચિહ્ન તરીકે સાચવવી જોઈએ અથવા કોઈને દાન કરવી જોઈએ. ભૂલથી પણ ક્યારેય મૃતકની ઘડિયાળ ન પહેરવી જોઈએ, આમ કરવાથી પિતૃ દોષ પણ થઈ શકે છે. કાંસકો, શેવિંગ એસેસરીઝ, માવજતની વસ્તુઓ અથવા મૃતક દ્વારા ઉપયોગમાં લેવાતી અન્ય દૈનિક ઉપયોગની વસ્તુઓ પણ દાન અથવા નાશ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિ જે પલંગ પર સૂતો હતો તેનું દાન પણ કરવું જોઈએ. આ સાથે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત વ્યક્તિની કુંડળી ઘરમાં ન રાખવી જોઈએ, તેને મંદિરમાં રાખવી જોઈએ અથવા કોઈ પવિત્ર નદીમાં વહેતી મુકી દેવી જોઈએ. આમ કરવાથી મૃતકની આત્માને મુક્ત કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. એબીપી અસ્મિતા ન્યૂઝ એક પણ વસ્તુની સત્યતાનો પુરાવો આપતું નથી.)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
New Car Policy: હવે કાર ખરીદવા માટે જરુરી બન્યો નવો નિયમ, જો આ વસ્તુ નહીં હોય તો પૈસા હોવા છતા નહીં મળે ગાડી
New Car Policy: હવે કાર ખરીદવા માટે જરુરી બન્યો નવો નિયમ, જો આ વસ્તુ નહીં હોય તો પૈસા હોવા છતા નહીં મળે ગાડી
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
Embed widget