શોધખોળ કરો

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!

લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા લાઈવમાં વ્યક્ત કરી વેદના, ઠાકોર સમાજના કલાકારોને પણ સન્માન મળવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી.

  • ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર થયા નારાજ
  • વિધાનસભામાં ગુજરાતના કલાકારોને બોલાવી સન્માન કરાતા નારાજ
  • ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવાતા દુઃખ વ્યક્ત કર્યું
  • જે કલાકારો આવ્યા તે બધા સન્માનને યોગ્ય જ હતાઃ વિક્રમ ઠાકોર

Vikram Thakor latest news: ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે. વિક્રમ ઠાકોરે સોશિયલ મીડિયા પર લાઈવ કાર્યક્રમ દરમિયાન પોતાની વેદના વ્યક્ત કરી હતી.

વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અગ્રણી નવઘણજી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેમને જાણ થઈ કે વિધાનસભામાં કલાકારોનું સન્માન કરવામાં આવ્યું અને તેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારને બોલાવવામાં આવ્યા નથી, ત્યારે તેમને દુઃખ થયું હતું. એક મિત્રએ પણ તેમને ફોન કરીને આ બાબતે ધ્યાન દોર્યું હતું, જેનાથી તેમની નારાજગી વધુ વધી હતી.

નવઘણજી ઠાકોરે પણ આ બાબતે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું અને જણાવ્યું હતું કે, તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવીને સન્માનિત કરવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા, જે યોગ્ય નથી.

વિક્રમ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે, જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે, કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે.

વિક્રમ ઠાકોરે સરકારને વિનંતી કરી હતી કે, જ્યારે પણ કલાકારો માટે કાર્યક્રમ યોજાય ત્યારે ઠાકોર સમાજના કલાકારોને પણ બોલાવવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજ ખૂબ મોટો છે અને દરેક પક્ષને સમર્થન કરે છે, તેથી સમાજના કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, 10 માર્ચના રોજ જાણીતા લોકકલાકારો ભીખુદાન ગઢવી, માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ગીતા રબારી, જીજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિક્રમ ઠાકોરની આ નારાજગી અને વેદના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે અને ઠાકોર સમાજના લોકોમાં આ બાબતે દુઃખ અને નારાજગી જોવા મળી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather :રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, 5 મેથી તાપમાન ઘટશે, વરસશે કમોસમી વરસાદ
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર

વિડિઓઝ

Thakor Samaj Bandharan : પાટણમાં ફરી એકવાર ઠાકોર સમાજના બંધારણનો ઉલાળ્યો, દોઢ લાખનો દંડ
Gujarat Hit Wave : હજુ 24 કલાક ગુજરાત પર તાપનું ટોર્ચર રહેશે યથાવત
Rajkot BJP: ભાજપ નેતાની પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક, પદાધિકારીઓની વરણીને લઈ શું લખ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરોના વળતા પાણી ક્યારે?
Hun To Bolish : હું તો બોલીશ : આ ડમ્પરોને 'બ્રેક' મારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
હારીજમાં ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું: 1.50 લાખનો દંડ, નહીં ભરે તો સમાજ બહાર કરવાની ચીમકી!
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
સાવધાન! એકસાથે 6 ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
9 મેચમાં માત્ર 2 જીત છતાં મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શકે? જાણો આ સંપૂર્ણ સમીકરણ
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
SBI ના ગ્રાહકો સાવધાન: હજારો કર્મચારીઓ બે દિવસની હડતાળ પર, બેંકિંગ કામકાજ ઠપ થવાના એંધાણ!
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Embed widget