શોધખોળ કરો

તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી

સૌરાષ્ટ્ર પ્રાંત સહપ્રમુખ લાખાભાઈ ભુવાની પ્રશાસનને ખુલ્લી ચેતવણી, હિન્દુ મંદિરોને નુકસાન પહોંચાડ્યું તો પ્રાણના ભોગે પણ બચાવવાની પ્રતિજ્ઞા.

  • ભાવનગરના તળાજા તાલુકામાં ધાર્મિક દબાણો દૂર કરવાની નોટિસથી લાલઘૂમ
  • ધાર્મિક સ્થાનોના દબાણો દૂર કરવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ
  • સૌરાષ્ટ્ર પ્રાંતના સહ પ્રમુખ લાખાભાઈ ભૂવાની પ્રશાસનને ખૂલ્લી ચેતવણી
  • જો મંદિરોના દબાણો દૂર કરાશે તો લડી લેવાની આપી ચીમકી
  • કોઈ પણ ભોગે હિંદુ મંદિરોને નહીં તોડવા દેવાનો કર્યો હુંકાર
  • તળાજા ટાઉનમાં 15થી 20 હિંદુ મંદિરો તોડવાની પાલિકાએ આપી છે નોટિસ
  • નોટિસમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા સપ્તાહમાં રજૂ કરવા ફરમાન

Bajrang Dal protest Talaja: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં ધાર્મિક સ્થળો પરના દબાણો દૂર કરવાની નગરપાલિકાની નોટિસથી બજરંગ દળમાં (Bajrang Dal) ભારે રોષ જોવા મળી રહ્યો છે. તળાજા નગરપાલિકા દ્વારા ટાઉન વિસ્તારમાં આવેલા અંદાજે 15 થી 20 હિન્દુ મંદિરોને દબાણ દૂર કરવાની (Temple demolition controversy) નોટિસ ફટકારવામાં આવતા બજરંગ દળ લાલઘૂમ થયું છે અને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.

સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખ લાખાભાઈ ભુવાએ આ મુદ્દે પ્રશાસનને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે વાયરલ કરેલા એક વિડીયોમાં જણાવ્યું છે કે, તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસરે હિન્દુ મંદિરોને તોડવા માટે નોટિસ જાહેર કરી છે, જેમાં ધાર્મિક સ્થળોના માલિકીના પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ કરાયો છે.

લાખાભાઈ ભુવાએ આક્ષેપ કર્યો છે કે, બજરંગ દળ પાસે એવા અનેક પુરાવા છે કે સરકારી જગ્યા પર ત્રણ-ત્રણ માળના બિલ્ડીંગો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા છે, પરંતુ પ્રશાસન દ્વારા તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને પણ આડેહાથે લેતા કહ્યું કે, હિન્દુઓના મતથી ચૂંટાઈને આવેલા શાસકોને ટકોર કરતા જણાવ્યું હતું કે, જો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવવું હોય તો તેમના માટે વર્તમાન શાસકો અને ઔરંગઝેબમાં કોઈ ફર્ક રહેતો નથી.

સૌરાષ્ટ્ર પ્રાંતના સહપ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, જો એક પણ હિન્દુ મંદિરને તોડવાનો પ્રયાસ કરવામાં આવશે, તો બજરંગ દળ એ ભૂલી જશે કે આ તેમની સરકાર છે અને શાસકો છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, તેઓ પોતાના પ્રાણના ભોગે પણ હિન્દુ મંદિરોને બચાવશે. લાખાભાઈ ભુવાના આ વિડીયો બાદ તળાજા પંથકમાં ભારે તંગદિલી ફેલાઈ છે અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર, NHAI ઓનલાઈન બનાવશે લોકલ પાસ
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
'યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં નહીં થવા દઈએ', NEET પેપર લીક પર પ્રથમવાર બોલ્યા PM મોદી
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
Embed widget