શોધખોળ કરો

Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ

Premanand Maharaj: પ્રેમાનંદ મહારાજના વિચારો આપણને જીવનના સત્યનો સામનો કરાવે છે. તેમણે પ્રેમ લગ્ન કે એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા તેનું મોટું કારણ જણાવ્યું છે, જાણો તે કયા કારણો છે જે સંબંધોને બગાડી રહ્યા છે.

Premanand Maharaj: લગ્ન એક પવિત્ર બંધન છે જે પ્રેમ, આદર અને વિશ્વાસ પર આધારિત હોવું જોઈએ, ત્યારે જ લગ્નજીવનની ગાડી પાટા પર ચાલે છે. પ્રેમાનંદ મહારાજે લગ્ન વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.

એક ભક્તે પ્રેમાનંદ મહારાજને પૂછ્યું કે આજકાલ લોકો લગ્નમાં છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે, પછી ભલે તે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ, આવી સ્થિતિમાં જીવનસાથી પસંદ કરવામાં ડર લાગે છે. આના પર પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે લગ્ન કેમ સફળ નથી થતા અને તેના કારણો શું છે.

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે પ્રેમ અથવા એરેન્જ મેરેજ કેમ સફળ નથી થતા

પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કે આજના બાળકો અને યુવાનો ચારિત્ર્યનું મહત્વ સમજતા નથી. ચારિત્ર્યહીનતા ઘણી વધી ગઈ છે. બાળકો વિચિત્ર કપડાં પહેરવા લાગ્યા છે. લગ્ન પહેલા એક સાથે બ્રેકઅપ થાય છે, પછી બીજા સાથે સંબંધ બને છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. તેમણે ઉદાહરણ આપ્યું કે જે લોકોને ચાર જગ્યાએ હોટલમાં ખાવાની આદત પડી ગઈ છે તેમને ઘરનું ભોજન ગમશે નહીં.

તેવી જ રીતે, જેમને લગ્ન પહેલા કે પછી અલગ અલગ છોકરાઓ અને છોકરીઓ સાથે સંબંધ હોય છે, તેમનું લગ્નજીવન ક્યારેય સફળ થઈ શકતું નથી. આવા કિસ્સામાં, જે વ્યક્તિ અશુદ્ધ વિચારો ધરાવે છે અને વ્યભિચારી જીવન જીવે છે તે ક્યારેય સુખી જીવન જીવી શકતો નથી.

પ્રેમાનંદ મહારાજે એમ પણ કહ્યું કે વિદેશી સંસ્કૃતિ અપનાવવી પણ લગ્ન સફળ ન થવા પાછળનું એક મોટું કારણ છે. તેમણે કહ્યું કે લિવ-ઇન રિલેશનશિપ ભારતીય સભ્યતા નથી. તે ગંદકીનો ભંડાર છે. આમાં, વ્યક્તિના વિચારો શુદ્ધ નથી, વર્તન શુદ્ધ નથી હોતુ અને શરીર પણ, તેથી લગ્ન પછી તે સફળ પરિણામો લાવી શકતું નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો કોઈ વ્યક્તિ ધર્મનું પાલન નથી કરતો તો તેને સારો જીવનસાથી શોધવો ખૂબ મુશ્કેલ છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
ભારતીય રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર, આઠમા વેતન આયોગ બાદ સેલેરી-પેન્શનમાં આટલો વધારો થવાની સંભાવના
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
મિડલ ઈસ્ટમાં ભારતની ડિપ્લોમેસી, જોર્ડન કિંગ અબ્દુલ્લાને મળ્યા PM મોદી
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
Embed widget