શોધખોળ કરો

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામદેવરા દર્શન બાદ પરત ફરતી લક્ઝરી બસને અકસ્માત.
  • બસ અને ટ્રેલરની ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત.
  • 16 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.
  • અરવલ્લીના મોડાસાના મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા.
  • રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
  • તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
  • અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?

અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?

મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.

બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?

બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget