શોધખોળ કરો

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામદેવરા દર્શન બાદ પરત ફરતી લક્ઝરી બસને અકસ્માત.
  • બસ અને ટ્રેલરની ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત.
  • 16 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.
  • અરવલ્લીના મોડાસાના મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા.
  • રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
  • તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
  • અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?

અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?

મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.

બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?

બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget