શોધખોળ કરો

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામદેવરા દર્શન બાદ પરત ફરતી લક્ઝરી બસને અકસ્માત.
  • બસ અને ટ્રેલરની ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત.
  • 16 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા.
  • અરવલ્લીના મોડાસાના મુસાફરો અકસ્માતનો ભોગ બન્યા.
  • રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
  • તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
  • અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?

અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?

મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.

બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?

બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Embed widget