શોધખોળ કરો

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
  • તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
  • અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?

અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?

મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.

બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?

બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Loan EMI ઓછી થશે? MPC બેઠકનો આજે અંતિમ દિવસ, RBI કરશે મોટી જાહેરાત
Loan EMI ઓછી થશે? MPC બેઠકનો આજે અંતિમ દિવસ, RBI કરશે મોટી જાહેરાત
શું તેલના ભાવ અમેરિકા નક્કી કરશે? ટ્રમ્પે એક ચોંકાવનારો કર્યો દાવો
શું તેલના ભાવ અમેરિકા નક્કી કરશે? ટ્રમ્પે એક ચોંકાવનારો કર્યો દાવો"વિશ્વના 68% તેલના માલિકી અમારી પાસે"
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાંધા અરજીઓ કોણે કરાવી છૂમંતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સનો ડાઘ
Mayank Nayak : IIM, IITમાં વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવવા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત
PM Modi Allegation On Rahul Gandhi : કોંગ્રેસના યુવરાજે શિખ સમુદાયનું અપમાન કર્યું
Rajkot Traffic Police: રાજકોટમાં વાહન પાર્કિંગ મુદ્દે ટ્રાફિક પોલીસ અને વકીલ વચ્ચે બોલાચાલી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Loan EMI ઓછી થશે? MPC બેઠકનો આજે અંતિમ દિવસ, RBI કરશે મોટી જાહેરાત
Loan EMI ઓછી થશે? MPC બેઠકનો આજે અંતિમ દિવસ, RBI કરશે મોટી જાહેરાત
શું તેલના ભાવ અમેરિકા નક્કી કરશે? ટ્રમ્પે એક ચોંકાવનારો કર્યો દાવો
શું તેલના ભાવ અમેરિકા નક્કી કરશે? ટ્રમ્પે એક ચોંકાવનારો કર્યો દાવો"વિશ્વના 68% તેલના માલિકી અમારી પાસે"
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
RCB vs DC Final: RCB બીજી વખત WPL ચેમ્પિયન બની, સ્મૃતિ મંધાનાની કપ્તાનીમાં ઈતિહાસ રચ્યો 
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
રોકાણકારોને લાગી લોટરી! આ કંપનીએ પ્રતિ શેર ₹110 ના ડિવિડન્ડની જાહેરાત કરી, શેરધારકો એક જ ઝટકામાં માલામાલ
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
'વિશ્વ આપણા વખાણ કરી રહ્યું છે...' ભારત-અમેરિકા ડીલ પર રાજ્યસભામાં બોલ્યા PM મોદી 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
Samsung એ ભારતમાં લોન્ચ કર્યો 6000mAh બેટરીવાળો સસ્તો 5G ફોન, મળશે આ શાનદાર ફિચર્સ 
RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ
RCB vs DC WPL 2026 Final : RCB એ 6 વિકેટથી જીતી ફાઈનલ, 2024 બાદ બીજી વખત જીત્યો ખિતાબ
Gold Silver Price: 24000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા,જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price: 24000 રુપિયા સસ્તી થઈ ચાંદી, સોનાના ભાવ પણ ઘટ્યા,જાણો લેટેસ્ટ રેટ
Embed widget