શોધખોળ કરો

ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળ્યો; મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓમાં શોકનો માહોલ, MDM હોસ્પિટલમાં સારવાર શરૂ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રામદેવરા દર્શન કરીને પરત ફરી રહેલી અરવલ્લીના મોડાસાની લક્ઝરી બસને જોધપુર-જેસલમેર હાઈવે પર ગંભીર અકસ્માત નડ્યો.
  • બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયેલી આ ભયાનક ટક્કરમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.
  • તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા, જેઓ એકતા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
  • અકસ્માત બાદ પોલીસ અને સ્થાનિકોની મદદથી ઘાયલોને બહાર કાઢીને જોધપુરની MDM હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી (Aravalli) જિલ્લાના શ્રદ્ધાળુઓ માટે મંગળવારનો દિવસ ગોઝારો સાબિત થયો છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 (National Highway) પર સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ગુજરાતના 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય 16 મુસાફરો ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. તમામ શ્રદ્ધાળુઓ સુપ્રસિદ્ધ યાત્રાધામ રામદેવરા (Ramdevra) ખાતે બાબા રામદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ ભેટી ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, અરવલ્લી જિલ્લાના મોડાસા (Modasa) તાલુકાના રમાણા રૂપણ અને ફરેડી ગામના ઠાકોર સમાજના લોકો એકતા ટ્રાવેલ્સ (Ekta Travels) ની બસ કરીને રાજસ્થાન દર્શનાર્થે ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યાના સુમારે જ્યારે તેમની બસ જોધપુરના કેરુ ગામ નજીક આવેલા મુલાનાડા રોયલ્ટી નાકા પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવતા એક ટ્રેલર સાથે બસની જોરદાર ટક્કર (Collision) થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ અને ટ્રેલર બંનેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ધડાકાભેર થયેલા અકસ્માતને કારણે બસમાં બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.

બસમાં કુલ 20 જેટલા લોકો સવાર હતા. સ્થાનિક પોલીસ (Police) અને ગ્રામજનોની મદદથી બસના પતરા ચીરીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા. શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનના અધિકારી ઝુલ્ફિકારના જણાવ્યા મુજબ, આ ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 16 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM Hospital) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચ્યુરીમાં રાખવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ રાજીવ ગાંધી નગર પોલીસ અને જોધપુરના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વતનમાં પરત ફરવાની રાહ જોઈ રહેલા રમાણા ગામમાં આ સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Frequently Asked Questions

અરવલ્લીના શ્રદ્ધાળુઓને ક્યાં અકસ્માત નડ્યો?

અરવલ્લીના મોડાસાના શ્રદ્ધાળુઓને જોધપુર-જેસલમેર હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અકસ્માત નડ્યો.

આ અકસ્માતમાં કેટલા લોકોના મોત થયા અને કેટલા ઘાયલ થયા?

આ ગંભીર અકસ્માતમાં 4 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 16 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

અકસ્માત ક્યારે અને ક્યાં થયો હતો?

મંગળવારે સાંજે 4:30 વાગ્યા આસપાસ જોધપુરના કેરુ ગામ નજીક આ ગોઝારી ઘટના બની હતી.

બસમાં સવાર તમામ મુસાફરો કયા ગામના હતા?

બસમાં સવાર તમામ મુસાફરો મોડાસાના રમાણા અને ફરેડી ગામના ઠાકોર સમાજના હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
Jodhpur Accident: રામદેવરાથી પરત ફરતી અરવલ્લીની બસનો જોધપુરમાં અકસ્માત; 4 ના મોત, 16 ઘાયલ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
Embed widget