![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુરૂપૂર્ણિમાના અવસરે બની રહ્યાં છે આ 4 યોગ, આ રીતે પૂજા વિધિ કરવાથી નોકરી, અભ્યાસમાં મળશે અપાર સફળતા
અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ
![ગુરૂપૂર્ણિમાના અવસરે બની રહ્યાં છે આ 4 યોગ, આ રીતે પૂજા વિધિ કરવાથી નોકરી, અભ્યાસમાં મળશે અપાર સફળતા Guru Purnima 2022 know the date time significance and puja vidhi of guru poornima ગુરૂપૂર્ણિમાના અવસરે બની રહ્યાં છે આ 4 યોગ, આ રીતે પૂજા વિધિ કરવાથી નોકરી, અભ્યાસમાં મળશે અપાર સફળતા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/22/1f3cfd06c671c07f914f1511c6430723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guru Purnima 2022 :અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે.આ દિવસે 4 યોગનો બની રહ્યો છે સંયોગ
અષાઢ મહિનામાં આવતી પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આ વખતે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈએ ઉજવવામાં આવશે. માન્યતાઓ અનુસાર ચારેય વેદોનું જ્ઞાન આપનાર મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો.
આ કારણે તેને વેદવ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. શિવપુરાણ અનુસાર વેદ વ્યાસને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે, મહર્ષિ વેદ વ્યાસે માનવજાતને પ્રથમ વખત ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને બ્રહ્માંડના પ્રથમ ગુરુનો દરજ્જો છે. આ જ કારણ છે કે દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાની તિથિને અષાઢ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા તરીકે ખૂબ જ ઉત્સાહ અને આદરપૂર્વક ઉજવવામાં આવે છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાની તિથિ અને પૂજા પદ્ધતિ વિશે.
ગુરૂપૂર્ણિમા તિથિ
- ગુરુ પૂર્ણિમા તારીખ: 13 જુલાઈ, બુધવાર
- પૂર્ણિમા તારીખ શરૂ: 13મી જુલાઈ, સવારે 04:02 થી
- પૂર્ણિમા તિથિ સમાપ્ત 12;05 મિનિટ પર
- ગુરૂપૂર્ણિમા પર બની રહ્યો છે 4 યોગ
- ગુરૂપૂર્ણિમાએ બની રહ્યો છે આ 4 યોગ
હિન્દી પંચાંગ અનુસાર ગુરુ પૂર્ણિમાના દિવસે મંગળ, બુધ, ગુરુ અને શનિ શુભ સ્થાનમાં બિરાજમાન છે. આ શુભ દશાને કારણે ગુરુ પૂર્ણિમાના દિવસે રૂચક, ભદ્રા, હંસ અને શષ નામના 4 રાજયોગ રચાઈ રહ્યા છે. આ સાથે બુધાદિત્ય યોગ પણ રચાઈ રહ્યો છે.
ગુરૂપૂર્ણિમાની પૂજા વિધાન
- ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો, ત્યારપછી સૂર્યને અર્ઘ્ય ચઢાવો.
- સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.
- પછી સૂર્યની સામે નતમસ્તક થઈને ગુરુનું ધ્યાન કરો.
- આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરો.
- વિષ્ણુજીના અચ્યુત અનંત ગોવિંદ નામનો 108 વાર જાપ કરો.
- ઘરના મુખ્ય દરવાજા અને મંદિરની ડાબી અને જમણી બાજુએ કુમકુમથી સ્વસ્તિક બનાવો.
- ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવાનું ભૂલશો નહીં.
- આ દિવસે પીળા અનાજ, પીળી મીઠાઈ અને પીળા વસ્ત્રો જરૂરિયાતમંદોને દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
- આ પછી તમારા ગુરુ અથવા ઈષ્ટદેવની વિધિવત પૂજા કરો અને તેમના ચરણ સ્પર્શ કરો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)