શોધખોળ કરો

Nirjala Ekadashi 2023 : નિર્જળા એકાદશી ક્યારે છે? વિષ્ણુની અસીમ કૃપા માટે આ એક કરો ઉપાય, સઘળી સમસ્યાનો આવશે ઉકેલ

Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.

Nirjala Ekadashi Pujan Vidhi: 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી.

હિન્દુ ધર્મમાં તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષની તમામ એકાદશીઓમાં નિર્જલા એકાદશી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જલા એકાદશીના ઉપવાસથી ભગવાન વિષ્ણુ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર તેમના આશીર્વાદ વરસાવે છે. આ વખતે 31મી મેના રોજ નિર્જલા એકાદશી વ્રત રાખવામાં આવશે. આ દિવસે કેટલાક ખાસ નિયમો છે જેનું પાલન ન કરવામાં આવે તો ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. આવો જાણીએ આ દિવસે કયું કામ અશુભ માનવામાં આવે છે અને બિલકુલ ન કરવું જોઈએ.

નિર્જળા એકાદશીએ આ રીતે પ્રાપ્ત કરો વિષ્ણુની કૃપા

નિર્જળા એકાદશીના દિવસે વહેલા ઉઠીને દૈનિક કાર્ય બાદ વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુસહસ્ત્રના પાઠ કરવાથી સઘળી સમસ્યા દૂર થાય છે. તેમજ મૃત્યુ બાદ  મોક્ષની પ્રાપ્તિ થાય છે

નિર્જળા એકદાશીએ ન કરો આ કામ

નિર્જળા એકાદશીનું વ્રત પાણી વિના કરવામાં આવે છે, પરંતુ જો તમે નિર્જળા વ્રત ન રાખી શકતા હોવ તો પણ આ દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચોખા ખાવાથી આગામી જન્મમાં કરોળિયાના રૂપમાં અથવા કોઇ પણ  જીવજંતુઓનો રૂપે થાય છે.

આ દિવસે ભૂલથી પણ મીઠું ન ખાવું જોઈએ. મીઠું ખાવાથી એકાદશી અને ગુરુના ફળનો નાશ થાય છે. આ દિવસે મસૂર, મૂળો, રીંગણ, ડુંગળી, લસણ, સલગમ, કોબી અને કઠોળનું સેવન પણ ન કરવું જોઈએ. જો તમે પાણી વગરનું વ્રત ન રાખી શકતા હોવ તો આ દિવસે તમારે માત્ર સાત્વિક ફળો જ ખાવા જોઈએ.

જો તમે નિર્જલા એકાદશીનો ઉપવાસ કરતા હોવ તો વ્રતના એક દિવસ પહેલા એટલે કે દશમીના દિવસથી તમારા ભોજન પર વિશેષ ધ્યાન ન આપો. આ દિવસે કોઈપણ પ્રકારનો તામસિક, માંસાહારી ખોરાક ન લેવો. આ સિવાય આલ્કોહોલ અને તમામ પ્રકારના ડ્રગ્સથી દૂર રહો.

નિર્જલા એકાદશીના દિવસે મન, કર્મ અને વાણીથી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે તુલસીને પાણી ન ચઢાવવું જોઈએ અને ન તેને સ્પર્શવું જોઈએ. એવી માન્યતા છે કે આ દિવસે તુલસી માતા પણ ઉપવાસ કરે છે.

આ દિવસે ભૂલથી પણ કોઈપણ પ્રકારના વાદ-વિવાદમાં ન પડવું. વ્રતની આગલી રાત અને ઉપવાસની આખી રાત સૂવું ન જોઈએ. આ બંને દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

નિર્જલા એકાદશીના દિવસે પલંગ પર ન સૂવું જોઈએ. આ દિવસે જમીન પર ગાદલું મૂકીને આરામ કરવો જોઈએ. આ દિવસે ઘર સાફ ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે, સફાઇથી થતા સૂક્ષ્મ જીવોના નાશના પાપકર્મ માટે આપ  જવાબદાર બનો છો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!
CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ! 
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
જ્યારે ટેન્શનમાં સોનિયા ગાંધીએ વાજપેયીને લગાવ્યો ફોન, પૂછ્યું - 'તમે ઠીક છો?' જાણો પૂર્વ PMનો જવાબ
Embed widget