Chaitar Vasava Statement : AAPના MLAએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં ગઠબંધનને લઈને આપ્યું મોટુ નિવેદન
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં આપ્યું મોટુ નિવેદન. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. ચૈતર વસાવાનું સ્પષ્ટ માનવુ છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થાય.. જો સાથે લડીશું તો ચોક્કસ પરિવર્તન આવશે તેવો ચૈતર વસાવાએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો.
એટલુ જ નહીં.. આમ આદમી પાર્ટીમાં જૂથવાદને લઈને ચૈતર વસાવાએ કહ્યું કે પરિવાર મોટો થાય ત્યારે નાની મોટી હરીફાઈ થતી હોય છે.. અંદરો અંદર કોઈને કોઈ પદને લઈને હરીફાઈ થતી હોય છે.. પરંતુ ભાજપ અને કૉંગ્રેસ જેવી જૂથબંધ આમ આદમી પાર્ટીમાં નથી..






















