Shrawan 2025 : શ્રાવણ માસમાં મહાદેવને અર્પિત કરો આ પદાર્થ, આર્થિક લાભ માટે સિદ્ધિ પ્રયોગ
Shrawan 2025 : શ્રાવણ મહિનાનો પ્રારંભ 25 જુલાઇથી થશે. આ પાવન માસમાં મહાદેવની પૂજા આરાધનાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ માસમાં સુખ સંપદામાં વૃદ્ધિ કરવા અને મહાદેવના આશિષ મેળવવા માટે થતાં ઉપાય વિશે જાણીએ

Shrawan 2025 : શ્રાવણનો પ્રારંભ 25 જુલાઇ શુક્રવારથી થશે. આ પાવન મહિનો મહાદેવને સમર્પિત છે. આ અવસરે શ્રદ્ધાભાવથી જો મહાદેવની સેવા પૂજા અભિષેક કરવામાં આવે તો મનોકામનાની અચૂક પૂર્તિ થાય છે
જો આપ આર્થિક સમસ્યાથી પીડિત તો તો મહાદેવને શેરડીના રસ અર્પણ કરો. શેરડીના રસને જલની જેમ શિવલિંગ પર અર્પણ કરો. આર્થિક મુશ્કેલીનો અંત આવશે અને ધન આગમનને નવા વિકલ્પ ખૂલશે.
જો પરિવારનું કોઇ સભ્ય લાંબી બીમારીથી પીડિત હોય તો શ્રાવણ માસમાં મહામૃત્યજયના જાપ સાથે શિવલિંગ પર જળ ચઢાવો
જો આપ પરીક્ષામાં સફળ થવા માટે મહાદેવને આશિષ ઇચ્છો છો જો મહાદેવના શિવલિંગ પર દૂધ ચઢાવો.
જો આપના વ્યવસાયમાં કોઇ વિઘ્ન આવતા હોય કે લગ્નમાં પણ વિઘ્ન આવતા હોય તો મહાદેવને શેરડીના રસથી અભિષેક કરો. સમસ્યા દૂર થશે.
સંતાન પ્રાપ્તિ માટે મહાદેવને શ્રાવણના સોમવારે બે ફળ અર્પણ કરો આપની સંતાન પ્રાપ્તિની કામના પૂર્ણ થશે.
શ્રાવણ પૂર્ણિમા પર અચૂક કરો આ સિદ્ધ પ્રયોગ, ધનલાભ સાથે કર્જ અને શત્રુથી મળશે મુક્તિ
શ્રાવણમાં પૂર્ણિમાનું મહાત્મ્ય
શ્રાવણમાં પૂર્ણિમાના અવસરે પવિત્ર નદીમાં સ્નાનની સાથે વિશ્વના રક્ષક ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું અનેરુ મહત્વ છે. શ્રાવણ પૂર્ણિમાએ કેટલાક ઉપાયો કરવાથી ઋણથી મુક્તિ મળે છે. જો તમે પણ દેવા કે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણ પૂર્ણિમાના દિવસે કરો આ સિદ્ધ ઉપાય અચૂક કરો.
જો તમે શત્રુથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાના દિવસે 1.25 કિલો આખા ઘઉં અથવા જવ ઘરની દક્ષિણ દિશામાં શતભિષા નક્ષત્ર આવે ત્યાં સુધી રાખો. શતભિષા નક્ષત્રના દિવસે મંદિરમાં આખા અનાજનું દાન કરો. જ્યોતિષ શાસ્ત્ર માને છે કે આ ઉપાય કરવાથી શત્રુ પર વિજય પ્રાપ્ત થાય છે.
- જો તમે ઘરમાં પ્રવર્તી રહેલા વાસ્તુ દોષને દૂર કરવા માંગો છો તો પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી તુલસીના છોડને કાચું દૂધ ચઢાવો. તેની સાથે તુલસીના મૂળની માટીથી તિલક કરો. તમે પરિવારના અન્ય સભ્યોને પણ તિલક લગાવી શકો છો. આ ઉપાય કરવાથી પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદની સ્થિતિ છે, તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ સ્નાન અને ધ્યાન કર્યા પછી ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો. આ પછી કપાળ પર ચંદનનું તિલક લગાવો. તમે પરિવારના સભ્યોના કપાળ પર તિલક લગાવો આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે.
- જો તમે કરિયર કે બિઝનેસમાં ઉન્નતિ મેળવવા ઈચ્છતા હોવ તો શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ગરીબોમાં સિંઘાડાના લોટનું દાન કરો. આ ઉપાય કરવાથી તમને તમારી ઈચ્છા મુજબ વેપારમાં સફળતા મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો




















