શોધખોળ કરો

Navratri 2022: નવરાત્રીના અવસરે અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનો સમયમાં થયો ફેરફાર, જાણો શું છે નવું ટાઇમ ટેબલ

Navratri 2022: નવલી નવરાત્રી 26 સપ્ટેમ્બરે શરૂ થઇ રહી છે. ત્યારે શક્તિ આરાધનાને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ દરમિયાન અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Navratri 2022: નવલી નવરાત્રીને હવે ગણતરીમા દિવસો બાકી છે ત્યારે શક્તિ આરાધનાને લઈને માઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે, આ  દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આસો નવરાત્રીને લઈ અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કર્યો છે. તમને જણાવી દઈએ કે નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે. તેથી માઈ ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખીને મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે.

  • આસો સુદ એકમથી સવારે 30 થી 8 અને સાંજે 6.30 થી 7 વાગ્યે થશે આરતી
  • સવારે 8 થી 30 બપોરે 12.30 થી 4.15 સાંજે 7 થી 9 વાગ્યા સુધી થશે દર્શન
  • માતાજીને બપોરે 12 વાગ્યે રાજભોગ ધરાવાશે
  • આસો સુદ એકમને સવારે 9 થી 30  સુધી ઘટ સ્થાપન વિધિ થશે
  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
  • આસો સુદ આઠમને સવારે 46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
  • આસો સુદ દશમ ને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
  • આસો સુદ પૂનમ ને સવારે 6 વાગ્યે થશે આરતી

શારદીય નવરાત્રી  શા માટે ઉજવવામાં આવે છે?

હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલ કથાઓ અનુસાર, શક્તિના પ્રમુખ દેવતા દેવી દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો અને આસુરી શક્તિઓનો નાશ કર્યો. જ્યારે દેવી દુર્ગાએ મહિષાસુર પર આક્રમણ કર્યું ત્યારે તેની સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેને મારી નાખ્યો. તે સમય આસો માસનો હતો. તેથી, આસો મહિનાના આ નવ દિવસો શક્તિની ઉપાસના માટે સમર્પિત હતા. પંચાંગ અનુસાર, શરદ ઋતુ પણ આસો મહિનામાં શરૂ થાય છે, તેથી તેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીનો 10મો દિવસ વિજયાદશમી તરીકે ઉજવવામાં આવે છે.

Navratri 2022 : નવરાત્રીમાં જરૂર કરો આ ઉપાય, મા લક્ષ્મીની રહેશે કૃપા

નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રીનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ રહ્યો છે અને 5 ઓક્ટોબર 2022ના રોજ સમાપ્ત થશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે શારદીય નવરાત્રીમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે.

દેવી શક્તિની આરાધનાનો તહેવાર શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રી આશો  મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શરૂ થાય છે. 9 દિવસના આ ઉત્સવમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીમાં કેટલાક ઉપાય કરવા પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી નવરાત્રી દરમિયાન મા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પૈસા ખૂટતા નથી.

નવરાત્રીના પહેલા દિવસે પૂજા શરૂ કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર કેરી અથવા અશોકના પાનનો બંદનવર લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.નવરાત્રીના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ સિંદૂરથી સ્વસ્તિક ચિન્હ બનાવો અને હળદર મિશ્રિત જળ અર્પણ કરો.

નવરાત્રી દરમિયાન માતા લક્ષ્મીના મંદિરના દર્શન કરો. આ પછી લાલ કપડામાં થોડું કેસર, હળદર અને ચોખા બાંધીને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને બચેલા ચોખા સાથે તમારા ઘરે પાછા ફરો. તમે જ્યાં ઘરમાં રૂપિયા મુકો છો ત્યાં આ ચોખાનો છંટકાવ કરો. આ કારણે તમારે આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે. નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબના પાન અને અત્તર નાખીને ઘરના મુખ્ય દ્વાર પર રાખો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતા પણ દૂર થાય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રીના કોઈપણ દિવસે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ લગાવો. જેના કારણે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો વાસ રહે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
Embed widget