શોધખોળ કરો

Raksha Bandhan 2024: રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર નથી, ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કોણ કોને રાખડી બાંધી શકે છે

Raksha Bandhan 2024: શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધે છે. પરંતુ ગ્રંથો અનુસાર, પત્ની પણ પતિને રાખડી બાંધી શકે છે.

Raksha Bandhan 2024: આપણે બધા જાણીએ છીએ કે રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે, જેને રાખડી કહેવામાં આવે છે. પરંતુ ગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે પત્ની પણ પતિને રાખડી બાંધી શકે છે.

પ્રાચીન ગ્રંથોમાં વિશેષ રૂપે આનું મુખ્ય સૂત્ર મળે છે. સ્કંદ પુરાણ શ્રાવણ માહાત્મ્ય અધ્યાય ક્રમાંક 21, નારદ પુરાણ અને ભવિષ્ય પુરાણ (ઉત્તર પર્વ અધ્યાય ક્રમાંક 137)માં લખ્યું છે કે જ્યારે દેવાસુર સંગ્રામમાં અસુરો પરાજિત થયા ત્યારે તેઓ તેમના ગુરુ શુક્રાચાર્ય પાસે આ હારનું કારણ જાણવા પહોંચ્યા.

ઇન્દ્રાણી શચીએ ઇન્દ્રના કાંડા પર બાંધ્યું હતું રક્ષાસૂત્ર

શુક્રાચાર્યે જણાવ્યું કે ઇન્દ્રાણી શચીએ ઇન્દ્રના કાંડા પર તેમની સુરક્ષા માટે એક રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તે જ રક્ષાસૂત્રે તેમને બચાવ્યા. આ કથા કૃષ્ણે યુધિષ્ઠિરને કહી હતી અને તેની વિધિ પણ જણાવી હતી.

રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ખૂબ જ ઉત્સાહ અને જોશ સાથે દર વર્ષે મનાવવામાં આવે છે. આ તહેવારને હંમેશા ભાઈ બહેન વચ્ચેના ગાઢ પ્રેમ અને અતૂટ બંધનની ભાવના સાથે જોડવામાં આવે છે. પરંતુ રક્ષાબંધન પર રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધવાથી અન્ય ઘણા તર્કો છુપાયેલા છે. કેટલીક કથાઓમાં દ્રૌપદી દ્વારા કૃષ્ણના કાંડા પર ઘા લાગવા પર કપડાનો ટુકડો બાંધીને તેમની કૃપા મેળવવાની વાત કહેવામાં આવે છે અથવા માતા પાર્વતી દ્વારા ભગવાન વિષ્ણુને રાખડી બાંધવાની વાત કહેવામાં આવે છે.

તો કેટલાક બલિ અને પાતાળ લોકની કથા કહીને તો કોઈ યમુના અને યમરાજની કથા કહીને આની સ્વીકૃતિ મેળવે છે. પરંતુ આ માત્ર દંતકથાઓ છે. કારણ કે આવું કોઈ પ્રાચીન ગ્રંથમાં ઉલ્લેખિત નથી. ન તો વ્યાસજીએ મહાભારતમાં આનું વર્ણન કર્યું છે ન તો વેદ કે પુરાણમાં આની ચર્ચા છે.

શું રક્ષાબંધન માત્ર ભાઈ બહેનનો તહેવાર છે

પહેલાના સમયમાં પુરોહિત એક પોટલીને દોરાથી બાંધીને, કાંડા પર બાંધતા હતા. તે પોટલીમાં ચોખા, પીળી રાઈ, ચંદન વગેરે તાંબાના પત્રમાં બંધાયેલા રહેતા હતા જે મંત્રોના ઉચ્ચારણ પછી બાંધવામાં આવતા હતા (યેન બદ્ધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલઃ। તેન ત્વામનુબધ્નામિ રક્ષે મા ચલ મા ચલ।।ભવિષ્ય પુરાણ ઉત્તર પર્વ 137.20). સમય સાથે આ તહેવાર ઘણી રીતે બદલાતો ગયો અને વિશાળ સ્તરે ભાઈ–બહેનનો તહેવાર બની ગયો. જાતિ, ધર્મ વગેરે બધું છોડીને બહેન ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર બાંધે છે અને અપેક્ષા રાખે છે કે માત્ર અવિરત સ્નેહ અને લાડ મળે. આ એક પ્રકારે સુરક્ષાનું વચન છે.

કોણ કોને રાખડી બાંધી શકે છે (Who can tie Rakhi to whom)

માતા તેના પુત્રને.

પુત્રી તેના પિતાને.

બહેન ભાઈને.

વિદ્યાર્થી તેના ગુરુને.

બ્રાહ્મણ કોઈ ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્રને.

પૌત્ર પૌત્રી તેમના દાદા દાદીને.

મિત્ર તેના મિત્રને.

પત્ની તેના પતિને.

સૈનિકોને (આ સૌથી નેક કામ છે કારણ કે સેનાને આ રક્ષાસૂત્રની જરૂર હોય છે.)

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (મુંબઈ) એકબીજાને પોતાને રક્ષાસૂત્ર બાંધે છે રક્ષા માટે.

પાલીવાલ બ્રાહ્મણ કેમ નથી મનાવતા રક્ષાબંધનનો તહેવાર (Why Paliwal not celebrate Rakshabandhan)

ભવિષ્ય પુરાણમાં રક્ષાબંધન એટલે કે શ્રાવણ પૂર્ણિમાના દિવસે પિતૃઓને તર્પણ આપવું પણ સારું માનવામાં આવે છે (ભવિષ્ય પુરાણ, ઉત્તર પર્વ 137), તો માત્ર ભાઈ બહેન જ નહીં પરંતુ રાખડી બાંધવું એ વ્યાપક કામ છે. બારમી સદીના બ્રાહ્મણ (પાલીવાલ)એ ક્ષત્રિયોને રાખડી બાંધી હતી આનું ઉદાહરણ છે 1273માં પાલીવાલ બ્રાહ્મણોએ ક્ષત્રિય રાજા રાવ રાઠોડની સુરક્ષા માટે રાખડી બાંધી હતી. રાજા વીરતાથી લડ્યા પરંતુ આખું ગામ મારી નાખવામાં આવ્યું હતું. આથી આજે પણ પાલીવાલ બ્રાહ્મણ રાખડી નથી બાંધતા.

આ પણ વાંચોઃ Raksha Bandhan 2024: રક્ષાબંધન પર બહેનો સવારના સમયે ભાઈના હાથ પર રાખડી નહીં બાંધી શકે, જાણો કેમ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: ચંદ્ર ગ્રહણની આપના જીવન પર શું થશે અસર, જાણો 12 રાશિ પર પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Chandra Grahan 2026: 3 માર્ચ થશે ચંદ્ર ગ્રહણ, આ 4 રાશિ પર બ્લડ મૂનની થશે અસર, જાણો જ્યોતિષી પ્રભાવ
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope:ફાગણ તેરસ પર બની રહ્યો છે, રવિ-પુષ્ય યુતિનો દુર્લભ યોગ, જાણો રાશિ પર અસર
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?
Today's Horoscope: શનિવાર કઇ રાશિ માટે રહેશે ફળદાયી અને કઇ રાશિને પડકારનો કરવો પડશે સામનો?

વિડિઓઝ

Ahmedabad News : અમદાવાદના શાહ આલમ ટોલનાકા પાસે યુવતીને બુરખો હટાવવાનું કહેતા બબાલ
Hun To Bolish : હું તો બોલીશ : એક વર્ષમાં બુલેટ ટ્રેન
Hun To Bolish: હું તો બોલીશ : વિશ્વ યુદ્ધના ભણકારા ?
Hun To Bolish: હું તો બોલીશ : બેફામ ગૌહત્યારા
Dwarka DJ News : દ્વારકામાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 14 ડી.જે. કરાયા ડિટેઇન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
IND vs WI: ઈડન ગાર્ડન્સમાં ભારતનો વિજયી હુંકાર, વિન્ડિઝને હરાવી સેમિફાઈનલમાં એન્ટ્રી
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
ટ્રમ્પનો મોટો ધડાકો: 'એક જ ઝાટકે 48 ઈરાની નેતાઓ સાફ', ઇઝરાયલ-ઈરાન યુદ્ધમાં નવો વળાંક!
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
પીએમ મોદીએ બોલાવી CCS બેઠક: મધ્ય પૂર્વના તણાવ અને ભારતીયોની સુરક્ષા પર થશે મોટી ચર્ચા
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
ખામેનીના નિધનથી ભારતમાં આક્રોશ: કાશ્મીરથી કર્ણાટક સુધી વિરોધ પ્રદર્શન અને શોક સભાઓ
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
કોણ છે અલીરેઝા અરાફી? ખામેનીના મોત બાદ ઈરાનના નવા સુપ્રીમ લીડરની કટ્ટર વિચારધારાથી દુનિયા ચિંતિત
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
સાવધાન! ગુજરાતમાં માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
પાકિસ્તાન બાદ ઈરાનમાં પણ ચીની સિસ્ટમ ફેલ, HQ 9B ને ઈઝરાયલી મિસાઈલોએ ઉડાવી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
મધ્ય પૂર્વમાં યુદ્ધની અસર: CBSE એ 2 માર્ચની ધો. 10-12 ની પરીક્ષા રદ કરી
Embed widget