શોધખોળ કરો

Raksha Bandhan 2024: રક્ષાબંધન પર બહેનો સવારના સમયે ભાઈના હાથ પર રાખડી નહીં બાંધી શકે, જાણો કેમ?

Raksha Bandhan 2024: રક્ષાબંધનમાં ભદ્રાકાળ (Bhadra) દરમિયાન રાખડી બાંધવી જોઈએ નહીં. રક્ષાબંધનના દિવસે સવારે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્ત નથી. જાણીએ રાખડી બાંધવાનો શુભ સમય ક્યારે છે.

Raksha Bandhan 2024: રક્ષાબંધન ભાઈ બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને સ્નેહનું પર્વ છે. પંચાંગ (Panchang) અનુસાર દર વર્ષે રક્ષાબંધનનું તહેવાર શ્રાવણ પૂર્ણિમા (Sawan Purnima 2024)ના દિવસે મનાવવામાં આવે છે, જે ઓગસ્ટ મહિનામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટ 2024ના રોજ દેશભરમાં રક્ષાબંધનનું પર્વ મનાવવામાં આવશે અને એ જ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રક્ષાસૂત્ર (રાખડી) બાંધશે.

રક્ષાબંધનમાં રાખડી હંમેશા શુભ મુહૂર્તમાં જ બાંધવામાં આવે છે. ખાસ કરીને ભદ્રાકાળ (Bhadra Kaal) દરમિયાન રાખડી બાંધવાનું ટાળવું જોઈએ. આ જ કારણ છે કે રાખડી બાંધતા પહેલા બધા લોકો મુહૂર્ત જરૂર જુએ છે. કારણ કે અશુભ મુહૂર્તમાં રાખડી બાંધવી સારી માનવામાં આવતી નથી.

પરંતુ પંચાંગ અનુસાર આ વર્ષે રક્ષાબંધન પર સવારના સમયે રાખડી બાંધવા માટે કોઈ શુભ મુહૂર્ત નથી. એટલે કે સવારના સમયે બહેનો ભાઈના હાથ પર રાખડી નહીં બાંધી શકે. આવી સ્થિતિમાં જાણી લો કે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે શું છે શુભ મુહૂર્ત અને કયા સમયે ભાઈને રાખડી બાંધી શકાશે.

રાખડી બાંધવા માટે સવારે કોઈ મુહૂર્ત નથી (Rakhi tie Muhurat)

જ્યોતિષાચાર્ય અનીષ વ્યાસ અનુસાર, 19 ઓગસ્ટે શ્રાવણ પૂર્ણિમાના દિવસે સવારે 3 વાગીને 4 મિનિટે પૂર્ણિમા તિથિ લાગશે, જેનો સમાપન રાત્રે 11 વાગીને 55 મિનિટે થશે. આખો દિવસ પૂર્ણિમા તિથિ હોવા છતાં સવારે રાખડી નહીં બાંધી શકાય, કારણ કે આ દિવસે સૂર્યોદય પહેલાથી જ ભદ્રા (Bhadra)નો સમય રહેશે, જે બપોરે 1 વાગીને 29 મિનિટે સમાપ્ત થશે.

વાસ્તવમાં ભદ્રા કાળમાં રાખડી બાંધવી ખૂબ અશુભ હોય છે. માન્યતા છે કે, રાવણ (Ravana)ની બહેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જે તેના મૃત્યુનું કારણ બની. ત્યારથી કોઈપણ બહેન ભદ્રામાં તેના ભાઈને રાખડી બાંધતી નથી.

આવી સ્થિતિમાં તમે બપોરે 01 વાગીને 32 મિનિટ પછી ભાઈને રાખડી બાંધી શકો છો. કારણ કે આ સમયે ભદ્રા સમાપ્ત થઈ જશે. રાખડી બાંધવા માટે બપોરે દોઢ વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો સૌથી શુભ સમય રહેશે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અહીં એ જણાવવું જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ Shani Pradosh Vrat 2024: શનિ કષ્ટ આપી રહ્યા છે તો શ્રાવણ શનિ પ્રદોષ વ્રતમાં કરો આ અચૂક ઉપાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget