![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surya Grahan 2023 :કાલે થશે સૂર્યગ્રહણ,શું ભારતમાં દેખાશે, જાણો કઇ રાશિ પર શુ થશે અસર
સૂર્યના ગ્રહ પરિવર્તનને કારણે શનિનો સિંહ રાશિ પર સીધો પ્રભાવ છે. કહેવાય છે કે શનિ જ્યાં જુએ છે ત્યાં તબાહી મચાવે છે. તેથી, શનિની નજર સિંહ રાશિ પર છે, તેથી સિંહ રાશિને પણ લાભ થશે નહીં.
![Surya Grahan 2023 :કાલે થશે સૂર્યગ્રહણ,શું ભારતમાં દેખાશે, જાણો કઇ રાશિ પર શુ થશે અસર Solar eclipse will happen tomorrow, will it be visible in India, know what effect it will have on various zodiac sign Surya Grahan 2023 :કાલે થશે સૂર્યગ્રહણ,શું ભારતમાં દેખાશે, જાણો કઇ રાશિ પર શુ થશે અસર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/13/74f19a1c27a76f9744f1229ad79341dc169720743193481_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surya Grahan 2023 :સૂર્યગ્રહણની ઘટના 14 ઓક્ટોબરે જોવા મળશે. તો ચંદ્રગ્રહણ 28 ઓક્ટોબરે થશે. જો કે સૂર્યગ્રહણ માત્ર અમેરિકામાં જ જોવા મળશે. આ વલયાકાર સૂર્યગ્રહણ અમેરિકાના કેટલાક રાજ્યો અને મેક્સિકોના કેટલાક ભાગોમાં થશે. બાકીના યુએસમાં તે અડધા અડધુ દેખાશે.
ઓક્ટોબરમાં બે મહત્વની ખગોળીય ઘટનાઓ બનવાની છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવાનું છે. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ જોવા મળશે. આ વલયાકાર સૂર્યગ્રહણ હશે. બે અઠવાડિયા બાદ 28 ઓક્ટોબરે ચંદ્રગ્રહણ જોવા મળશે. યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિકના ભાગોમાં દેખાશે. ચંદ્રગ્રહણ પૂર્ણ ચંદ્ર દરમિયાન થશે. આ સ્થિતિ ત્યારે થશે જ્યારે પૃથ્વી બરાબર ચંદ્ર અને સૂર્યની વચ્ચે હશે.
હાલમાં મિથુન, તુલા, મકર, કુંભ અને વૃષભ જેવી તમામ રાશિઓને તાત્કાલિક લાભ મળશે, પરંતુ તેમણે કહ્યું કે 31 ઓક્ટોબર, 2023 પછી મેષ, વૃશ્ચિક, મિથુન, કર્ક, કન્યા, મીન અને ધનુરાશિને ઘણો ફાયદો થશે.
સૂર્યના ગ્રહ પરિવર્તનને કારણે શનિનો સિંહ રાશિ પર સીધો પ્રભાવ છે. કહેવાય છે કે શનિ જ્યાં જુએ છે ત્યાં તબાહી મચાવે છે. તેથી, શનિની નજર સિંહ રાશિ પર છે, તેથી સિંહ રાશિને પણ લાભ થશે નહીં. સૂર્ય તુલા રાશિમાં જવાથી તુલા રાશિને પણ લાભ નહીં થાય. અને બાકીની અન્ય રાશિઓની સ્થિતિ સામાન્ય રહેશે.
સૂર્ય દેવ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં જશે
18 ઓક્ટોબરે સૂર્ય કન્યા રાશિમાંથી તુલા રાશિમાં જશે. જ્યાં સુધી લાભની વાત છે, મેષ રાશિ પર રાહુ અને ગુરુના સંયોગથી ચાંડાલ યોગ પહેલેથી જ બની રહ્યો છે. મંગળ તેનો ગુરુ છે, તેથી તેનો લાભ નહીં મળે. મેષ રાશિને 31 ઓક્ટોબર સુધી લાભ નહીં થાય.
આ પણ વાંચો
ખાલિસ્તાન સમર્થકોની ધમકી બાદ ભારત સરકાર એલર્ટ, વિદેશ મંત્રી જયશંકરને મળશે Z શ્રેણીની સુરક્ષા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)