શોધખોળ કરો

મારુતિ સુઝુકીએ સ્ટીયરીંગ રોડની સમસ્યા બાદ 87000 કાર પરત ખેંચી, તમારી પાસે પણ આ કાર હોય તો કંપનીનો કરો સંપર્ક

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો સામે આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા બોલાવ્યા છે. આ અંગે શેરબજારોને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત મારુતિ એસ પ્રેસો અને ઈકો વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે.

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા બોલાવવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત બોલાવ્યા છે.

મારુતિ સુઝુકીએ અગાઉ 24 જાન્યુઆરીએ ગ્રાન્ડ વિટારાના 11,177 યુનિટ પાછા બોલાવ્યા હતા. પાછળની સીટના સીટ બેલ્ટ માઉન્ટિંગ બ્રેકેટમાં ટેક્નિકલ ખામીને કારણે કંપનીએ 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત એસયુવીને પાછી બોલાવી હતી.

18 જાન્યુઆરી, 2023ના રોજ, કંપનીએ 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે ઉત્પાદિત 17,362 વાહનોને પાછા બોલાવ્યા. તેમાં Alto K10, S-Presso, Eeco, Brezza Grand Vitara અને Baleno સામેલ છે. આ વાહનોના એરબેગ કંટ્રોલર્સમાં ખામી હતી.

અગાઉ, કંપનીએ 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે ઉત્પાદિત કુલ 9,125 વાહનોને પાછા બોલાવ્યા હતા. આ મોડલમાં Ciaz, Brezza, Ertiga, XL6 અને Grand Vitara સામેલ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે ખામીયુક્ત પાર્ટને રિપ્લેસમેન્ટ વિના મૂલ્યે મળશે.

ગયા વર્ષે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ તેના ત્રણ મોડલ વેગન આર, સેલેરિયો અને ઈગ્નિસના 9,925 યુનિટ પાછા બોલાવ્યા હતા. કારણ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં ખામી હતી. આ વાહનોનું ઉત્પાદન 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: Maruti એ લોન્ચ કરી ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર,જાણો તેની વિશેષતા
હવે પેટ્રોલ-ડીઝલનું ટેન્શન ખતમ: Maruti એ લોન્ચ કરી ભારતની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર,જાણો તેની વિશેષતા
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
માત્ર ₹6.99 લાખમાં 360-ડિગ્રી કેમેરાવાળી 5 બેસ્ટ કાર, મોંઘી SUV ના ફીચર્સ પણ ફિક્કા લાગે
માત્ર ₹6.99 લાખમાં 360-ડિગ્રી કેમેરાવાળી 5 બેસ્ટ કાર, મોંઘી SUV ના ફીચર્સ પણ ફિક્કા લાગે
પેટ્રોલના ટેન્શનને કહો બાય-બાય! 1 કિલો CNGમાં 34 કિમી સુધી માઇલેજ આપતી આ ટોપ 5 કાર
પેટ્રોલના ટેન્શનને કહો બાય-બાય! 1 કિલો CNGમાં 34 કિમી સુધી માઇલેજ આપતી આ ટોપ 5 કાર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
Free laptop Scheme: બાળકોને મફત લેપટોપ આપી રહી છે સરકાર? PIBએ વાયરસ મેસેજ પાછળનું જણાવ્યું સત્ય
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
IRCTC Package: શ્રાવણ મહિનામાં કરો 7 જ્યોતિર્લિંગના દર્શન! IRCTC લાવ્યું 14 દિવસનું શાનદાર પેકેજ
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Embed widget