શોધખોળ કરો

મારુતિ સુઝુકીએ સ્ટીયરીંગ રોડની સમસ્યા બાદ 87000 કાર પરત ખેંચી, તમારી પાસે પણ આ કાર હોય તો કંપનીનો કરો સંપર્ક

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે.

નવી દિલ્હીઃ ભારતમાં સૌથી વધુ વેચાતી કાર મારુતિ સુઝુકીના વાહનોમાં ગરબડની ફરિયાદો સામે આવી છે. કાર નિર્માતાએ ખામીને સુધારવા માટે તેના 87,599 યુનિટ પાછા બોલાવ્યા છે. આ અંગે શેરબજારોને માહિતી આપતા મારુતિ સુઝુકીએ કહ્યું છે કે 5 જુલાઈ, 2021 અને 15 ફેબ્રુઆરી, 2023 વચ્ચે ઉત્પાદિત મારુતિ એસ પ્રેસો અને ઈકો વાહનોમાં ખામીની ફરિયાદો મળી છે. તેમના સ્ટીયરીંગ રોડમાં ગરબડ હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ફરિયાદો બાદ કાર નિર્માતાએ આ એકમોને પાછા બોલાવવાનું શરૂ કર્યું છે.

વાહનોને લઈને સતત ફરિયાદો બાદ ઓટોમોબાઈલ કંપનીએ ફરી એકવાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. મારુતિના વાહનોના 87599 યુનિટ પાછા બોલાવવામાં આવી રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીએ કહ્યું કે તેમને શંકા છે કે આ વાહનોમાં ઉપયોગમાં લેવાતા સ્ટીયરિંગ ટાઈ રોડના એક ભાગમાં ખામી છે. જે ટૂંક સમયમાં ઠીક કરવામાં આવશે. જે વાહનોમાં ફરિયાદો આવી રહી છે તેને તાત્કાલિક સુધારવામાં આવી રહી છે.

કંપનીએ સાવચેતીના પગલા તરીકે બંને કારને રિકોલ કરવાનું શરૂ કરી દીધું છે. કંપની મારુતિ S-Presso અને Eeco માં ખામીને કોઈ પણ ખર્ચ વિના બદલશે. જો તમારી પાસે પણ મારુતિના આ વાહનો છે, તો તમારે અધિકૃત વર્કશોપ કસ્ટમર કેરનો સંપર્ક કરવો પડશે અને તેમને તમારી સમસ્યા જણાવવી પડશે. કંપની આ કારોને બિલકુલ ફ્રીમાં ચેક કરશે અને રિપ્લેસ કરશે. આ પહેલો કિસ્સો નથી. મારુતિ સુઝુકીએ આ વર્ષે ત્રણ વખત પોતાના વાહનોને પરત મંગાવ્યા છે. જાન્યુઆરીમાં, કંપનીએ 17,362 વાહનોને રિકોલ કર્યા હતા, જ્યારે એપ્રિલમાં તેણે 7,213 વાહનોને રિકોલ કર્યા હતા. હવે ત્રીજી વખત કંપનીએ 87000થી વધુ વાહનોને પરત બોલાવ્યા છે.

મારુતિ સુઝુકીએ અગાઉ 24 જાન્યુઆરીએ ગ્રાન્ડ વિટારાના 11,177 યુનિટ પાછા બોલાવ્યા હતા. પાછળની સીટના સીટ બેલ્ટ માઉન્ટિંગ બ્રેકેટમાં ટેક્નિકલ ખામીને કારણે કંપનીએ 8 ઓગસ્ટ, 2022 અને નવેમ્બર 15, 2022 વચ્ચે ઉત્પાદિત એસયુવીને પાછી બોલાવી હતી.

18 જાન્યુઆરી, 2023ના રોજ, કંપનીએ 8 ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી 12, 2023 વચ્ચે ઉત્પાદિત 17,362 વાહનોને પાછા બોલાવ્યા. તેમાં Alto K10, S-Presso, Eeco, Brezza Grand Vitara અને Baleno સામેલ છે. આ વાહનોના એરબેગ કંટ્રોલર્સમાં ખામી હતી.

અગાઉ, કંપનીએ 2 થી 28 નવેમ્બર 2022 વચ્ચે ઉત્પાદિત કુલ 9,125 વાહનોને પાછા બોલાવ્યા હતા. આ મોડલમાં Ciaz, Brezza, Ertiga, XL6 અને Grand Vitara સામેલ છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં કહ્યું હતું કે ખામીયુક્ત પાર્ટને રિપ્લેસમેન્ટ વિના મૂલ્યે મળશે.

ગયા વર્ષે મારુતિ સુઝુકી ઈન્ડિયાએ પણ તેના ત્રણ મોડલ વેગન આર, સેલેરિયો અને ઈગ્નિસના 9,925 યુનિટ પાછા બોલાવ્યા હતા. કારણ પાછળની બ્રેક એસેમ્બલી પિનમાં ખામી હતી. આ વાહનોનું ઉત્પાદન 3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર, 2022 વચ્ચે કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
₹1,00,000 ડાઉન પેમેન્ટ પર Creta કે Sierra? જાણો કઈ કારનો હપ્તો સૌથી સસ્તો પડશે!
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?
Nexon કે Brezza, 1 લાખ ડાઉન પેમેન્ટ બાદ કોની EMI સસ્તી ?
મારુતિની આ છે સૌથી મજબૂત અને સુરક્ષિત કારો, જેને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!
મારુતિની આ છે સૌથી મજબૂત અને સુરક્ષિત કારો, જેને મળ્યું છે 5-સ્ટાર સેફ્ટી રેટિંગ!
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?
નવા અવતારમાં આવી રહી છે Toyota Hilux પિકઅપ, જાણો ફીચર્સ અને લુકમાં શું થશે ફેરફાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
પૂર્વ અગ્નિવીરો માટે સારા સમાચાર, SSBમાં મળશે 50 ટકા અનામત, પરીક્ષા વિના સીધી એન્ટ્રી
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળ
Guru Purnima: ગુરૂ પૂર્ણિમાના અવસરે કરો આ સિદ્ધ ઉપાય, ગુરૂ દોષ દૂર થવાની સાથે વ્યાપાર કરિયરમાં મળશે સફળતા
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
ગુરુ પૂર્ણિમા 2026: 29 જુલાઈ પછી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! નોકરી-ધંધામાં થશે મોટી પ્રગતિ
Embed widget