શોધખોળ કરો

"પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના" દરેક પરિવારમાં ખુશીની રોશની પ્રગટાવીને ભારતના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સૌર ઉર્જા અને દીર્ધકાલીન વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક નવી "પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના" શરૂ કરવાની જાહેરાત કરી છે.

સુરત: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સૌર ઉર્જા અને દીર્ધકાલીન વિકાસને પ્રોત્સાહન આપવા માટે એક નવી "પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના" શરૂ કરવાની જાહેરાત કરી છે. ફ્લેમ સોલરેનના સંસ્થાપક અને સીઈઓ હિરેન ધામેલીયાના જણાવ્યા અનુસાર, પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ આ યોજના ખરેખર, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક પરિવર્તનશીલ પગલું છે. આ પહેલનો ઉદ્દેશ, દેશને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર અને સમક્ષ બનાવવા સાથે સૌર ઉર્જા દ્વારા સમગ્ર દેશમાં 1 કરોડ પરિવારોના જીવનમાં ક્રાંતિ લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે, આ યોજના દ્વારા લોકોને તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 75000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવામાં આવશે. યોજના થકી દેશના એક કરોડ લોકોને દર મહિને લગભગ 300 યુનિટ સુધીની વીજળીની બચત થશે. જેના કારણે આ પરિવારોને ઘણી રાહત થશે. આ સિવાય તેઓ બાકીની વીજળી વેચીને પણ આવક મેળવી શકશે. આ યોજના લોકોને વીજળીના બિલમાં બચત કરવામાં, વધુ આવક મેળવવામાં અને રોજગારની નવી તકો ઊભી કરવામાં મદદ કરશે. તે ઉપરાંત સોલાર પેનલ લગાવવાથી પર્યાવરણ પણ સ્વચ્છ રહેશે. 

શ્રી ધામેલિયાએ ભારપૂર્વક જણાવ્યું કે, પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના, એ સોલર પેનલનું ઇન્સ્ટોલેશન માત્ર નહીં, પરંતુ તેના કરતા ધણું આગળ, દેશના સંખ્યાબંધ પરિવારો માટે આશાનું કિરણ છે. તે આવશ્યક જરૂરિયાતો માટે મહત્વપૂર્ણ સંસાધનોને મુક્ત રાખીને વીજળીના બિલના બોજમાંથી રાહત આપે છે. આ પહેલ માત્ર ખર્ચ-બચત ઉપરાંત, પરિવારો માટે જીવનની ગુણવત્તામાં પણ વધારો કરે છે. 

આ યોજનાની સાચી ક્રાંતિ તેના સર્વગ્રાહી સમાવેશી અભિગમમાં સમાયેલી છે. સબસિડીવાળા સોલાર પેનલ ઇન્સ્ટોલેશન દ્વારા, સરકાર સુનિશ્ચિત કરે છે કે, સ્વચ્છ ઉર્જા એ લક્ઝરી નથી પરંતુ બધા માટે મૂળભૂત અધિકાર છે. આ પ્રયાસ પર્યાવરણ જાળવણી સંદર્ભેની ચિંતામાંથી રાહત આપે છે તેમજ તે સશક્તિકરણ અને સમુદાયના સર્વાંગી વિકાસ અને નિર્માણ માટેનું પ્રમાણ છે. 

દરેક રુફટોપ સૌર ઉર્જા અપનાવવા સાથે જ ભારત સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્યની નજીક આગળ વધી રહ્યું છે. પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના માત્ર અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે નથી, પરંતુ તે, ભાવિ પેઢીઓ માટે પર્યાવરણની દ્રષ્ટિએ અનુકૂળ સંસ્કૃતિ પણ વિકસિત કરે છે. શ્રી ધામેલિયા આ વિચારો થકી આગામી પેઢી માટે સમૃદ્ધ વાતાવરણ સુનિશ્ચિત કરવાની કલ્પના ધરાવે છે. 

દેશ માટે કલ્યાણકારી એવી આ પહેલનું સૌથી હ્રદયસ્પર્શી પાસું તેનો માનવ-કેન્દ્રિત અભિગમ છે. બેંક ખાતામાં સબસિડી સીધી જમા કરીને, સરકાર ખાતરી કરે છે કે, લાભો સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે. આ સુવ્યવસ્થિત પ્રક્રિયા મધ્યસ્થીઓ અને અમલદારશાહીને બાયપાસ કરે છે તેમજ સરકારી સપોર્ટ સિસ્ટમ્સમાં લોકોના વિશ્વાસને પુનઃસ્થાપિત
કરે છે. 

ગ્રામીણ ખેડૂતો અને આદિવાસી સમુદાયો આ પહેલના મહત્વપૂર્ણ લાભાર્થીઓ છે. હકીકતમાં, સૌર ઉર્જા તેમના માટે માત્ર એક સુવિધા નથી; તે જીવનરેખા છે. તેમની છતો પર લાગેલી સૌર પેનલોથી આ સમુદાયો ખેતી, સિંચાઈ અને કનેક્ટિવિટી માટે વિશ્વસનીય વીજળી મેળવે છે. પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના આ સમુદાયોને સશક્ત બનાવે છે, જેની સૌથી વધુ જરૂર હોય તેવા ક્ષેત્રોમાં સમૃદ્ધિ અને પ્રગતિના નવા માર્ગો ખોલે છે.
 
આમ વાસ્તવમાં, પીએમ સૂર્યઘર મફત બિજલી યોજના માનવ જીવનના કલ્યાણ અને સમૃદ્ધ ભારતની આશા પ્રજ્વલિત કરે છે. તે એક રીમાઇન્ડર તરીકે કાર્ય કરે છે જે, કઠિન પડકારોનો સામનો કરવા છતાં, જો આપણે તેને સ્વીકારીએ તો ખરેખર તેનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. સૂર્યના તેજસ્વી પ્રકાશથી દરેક ઘર રોશન થવા સાથે ભારત, માત્ર એક રાષ્ટ્ર તરીકે નહીં, પરંતુ ટકાઉ પ્રગતિમાં વૈશ્વિક નેતા તરીકે તેની સંપૂર્ણ ક્ષમતાની નજીક પહોંચી રહ્યું છે. વધુ માહિતી માટે આ વેબસાઇટની મુલાકાત લો : https://flamesolren.com/ 

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

 

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Syria Crisis: સીરિયામાં તમામ ભારતીય સુરક્ષિત, વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Pushpa 2 એ હિન્દી બેલ્ટમાં ઇતિહાસ રચ્યો, 'પઠાણ'-'જવાન' અને 'એનિમલ'ને ઊંધા માથે પછાડી
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,  બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Accident: સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બંને કાર અથડાતા 7નાં કમકમાટીભર્યાં મૃત્યુ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Onion: નાના બાળકોને ડુંગળી ખવડાવી જોઇએ કે નહીં? જાણો શું છે તેના ફાયદા નુકસાન?
Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Aadhaar Update: આ તારીખ સુધી મફતમાં અપડેટ કરી શકશો આધાર કાર્ડ, નહી તો ચૂકવવા પડશે પૈસા
Patan:  હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Patan: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં, બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Banking Fraud: નકલી આધાર-પાન કાર્ડથી છેતરપિંડી થાય તો રૂપિયા કેવી રીતે મળશે પાછા
Embed widget