શોધખોળ કરો

Budget 2025: બજેટમાં 80C ની લિમિટ વધારી કરાશે 3 લાખ ? સરકાર મધ્યમ વર્ગને આપશે રાહત  

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ 2025માં આવકવેરા કાયદાની કલમ 80Cની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે.

નવી દિલ્હી:  મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં કરદાતાઓને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. મીડિયાના અહેવાલો અનુસાર, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ 2025માં આવકવેરા કાયદાની કલમ 80Cની મર્યાદા 1.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરી શકે છે. આ નિર્ણય દેશના કરોડો કરદાતાઓ માટે મોટા સારા સમાચાર સાબિત થઈ શકે છે.

કલમ 80C હેઠળ કરદાતાઓને 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવવાની તક મળે છે. આમાં પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS), જીવન વીમા પ્રીમિયમ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને બાળકોની ટ્યુશન ફી જેવી ઘણી બચત યોજનાઓનો સમાવેશ થાય છે. આ સુવિધા વ્યક્તિગત કરદાતાઓ અને હિંદુ અવિભક્ત પરિવાર (HUF) માટે ઉપલબ્ધ છે.

80C મર્યાદા છેલ્લે 2014માં વધારવામાં આવી હતી, જ્યારે તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ તેને 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી હતી. ત્યારપછી તેમાં કોઈ ફેરફાર થયો નથી.

કેટલાક વર્ષોમાં લોકોની આવક અને ખર્ચ બંનેમાં વધારો થયો

છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની આવક અને ખર્ચ બંનેમાં વધારો થયો છે, પરંતુ ટેક્સ સેવિંગ લિમિટમાં કોઈ વધારો થયો નથી. આ કારણે ઘણા કરદાતાઓને સમગ્ર મર્યાદાનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો આ મર્યાદા વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવે તો કરદાતાઓને વધુ ટેક્સ બચાવવા અને તેમની બચત વધારવાની તક મળશે.

આ નિર્ણય અમલમાં આવશે તો કરોડો કરદાતાઓને રાહત

કરદાતાઓને આશા છે કે 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા બજેટમાં 80C મર્યાદા વધારવામાં આવશે. જો આ નિર્ણય અમલમાં આવશે તો કરોડો કરદાતાઓને રાહત મળશે અને તેમની બચત યોજનાઓને પ્રોત્સાહન મળશે. સરકારનું આ પગલું કરદાતાઓને તો રાહત આપશે જ, પરંતુ તેમને લાંબા ગાળે બચત કરવા અને રોકાણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે. હવે જોવું એ રહ્યું કે બજેટમાં કરદાતાઓની આ અપેક્ષાઓ પૂરી થાય છે કે કેમ.

આ બજેટમાં મધ્યમ વર્ગને ઘણી અપેક્ષાઓ

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે. દેશના આર્થિક વિકાસ દરમાં મંદી અને માંગ અને વપરાશમાં ઘટાડા વચ્ચે, ઉદ્યોગ તેમજ મધ્યમ વર્ગને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે.       

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Embed widget