શોધખોળ કરો

Budget 2024: મુદ્રા લૉનની લિમીટ 10 લાખથી વધારાઇ, હવે વેપાર-ધંધા માટે મળશે આટલા લાખ, જાણી લો સ્કીમ

Pradhan Mantri Mudra Yojana Benefits: દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે

Pradhan Mantri Mudra Yojana Benefits: દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આ યોજના વિશે આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લૉનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લૉનની લિમીટને વધારી દેવામાં આવી છે. જાણો આ લૉન માટે શુ છે અપડેટ અને નવી જાહેરાતથી કોને તેનો લાભ મળશે.

વાસ્તવમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લૉન 20 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે પહેલા આ લૉન મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી. આવી સ્થિતિમાં મુદ્રા લૉન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. ખાસ વાત છે કે દેશમાં મુદ્રા લૉન લઇને કેટલાક નવા સ્ટાર્ટઅપ્સ આગળ વધ્યા છે, નવા વેપાર અને ધંધાને વેગ મળ્યો છે. નવીન સાહસ કરનારા લોકો માટે મુદ્રા લૉન મદદરૂપ સાબિત થાય છે. જાણો આ મુદ્રા લૉન યોજના વિશે...

શું છે આ યોજના ? 
વાસ્તવમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વિના 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. જો કે આજે બજેટમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ક્યારે શરૂ થઇ હતી આ યોજના ?
ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને થાય છે જેઓ સંસાધનોના અભાવે પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકતા નથી.

યોજના હેઠળ લાભાર્થીને મુદ્રા કાર્ડ મળે છે. મુદ્રા કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની જેમ જ થાય છે. આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસ સંબંધિત ખર્ચ માટે પૈસા લઈ શકો છો.

યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને દસ્તાવેજો

આ યોજનામાં કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 24 થી 70 વર્ષની વચ્ચે છે તે અરજી કરી શકે છે. લોન એપ્લિકેશન દ્વારા તમારે આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો વગેરેની જરૂર પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, mudra.org.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો. પછી ફોર્મમાં બધી માહિતી દાખલ કરો અને તેને તમારી નજીકની સરકારી અથવા ખાનગી બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમામ દસ્તાવેજો જોયા પછી તમારી લોન મંજૂર કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro | અમદાવાદ-ગાંધીનગર મેટ્રોમાં PM મોદીની વિદ્યાર્થીઓ સાથે ગોષ્ઠીHun To Bolish | હું તો બોલીશ | કેમ ફેલાઈ બીમારી?Hun To Bolish | હું તો બોલીશ | ખનીજ માફિયાના બાપ કોણ?PM Modi Gujarat Visit | વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન, આવકારવા કોણ કોણ પહોચ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Weather Updates: ચોમાસું ક્યારે પૂર્ણ થશે, હવામાન વિભાગે આપી જાણકારી   
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી, આ તારીખથી ફરી ભુક્કા બોલાવશેઃ પરેશ ગોસ્વામીની આગાહી
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
PM Modi Gujarat Visit: અમદાવાદ મેટ્રોમાં PM મોદીની સફર, તસવીરોમાં જુઓ કોની સાથે કરી વાત
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
Ganesh Visarjan 2024 Muhurat: ગણેશ વિસર્જન માટે 4 શુભ મુહૂર્ત, જાણો ઘરમાં કેવી રીતે કરશો બાપાનું વિસર્જન
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
BSNL એ યુઝર્સની મોટી ચિંતા દૂર કરી, દૈનિક 3 રૂપિયાથી પણ ઓછા ખર્ચમાં 300 દિવસ સુધી સિમ રહેશે એક્ટિવ
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: આગામી ચાર દિવસ સુધી રહેશે વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Embed widget