શોધખોળ કરો
આજથી આ જગ્યા પર નહીં મળે McDonaldના બર્ગર, 169 રેસ્ટોરાં થઈ રહ્યા છે બંધ
1/4

નવી દિલ્હીઃ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં મંગળવારે કનોટ પ્લાઝા રેસ્ટોરાં (સીઆરપીએલ)ની અરજી ફગાવ્યા બાદ આજથી ઉત્તર અને પૂર્વ ભારતમાં મેકડોનાલ્ડ્સના અનેક રેસ્ટોરાં બંધ થવા જઈ રહ્યા છે જેના કારણે આ ક્ષેત્રમાં મેકડોનાલ્ડના બર્ગ નહીં મળશે. અમેરિકન ફૂડ ચેન McDonaldએ સીઆરપીએલ સાથેનો કરાર તોડી નાંખ્યો છે અને સીઆરપીએલને કહ્યું છે કે, તે 6 સપ્ટેમ્બરથી તેની બ્રાન્ડનો ઉપયોગ નહીં કરી શકે.
2/4

સીઆરપીએલના બિક્રમ બખ્શીએ McDonaldના આ નિર્ણય વિરૂદ્ધ નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલમાં અરજી કરી હતી જે મંગળવારે ફગાવી દેવામાં આવી હતી. McDonald બ્રાન્ડ હેઠળ સીઆરપીએલ ઉત્તર અને પૂર્વ ભારતમાં 169 રેસ્ટોરાંનું સંચાલન કરતી હતી પરંતુ હવે તે બંધ થવાનું જોખમ વધી ગયું છે. આ રેસ્ટોરાંમાં અંદાજે 7000 લોકો કામ કરતા હતા અને તેમની નોકરી પર પણ જોખમ ઉભું થયું છે.
Published at : 06 Sep 2017 02:17 PM (IST)
Tags :
Business News In HindiView More






















