દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવેનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, માત્ર અઢી કલાકમાં પહોંચી શકશો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલ, 2026 ના રોજ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે બંને શહેરો વચ્ચેનો છ કલાકનો પ્રવાસ હવે ઘટીને માત્ર અઢી કલાક થઈ ગયો છે.

- દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન, મુસાફરીનો સમય ઘટ્યો.
- ₹12,000 કરોડથી વધુ ખર્ચે બનેલ કોરિડોરનો આજથી શુભારંભ.
- ઉત્તરાખંડના વિકાસમાં મહત્વનો ફાળો આપશે આ કોરિડોર.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર, 14 એપ્રિલ, 2026 ના રોજ દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન કર્યું. આ સાથે બંને શહેરો વચ્ચેનો છ કલાકનો પ્રવાસ હવે ઘટીને માત્ર અઢી કલાક થઈ ગયો છે. આ એક્સપ્રેસવે દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોને દિલ્હી અને દહેરાદૂન વચ્ચે મુસાફરી કરવામાં ઘણી સુવિધા આપશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે દિલ્હી-દહેરાદૂન કોરિડોર એક વિશાળ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટનો મોટો ભાગ ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે.
213 કિમી લાંબો, છ લેનનો દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોર ₹12,000 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાંથી પસાર થાય છે અને દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય હાલના છ કલાકથી ઘટી લગભગ અઢી કલાક રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની તેમની મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન મંગળવારે દહેરાદૂનમાં એક જાહેર સમારોહમાં દિલ્હી-દહેરાદૂન કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું. એક વિશાળ સભાને સંબોધિત કરી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા.
#WATCH | Dehradun, Uttarakhand: Prime Minister Narendra Modi inaugurates the Delhi–Dehradun Economic Corridor.
— ANI (@ANI) April 14, 2026
The corridor will reduce travel time between Delhi and Dehradun from over 6 hours to around 2.5 hours. It has been designed with several features aimed at significantly… pic.twitter.com/JZj6J4UUbT
વિશાળ સભાને સંબોધતા તેમણે કહ્યું, "આજે, દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના ઉદ્ઘાટન સાથે આ પ્રગતિમાં બીજી એક મોટી સિદ્ધિ ઉમેરાઈ છે. તમને યાદ હશે કે બાબા કેદારનાથની મુલાકાત લીધા પછી મેં સ્વયંભૂ કહ્યું હતું કે આ સદીનો ત્રીજો દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. મને ખૂબ આનંદ છે કે, ડબલ-એન્જિન સરકારની નીતિઓ અને ઉત્તરાખંડના લોકોની મહેનતને કારણે આ યુવા રાજ્ય વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે."
દિલ્હી-દહેરાદૂન આર્થિક કોરિડોરના ઉદ્ઘાટન પહેલાં પીએમ મોદી સહારનપુર થઈને દહેરાદૂનના કાલી મંદિર પહોંચ્યા જ્યાં તેમણે પૂજા કરી હતી. અગાઉ, સવારે લગભગ 11:15 વાગ્યે, પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના સહારનપુરમાં દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેના એલિવેટેડ સેક્શન પર બનેલા વાઇલ્ડલાઇફ કોરિડોરની સમીક્ષા કરી અને એક ભવ્ય રોડ શો યોજ્યો, જ્યાં મોટી સંખ્યામાં લોકો દ્વારા પીએમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટનો હેતુ દિલ્હી અને દહેરાદૂન વચ્ચે મુસાફરીનો સમય ઘટાડવાનો છે, જેનાથી પર્યટનને વેગ મળશે અને વ્યાપારિક પ્રવૃત્તિઓને ઉત્તેજીત કરવામાં આવશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સહયોગથી વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ આધુનિક ઇજનેરીનું એક અનોખું ઉદાહરણ છે. આશરે 13,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં એશિયાનો સૌથી લાંબો 12 કિલોમીટરનો એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર અને 340 મીટરની ટનલનો સમાવેશ થાય છે.






















