શોધખોળ કરો

બિહારના રાજકારણમાં મોટો ઉલટફેર: નીતિશ કુમારની વિદાય, ભાજપના આ નેતા બનશે મુખ્યમંત્રી, નામ થયું ફાઈનલ

ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સમ્રાટ ચૌધરીની પસંદગી; 15 એપ્રિલે લોકભવનમાં લેશે શપથ. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું- 'નવી સરકારને મારો પૂરો ટેકો અને માર્ગદર્શન રહેશે.'

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નીતિશ કુમારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, સમ્રાટ ચૌધરી બનશે મુખ્યમંત્રી.
  • નીતિશ કુમારે નવી સરકારને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો, વડાપ્રધાનનો આભાર માન્યો.
  • નીતિશ કુમારે 2005 થી અત્યાર સુધીના વિકાસ કાર્યોની યાદ અપાવી.
  • 2025-2030 માટે '7 નિશ્ચય-3' રોડમેપ સાથે પ્રગતિનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

Samrat Choudhary Bihar CM: બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક અને મોટો ફેરફાર જોવા મળ્યો છે. લાંબા સમય સુધી સત્તાનું સુકાન સંભાળ્યા બાદ નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે રાજ્યની કમાન સમ્રાટ ચૌધરીના હાથમાં જશે. સમ્રાટ ચૌધરીને સર્વાનુમતે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે અને તેઓ આવતીકાલે, 15 એપ્રિલે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે નવી સરકારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતા બિહારના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી છે.

એક જ કારમાં રાજભવન પહોંચ્યા નીતિશ અને સમ્રાટ

આજે બિહારના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી હતી. નીતિશ કુમારે સત્તાવાર રીતે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે. આ ઘટનાક્રમમાં સૌથી ખાસ વાત એ રહી કે, તેઓ સમ્રાટ ચૌધરી અને વિજય ચૌધરી સાથે એક જ કારમાં બેસીને રાજભવન પહોંચ્યા હતા. આ પહેલા, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને પણ નીતિશ કુમાર સાથે ખાસ મુલાકાત કરી હતી, જેમાં સમ્રાટ ચૌધરી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. NDA ની બેઠક બાદ આ અંગેની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે અને 15 એપ્રિલે લોકભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

"નવી સરકારને મારો પૂરો ટેકો રહેશે": નીતિશ કુમાર

આજે નીતિશ કુમારની અધ્યક્ષતામાં તેમની સરકારની મંત્રીમંડળની છેલ્લી બેઠક પણ યોજાઈ હતી. રાજીનામું આપ્યા પછી તરત જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને કહ્યું હતું કે, "હવે અહીં નવી સરકાર કાર્યભાર સંભાળશે. આ નવી સરકારને મારો પૂરેપૂરો ટેકો રહેશે. આગળ બહુ સારા કામ થશે અને બિહાર ખૂબ પ્રગતિ કરશે." છેલ્લી બેઠકમાં પોતાની સફરને યાદ કરતા તેમણે કહ્યું કે, "હું 2005 માં સત્તામાં આવ્યો હતો, ત્યારથી મારાથી જેટલું બની શક્યું તેટલું મેં બિહાર માટે કર્યું છે. આવનારી નવી સરકારને પણ હંમેશા મારું માર્ગદર્શન મળતું રહેશે."

2005 થી અત્યાર સુધીની સફર અને ભવિષ્યનો રોડમેપ

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા નીતિશ કુમારે 24 નવેમ્બર, 2005 નો એ દિવસ યાદ કર્યો જ્યારે રાજ્યમાં પહેલીવાર NDA ની સરકાર બની હતી. તેમણે કહ્યું કે, "ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં કાયદાનું શાસન છે અને વિકાસના કામો સતત ચાલુ છે. અમારી સરકારે કોઈ ભેદભાવ વિના હિન્દુ, મુસ્લિમ, સવર્ણ, પછાત, દલિત કે મહાદલિત – દરેક વર્ગ માટે કામ કર્યું છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળી અને ખેતીથી લઈને મહિલાઓ અને યુવાનો માટે મોટા પાયે કામ થયા છે."

ભવિષ્યના આયોજન વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષ એટલે કે 2025 થી 2030 માટે '7 નિશ્ચય-3' નો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી બિહારમાં નોંધપાત્ર પ્રગતિ થશે. અંતમાં તેમણે કેન્દ્ર સરકાર અને પીએમ મોદીનો આભાર માનતા કહ્યું કે, "અમે બિહારના લોકો માટે લાંબા સમય સુધી સેવા કરી છે. હવે મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. મને પૂરો વિશ્વાસ છે કે કેન્દ્રના સહયોગથી બિહાર વધુ ઝડપથી વિકાસ કરશે અને દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવશે."

Frequently Asked Questions

બિહારના નવા મુખ્યમંત્રી કોણ બનશે?

સમ્રાટ ચૌધરી બિહારના નવા મુખ્યમંત્રી બનશે. તેમને સર્વાનુમતે ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું શા માટે આપ્યું?

નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે અને નવી સરકારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. તેઓ બિહારના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરે છે.

બિહારમાં નવી સરકાર ક્યારે શપથ લેશે?

નવી સરકાર 15 એપ્રિલે શપથ લેશે. લોકભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

નીતિશ કુમારે 2005 થી અત્યાર સુધીના શાસનકાળ વિશે શું કહ્યું?

તેમણે જણાવ્યું કે 2005 થી રાજ્યમાં કાયદાનું શાસન અને વિકાસના કામો સતત ચાલુ છે. સરકારે તમામ વર્ગો માટે કામ કર્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?
દિલ્હીમાં સરકારી કર્મચારીઓ માટે 2 દિવસ વર્ક ફૉર્મ હૉમનો આદેશ, પ્રાઇવેટ ઓફિસોનું શું થશે ?
Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
Kerala New CM: કેરળની રાજનીતિનો નવો યુગ, જાણો કોણ છે નવા સીએમ વી.ડી.સતીશન
Advertisement

વિડિઓઝ

Cast Certificate : ધોરણ 10-12ના પરિણામ બાદ આવક અને જાતિના દાખલા માટે અરજદારોને ધક્કા
UP Cyclone : યુપીમાં વાવાઝોડાએ મચાવ્યો કહેર, 89 લોકોના મોત
Morbi Corporation : મોરબી મનપાના મેયરને લઈ મામલો ગરમાયો, ચર્ચા પડતી મૂકવી પડી
Hun To Bolish : હું તો બોલીશ : હું તો ભણીશ
Hun To Bolish : હું તો બોલીશ : મોંઘવારી આવી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
Weather: દેશમાં કાલે ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ, જાણો લેટેસ્ટ આગાહી
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
NEET પેપર લીક મામલે CBI એ વધુ 2 લોકોને ઝડપ્યા, અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ; 15 લોકોના મોતની આશંકા, સ્થાનિક લોકોએ લગાવ્યા ગંભીર આરોપ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
IPL 2026 સિઝન પૂરી થતા જ આ ખેલાડી પાસેથી છિનવાશે કેપ્ટનશીપ, યાદીમાં પંત સાથે આ ખેલાડી પણ સામેલ
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
મોંઘવારીનો માર, હવે જેટ ફ્યૂલના ભાવ ડબલ થયા, હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
SBI માં જમા કરો ₹3,00,000 અને મેળવો ₹1,58,974 ફિક્સ વ્યાજ, સરકારી ગેરંટી સાથે 
Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ
Jio નો સૌથી સસ્તો 1 મહિનાનો પ્લાન, 200 રુપિયાથી ઓછા ખર્ચમાં 28 દિવસ એક્ટિવ રહેશે સિમ
New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID
New Aadhaar Card Rules: આધાર કાર્ડ સાથે જોડાયેલા 5 નવા અપડેટ, જાણી લેશો તો સરળતાથી બનાવી શકશો ID
Embed widget