શોધખોળ કરો
જાણો ક્યારથી ચલણમાં આવશે 200 રૂપિયાની નોટ? રીઝર્વ બેંકની શું છે યોજના?
1/5

ઘોષે જણાવ્યું, '૨૦૦ની નોટોના બે ફાયદા થશે, એક તો રોકડ લેવડ-દેવડમાં સરળતા થશે અને બીજું કે તેનાથી કુલ કરન્સીમાં નાની નોટની સંખ્યા વધારાશે.' જણાવી દઈએ કે નોટબંધી પહેલા ૫૦૦ની ૧,૭૧૭ કરોડ નોટ હતી અને ૧૦૦૦ની ૬૮૬ કરોડ નોટો હતી. આરબીઆઇના રિસર્ચ મુજબ નોટબંધી પછી મોટી નોટોના હિસ્સામાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે.
2/5

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રુપ ઈકોનોમિસ્ટ સૌમ્ય કાંત ઘોષે જણાવ્યું કે, 'મોટી સંખ્યામાં નવી નોટ આવવાથી સામાન્ય વ્યકિતને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે.' જણાવી દઈએ કે નોટબંધી બાદ ૨૦૦૦ની નોટો આવી હતી અને તેની સાથે જોડાયેલી ઘણી વાતો સામે આવી હતી જેમાં નકલી નોટોના દાવા પણ થયા હતા. ૨૦૦ની નોટ લાવવાનો ઉદ્દેશ્ય ટેકસ આપ્યા વગર કેશ રાખનારા લોકો પર શિકંજો કસવાનો છે.
Published at : 23 Aug 2017 11:52 AM (IST)
View More























