નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ વર્ષ 2018-19નું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. જેટલીએ વડાપ્રધાનને કહેવા પ્રમાણે બજેટને લોકલોભામણી જાહેરાતોથી દુર રાખવામાં આવ્યું, પણ આ બધાની વચ્ચે એજ્યુકેશન પર લગાવેલો સેસ ચર્ચાનો બની ગયો છે, એટલે કે મોદી સરકારે એજ્યુકેશન સેસની ટકાવારી વધારી દીધી છે.
અત્યારે દેશભરમાં આવકવેરાના ત્રણ સ્લેબ છે, જેમાં આ બજેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઇ ટેક્સ નથી. 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 5 ટકા ટેક્સ છે. 5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20 ટકા ટેક્સ અને 10 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 30 ટકા ટેક્સ લાગે છે. આમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો.
5/8
નોંધનીય છે કે, મધ્યમવર્ગ છેલ્લા બે વર્ષોથી આવકમાં છૂટની આશા રાખી રહ્યો હતો, પણ આ વખતે પણ આ વર્ગની આ આશા પુરી થઇ શકી નથી, વળી એજ્યુકેશન સેસમાં વધારો કરી દેવાતા મુશ્કેલી વધી ગઇ છે.
6/8
7/8
8/8
એટલે કે હવે લોકોએ 3 ટકાની જગ્યાએ 4 ટકા સેસ ચૂકવવો પડશે. અત્યાર સુધી 3 ટકા સેસમાં 2 ટકા એજ્યુકેશન અને 1 ટકા સીનિયર સેકન્ડરી એજ્યુકેશન સેસ લાગતો હતો. 10 લાખ રૂપિયા કે તેનાથી તેનાથી વધુની વાર્ષિક આવક રળનારા લોકો માટે હવે કુલ 34 ટકા ટેક્સ લાગશે.