શોધખોળ કરો
1 એપ્રિલથી તમારા ટેક્સ નિયમોમાં થશે મોટા ફેરફાર, જાણો વિગતે
1/7

આ વખતે સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના લાગૂ કરવા જઈ રહી છે. 1 એપ્રિલથી પ્રધાનમંત્રી વય વંદના યોજના મુજબ રોકાણની રકમમાં 7.5 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના મુજબ જમા રાશિ પર 8 ટકા વ્યાજ મળશે. સરકારે આ યોજનાની સમયમર્યાદા વધારીને 2020 સુધી કરી છે.
2/7

હવે સીનિયર સિટિઝન્સ જો ચોક્કસ બિમારીઓના ઇલાજ પર એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તો આ ખર્ચની રકમ પર ઇન્કમ ટેક્સ નહિ લાગે. પહેલા સીનિયર સિટીઝન્સ માટે આ રકમ 60,000 હતી અને 80 વર્ષથી ઉપરના સીનિયર સિટિઝન્સ માટે આ 80,000 સુધીની છૂટ મળતી હતી. હવે 1 એપ્રિલથી તે વધીને 1 લાખ રૂપિયા થઈ જશે.
Published at : 31 Mar 2018 08:05 AM (IST)
Tags :
Income TaxView More























