શોધખોળ કરો
અનિલ અંબાણીએ જણાવ્યું RComનું દેવું ઓછું કરવાનું ગણિત, રણનીતિ બદલવાની યોજનાને લેન્ડર્સે આપી મંજૂરી
1/4

નવી દિલ્હીઃ રેટિંગ એજન્સી ફિચ દ્વારા રિલાયન્સ કોમ્યૂનિકેશન્સની લોન ચૂકવવામાં નિષ્ફળ જવાથી રેટિંગ ઘટાડ્યાના એક દિવસ બાદ જ અનિલ અંબાણીએ પોતાના રોકાણકારોને એ વિશ્વાસ અપાવ્યો છે કે, તેની કંપનીની સ્થિતિ સુધરી રહી છે. બેંકોને લોન રીસ્ટ્રક્ચર યોજનાને મંજૂરી આપી દીધી છે. તે અંત્રગત સાત મહિના સુધી કંપનીએ વ્યાજ નહીં ચૂકવવું પડે.
2/4

અંબાણીએ પોતાના રોકાણકારોને જણાવ્યું કે, અમને એરસેલની સાથે મર્જર ડીલ અને બ્રુકફિલ્ડની સાથે ટાવર કારોબાર વેચાણની ડીલ સપ્ટેમ્બર સુધી પૂરી કરી લેવાની ધારણા છે. આ ડીલથી કંપની પર દેવાનો ભાર 45,000 કરોડ રૂપિયાથી ઘટીને 20,000 કરોડ રૂપિયા પર આવી જશે. અંબાણીએ જણાવ્યું કે, તમામ લેન્ડર્સે તેની રીસ્ટ્રક્ચરની યોજના સ્વીકારી લીધી છે અને તેને લોન ચૂકવવા માટે 7 મહિનાનો સમય પણ આપ્યો છે.
Published at : 03 Jun 2017 07:47 AM (IST)
View More























