શોધખોળ કરો
હું બેંકોની મૂળ રકમ પરત કરવા તૈયાર, પણ વ્યાજ નહીં આપુઃ વિજય માલ્યા
1/5

માલ્યાએ કહ્યું કે, ‘કિંગફિશર એરલાઇન્સના ખોટનું કારણે ATFના ઊંચા ભાવ પણ બન્યા. આ એક શાનદાર એરલાઇન્સ હતી. તેણે ક્રૂડ ઓઇલના 140 ડોલર પ્રતિ બેરલ જેટલા સર્વોચ્ચ ભાવનો પણ સામનો કર્યો હતો. ખોટ વધતી ગઈ, બેંકોના પૈસા તેમાં જતા રહ્યા. મેં બેંકોને 100 ટકા મૂળ રકમ પરત કરવાની ઓફર આપી છે. મહેરબાની કરીને તેનો સ્વીકાર કરો.’
2/5

તેણે લખ્યું કે, ‘હું ભારતીય બેંકોનું 100 ટકા ઋણ ચુકવવા તૈયાર છું પરંતુ વ્યાજ ન આપી શકું. રાજનેતા અને મીડિયા સતત મને પીએસયુ બેંકોના પૈસા લઈને ભાગી જનારો ડિફોલ્ટર ગણાવ્યો છે. આ બધું જૂઠ્ઠું છે. મારી સાથે પક્ષપાત કરવામાં આવ્યો છે. મેં કર્ણાટક હાઇકોર્ટમાં આ અંગેનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ તેના પર કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. જે દુઃખદ છે.’
Published at : 05 Dec 2018 10:38 AM (IST)
View More





















