શોધખોળ કરો
GST લાગુ થયા બાદ જૂના સ્ટોકની MRPને લઈને સરકારે વેપારીઓને આપી ચેતવણી, જાણો શું કહ્યું...
1/4

જીએસટી પછીથી ઊભા થયેલા ઘટનાક્રમ પર નજર રાખવા અને ગ્રાહકોની ફરિયાદનો ઉકેલ લાવવા માટે મંત્રાલયે એક સમિતિ રચી છે. પાસવાને કહ્યું હતું કે મંત્રાલયને હેલ્પલાઈન પર ૭૦૦થી વધુ પૂછપરછ થઈ છે અને મંત્રાલયે આ માટે નિષ્ણાતોની મદદ લીધી છે. શરૂઆતમાં થોડી તકલીફ થઈ રહી છે, પરંતુ ટૂંક સમયમાં તમામ સમસ્યા ઉકેલી લેવાશે.
2/4

પાસવાને વસ્તુઓની કિંમત અંગે કહ્યું કે ‘અમે કંપનીઓને જૂના સ્ટોક પર નવા સુધારાયેલા ભાવ રિપ્રિન્ટ કરવા કહ્યું છે. નવી એમઆરપીના સ્ટીકર લગાવવા પડશે, જેથી ગ્રાહકોને નવા ભાવની જાણકારી મળે.’ જે કંપની નવા ભાવ રિપ્રિન્ટ નહીં કરાવે તેમની સામે આકરા પગલાં લેવાશે. પ્રથમ ગુના માટે ૨૫૦૦૦ રૂપિયા દંડ થશે, બીજા માટે ૫૦,૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર પછી એક લાખ રૂપિયા સુધીનો દંડ થશે. એક વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ છે.
Published at : 08 Jul 2017 07:35 AM (IST)
Tags :
Gst-View More























