શોધખોળ કરો
હવે નોકરી બદલવા પર આપોઆપ PF એકાઉન્ટ થઈ જશે ટ્રાન્સફર, જાણો શું છે સરકારની યોજના
1/4

નવી દિલ્હીઃ હવે નોકલી બદલવાની સાથે સાથે પીએફ એકાઉન્ટ બદલાવની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આ અંગેની માહિતી ચીફ પ્રોવિડન્ટ ફંડ કમિશ્નર વીપી જૉયે આપી. એમ્પલોયઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (ઇપીએફઓ)ના કર્મચારીને વધુ અનુકૂળ બનાવાની દિશામાં કેટલાંય પગલાં ઉઠાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે અધવચ્ચે જ એકાઉન્ટ બંધ થઇ જવું તેનો મુખ્ય પડકાર છે અને તે પોતાની સર્વિસીસ સુધાર દ્વારા આ સમસ્યાનું સમાધાન કરવાના પ્રયત્નમાં છે.
2/4

વીપી જૉયે કહ્યું કે, જ્યારે વ્યક્તિ નોકરી બદલાવે છે તો કેટલાકના ખાતા બંધ થઈ જાય છે. બાદમાં કર્મચારી ફરીથી તે ચાલુ કરાવે છે. તેમણે કહ્યું કે હવે અમે એનરૉલમેન્ટ માટે આધારકાર્ડને ફરજીયાત બનાવી દીધું છે. અમે નથી ઇચ્છતા કે એકાઉન્ટસ બંધ થઇ જાય. પીએફ એકાઉન્ટ એક કાયમી એકાઉન્ટ છે. કર્મચારી સામાજિક સુરક્ષા માટે એક જ એકાઉન્ટને હંમેશા રાખી શકે છે.
Published at : 11 Aug 2017 02:50 PM (IST)
View More























