શોધખોળ કરો
માત્ર 12 વ્યક્તિઓ બે લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે
1/4

સમિતિએ ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજે બેન્કો દ્વારા ૬૦ ટકા રકમ બિન કાર્યક્ષમ તરીકે વર્ગીકૃત કરાઇ હોય તેવા ~૫૦૦૦ કરોડથી વધુ રકમના ફંડ અને નોન-ફંડ આધારિત બાકી રકમ સાથેના તમામ ખાતાઓને આઇબીસી રેફરન્સમાં મોકલી દેવાની ભલામણ કરી છે. રિઝર્વ બેન્કે મંગળવારે સૌથી વધુ એનપીએ ધરાવતાં ૫૦૦ ખાતાઓની ઓળખ કરી છે. બીજી સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે માત્ર ૧૨ ખાતાધારકો પાસેથી કુલ એનપીએનો ૨૫ ટકા હિસ્સો વસૂલવાનું બાકી છે.
2/4

આ કંપનીઓ કે લોકો પાસેથી પૈસા વસૂલવા રિઝર્વ બેન્કે બેન્કરપ્સી કાયદા હેઠળ પગલું ભરવાની ભલામણ કરી છે. ડિફોલ્ટર્સનું નામ લીધા વગર રિઝર્વ બેન્કે કહ્યું છે કે ધિરાણકર્તાઓને લેણાંની વસૂલાત માટે ઇન્સોલ્વન્સી કાર્યવાહી શરૂ ધરવાનું કહેવામાં આવશે.
Published at : 14 Jun 2017 07:35 AM (IST)
Tags :
RbiView More























