શોધખોળ કરો
એમેઝોન-ફ્લિપકાર્ટ સાથે પતંજલિએ કર્યો કરાર, રામદેવે કહ્યું- '50 વર્ષમાં દુનિયા જીતીશું'
1/5

એફએમસીજી માર્કેટમાં ધૂમ મચાવ્યા બાદ હવે ઈ-કોમર્સમાં પ્રવેશથી પતંજલિનું કદ વધી જશે. રામદેવ હંમેશા સ્વદેશીનો નારો બુલંદ કરતા આવ્યા છે. પતંજલિ છેલ્લા થોડા વર્ષોમાં દેશની મોટી એફએમસીજી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. તેણે હિન્દુસ્તાન યુનિલીવર, કોલગેટ પામોલિવ અને ડાબર જેવી ગ્લોબલ અને લોકલ કંપનીઓને તેમના આયુર્વેદિક પ્રોડક્ટ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરવા મજબૂર કરી છે.
2/5

ગત સપ્તાહે ફ્રાન્સના લકઝરી ગ્રુપ LVMH મોએટ હેનેસે દ્વારા બાબા રામદેવની પતંજલિ આયુર્વેદમાં હિસ્સો લેવામાં રસ દાખવ્યો હતો. LVMHના હિસ્સાવાળી એલ કૈટર્ટન પ્રાઇવેટ ઈક્વિટી ફંડ તેના એશિયા ફંડમાંથી બચેલી રકમના અડધા 3250 કરોડ રૂપિયા (500 મિલિયન અમેરિકન ડોલર)માં પતંજલિમાં હિસ્સો ખરીદવા તૈયાર હોવાનો અહેવાલ આવ્યા હતા.
Published at : 16 Jan 2018 12:28 PM (IST)
View More























