શોધખોળ કરો
રતન તાતા પહોંચ્યા RSSના મુખ્યાલયે, જાણો મોહન ભાગવતને મળી તાતાએ કઈ ઈચ્છા દર્શાવી
1/4

રતન તાતા પોતાના 79માં જન્મદિવસે સંઘની મુલાકાત લીધી હોવાને કારણે સંઘ દ્વારા તેમને જન્દિવસની વિશેષ શુભેચ્છા તેમજ તેમનાં દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. જોકે આ મુલાકાત વિશે સંઘ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ એક ઔપચારિક અને પહેલેથી નક્કી કરાયેલા મુલાકાત હતી. આ મુલાકાતને કોઈ રાજકીય અથવા ઉદ્યોગ સાથે સંબંધ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી.
2/4

છેલ્લા કેટલાક સમયથી સાયરસ મિસ્ત્રીના વિવાદને કારણે તાતા ગ્રૂપનું નામ ખરડાયું છે. આ વિશે મીડિયામાં પણ બહુ છપાયું છે. આ મામલે પણ રતન તાતાએ પોતાનો દૃષ્ટિકોણ મોહન ભાગવત સામે મૂક્યો છે. થોડા સમય પહેલાં રતન તાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળવા ગયા હતા. રતન તાતાએ સર સંઘચાલક મોહન ભાગવત સાથેની આ મુલાકાતની જાણકારી ટ્વિટ કરી હતી પણ મુલાકાતની વિગતો જાહેર નથી કરવામાં આવી.
Published at : 29 Dec 2016 08:08 AM (IST)
View More























