શોધખોળ કરો
રઘુરામ રાજનની RBIને સલાહ, કહ્યું- સિદ્ધુ ન બનો, દ્રવિડની જેમ અડગ રહો, જાણો વિગત
1/4

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ગવર્નર વચ્ચે વિવાદનું મુખ્ય કારણ રિઝર્વ બેંકમાં રહેલા 9.60 લાખ કરોડ રૂપિયાની રકમ છે. કેન્દ્ર સરકારનો દાવો છે કે આટલી મોટી રકમ રિઝર્વ બેંકમાં જમા રહેવાનો કોઈ અર્થ નથી. સરકારના મત પ્રમાણે હાલની સ્થિતિમાં આટલી રકમ રિઝર્વ રાખવાનો કોઈ મતલબ નથી. કેન્દ્રીય બેંકના ખજાનામાંથી એક તૃતીયાંશ રકમ કાડીને દેશની સરકારી બેંકોમાં ઠાલવી નવી ઊર્જાનો સંચાર કરી શકાય છે. કેન્દ્રીય બેંક સરકારના આ પ્રસ્તાવને તેમની સ્વતંત્રતા પર હુમલો માની રહી છે.
2/4

રાજને એમ પણ કહ્યું કે, હાલ જે સ્થિતિ છે તેને જોતાં કેન્દ્રીય બેંકની ભૂમિકા કારના સીટ બેલ્ટની જેવી છે. જે દુર્ઘટના રોકવા માટે જરૂરી હોય છે. રાજને કેન્દ્રીય બેંક તથા કેન્દ્ર સરકાર વચ્ચે મતભેદો, સેક્શન સાતના ઉપયોગ. એનબીએફસી સંકટ, સીએસી, સીઆઈસીને નોટિસ તથા આરબીઆઈના બોર્ડ સહિત અનેક મુદ્દા પર ખુલીને વિચાર વ્યક્ત કર્યા હતા.
Published at : 06 Nov 2018 03:13 PM (IST)
View More























