શોધખોળ કરો
આ ટેલીકોમ કંપની ગ્રાહકોના રૂપિયા પાછા આપવા તૈયારી નથી
1/4

આરકોમે લખેલા પત્રના હવાલાથી સૂત્રએ કહ્યું કે, ‘… અમે વાસ્તવિક રેગ્યુલેશનથી અજાણ છીએ, જે અંતર્ગત મોબાઈલ નબંર કોઈ પણ કારણથી બીજા નેટવર્કમાં જવા પર ટોક ટાઈમની બચેલી રકમ પાછી આપવાની જોગવાઈ છે… અમે તમને નિર્દેશ પાછો લેવા અનુરોધ કરીએ છીએ.’ આ વાત એવા સમયે ઉઠી છે, જ્યારે આરકોમે પોતાના સ્પેક્ટ્રમ, ટાવર, ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને અન્ય વાયરલેસ સંપત્તિ પોતાના મોટાભાઈ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોને વેચવાની જાહેરાત કરી છે.
2/4

અધિકારીએ કહ્યું કે, સેવા આપનારે સેવા બંધ કરી દીધી છે અને એટલા માટે ગ્રાહકોના હિતોનું રક્ષણ જરૂરી છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સએ આ અંગે ઈ-મેલ દ્વારા પૂછાયેલા સવાલોનો જવાબ આપવાનો ઈનકાર કરી દીધો. જોકે, મામલા સાથે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે, સેવા આપનારે ટ્રાઈના 19 જાન્યુઆરીના રૂપિયા પાછા આપવાના નિર્દેશને લઈને પત્ર લખીને રેગ્યુલેશન સામે દલીલ કરી છે.
Published at : 05 Feb 2018 11:20 AM (IST)
View More























