શોધખોળ કરો
આજ રાતથી બંધ થઈ જશે 50 અને 100 રૂપિયાની નોટ, આ વાયરલ મેસેજની હકીકત જાણો
1/4

નવી દિલ્હીઃ હાલમાં 100 અને 50 રૂપિયાની નોટ બંધ થઈ જવાનો મેસેજ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટો લોકો 21 ઓક્ટોબર, 2017 સુધી બેંક એકાઉન્ટમાં જમા કરીને બદલી શકશે. 50 અને 200 રૂપિયાની નવી નોટો આવવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. સરકારના કહેવા પર RBIએ આ જાહેરાત કરી છે. જોકે આ એક અફવાય છે જે પહેલા પણ વાયરલ થઈ હતી.
2/4

જો કોઈપણ નોટ બંધ કે નવી લાવવાની હોય તો એ પહેલા આરબીઆઈ તે માટેનું નોટિફિકેશન બહાર પાડે છે. હવે અત્યારે જે 50 અને 100ની નોટ બંધ થવાનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે ત્યારે આરબીઆઈની વેબસાઈટ પર આ અંગે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી જે દર્શાવે છે કે આ એક ફેક મેસેજ છે.
Published at : 30 Aug 2017 10:32 AM (IST)
Tags :
Note BanView More






















