શોધખોળ કરો
SBIની વધુ એક દિવાળી ભેટ, હવે ખાતું બંધ કરાવવા પર નહીં લાગે કોઈ ચાર્જ
1/4

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મિનિમમ બેલેન્સની શરતોમાં રાહત આપ્યા બાદ હવે પોતાના ગ્રાહકોને વધુ એક રાહત આપી છે. એસબીઆઈ તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 1લી ઓક્ટોબરથી ખાતું બંધ કરવા માટેના ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
2/4

નવા નિયમ અનુસાર ખાતું ખોલાવ્યાના એક વર્ષ બાદ જો કોઈ ગ્રાહક ખાતું કરાવવા પર કોઈપણ પ્રકારનો ચાર્જ નહીં ચૂકવવો પડે, ઉપરાંત કોઈ વ્યક્તિનાં મૃત્યુ બાદ જો તેનું ખાતાનું સેટલમેન્ટ કરવામાં આવે અને ખાતું બંધ કરવામાં આવે તો પણ કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. રેગ્યુલર સેવિંગ બેંક એકાઉન્ટ અને બેસિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ બંધ કરાવવા પર પણ કોઈ ચાર્જ નહીં લાગે. અત્યાર સુધી આ પ્રકારના ખાતા બંધ કરવા અથવા સેટલ કરવા પર 500 રૂપિયા ચાર્જની સાથે જીએસટી લાગતો હતો.
Published at : 27 Sep 2017 12:03 PM (IST)
View More























