શોધખોળ કરો
ડેબિટ કાર્ડ ધારકોને RBI આપી મોટી રાહત, જાણો ટ્રાન્ઝેક્શન ચાર્જમાં શું કર્યા ફેરફાર
1/4

નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રિઝર્વ બેંકે ડેબિટ કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જમાં બુધવારે ફેરફાર કર્યા છે. તે અંતર્ગત હવે કાર્ડથી લેવડ દેવડ કરવા પર અલગ અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ MDR નક્કી કરવામાં આવ્યા છે. આરબીઆઈના નોટિફિકેશન અનુસાર 20 લાખ રૂપિયા સુધીના વાર્ષિક કારોબારવાળા નાના મર્ચન્ટ માટે MDR ચાર્જમાં 0.40 ટકા કરવામાં આવ્યા છે, જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા 200 રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા પીઓએસ દ્વારા લેવડ દેવડ પર લાગુ પડશે.
2/4

MDR બેન્ડ ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચન્ટ એટલે કે વ્યાપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક લક્ષ્ય બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.
Published at : 07 Dec 2017 07:03 AM (IST)
View More























