શોધખોળ કરો

Surat Crime: બનાસકાંઠામાં મર્ડર કેસના ગુનામાં કુખ્યાત આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે જાણો ક્યાંથી ધરપકડ કરી ?

બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે.

સુરત: બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે. મહત્વની વાત છે કે આરોપી અનિલ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ રાજકોટમાં બે, બનાસકાંઠામાં એક અને વલસાડમાં એક ગુનો નોંધાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અનિલ કાઠીએ જો કોઈને ધમકાવ્યા હોય કે તેમની સાથે ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. મફા પટેલ તેમજ તેની પત્ની હરિબેન પટેલ બાઇક પર થરાદ સેસન્સ કોર્ટની મુદત પતાવીને ઘરે પરત ફરતા હતા. તે સમયે ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ, દશરથ બારોટ તેમજ અન્ય ત્રણ ઈસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી અને ત્યારબાદ મફા પટેલ પર કાર ચડાવી અને આડેધળ ગોળીઓ વરસાવી અને ચપ્પુના ઘા ઝીંકી મફા પટેલની હત્યા કરી નાખી હતી.

આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઈસમ વોન્ટેડ હતો.  તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અલગ-અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઇવે ઉપરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે.  મહત્વની વાત છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે. આ ઉપરાંત તેની સામે સુરત રાંદેર પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, વરાછા, ઉમરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અલગ અલગ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 

બીજી તરફ વાપી જીઆઇડીસી અને રાજકોટ ગાંધીગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. આમ અનિલ કાઠી સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયા છે.  બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાક ધમકીઓ આપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

મહત્વની વાત છે કે અનિલ કાઠી ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ધાક ધમકી, પ્રોહીબીશન અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે અને જુનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ છે. બનાસકાંઠાના કેસમાં મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી દીધી હતી અને આ બંને પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો. ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ ઉપર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસોને સાથે રાખીને તેમજ ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ દશરથ બારોટે ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
Jharkhand: હેવાન બન્યો પિતા, ઘરમાં સૂઇ રહેલી 20 વર્ષની દીકરીનું કૂહાડી મારી કાપ્યુ ગળુ, પછી થયો ફરાર
Jharkhand: હેવાન બન્યો પિતા, ઘરમાં સૂઇ રહેલી 20 વર્ષની દીકરીનું કૂહાડી મારી કાપ્યુ ગળુ, પછી થયો ફરાર
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
ચોંકાવનારી બંને ગઠીયાની મોડસ ઓપરેન્ડી, વ્હોલસેલના વેપારી પાસેથી પડાવ્યાં લાખો રૂપિયા, બંને આરોપીની ધરપકડ
ચોંકાવનારી બંને ગઠીયાની મોડસ ઓપરેન્ડી, વ્હોલસેલના વેપારી પાસેથી પડાવ્યાં લાખો રૂપિયા, બંને આરોપીની ધરપકડ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget