શોધખોળ કરો

Surat Crime: બનાસકાંઠામાં મર્ડર કેસના ગુનામાં કુખ્યાત આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે જાણો ક્યાંથી ધરપકડ કરી ?

બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે.

સુરત: બનાસકાંઠામાં થયેલ ચકચારી મર્ડર કેસના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપી અનિલ ઉર્ફે અરવિંદ કાઠીની ધરપકડ બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી કરી છે. મહત્વની વાત છે કે આરોપી અનિલ સામે સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. તેમજ રાજકોટમાં બે, બનાસકાંઠામાં એક અને વલસાડમાં એક ગુનો નોંધાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અનિલ કાઠીએ જો કોઈને ધમકાવ્યા હોય કે તેમની સાથે ગુનાહિત કૃત્ય કર્યું હોય તો તે વ્યક્તિ સુરત પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાર મહિના અગાઉ એટલે કે 10 ઓક્ટોબર 2023ના રોજ એક હત્યાની ઘટના સામે આવી હતી. મફા પટેલ તેમજ તેની પત્ની હરિબેન પટેલ બાઇક પર થરાદ સેસન્સ કોર્ટની મુદત પતાવીને ઘરે પરત ફરતા હતા. તે સમયે ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ, દશરથ બારોટ તેમજ અન્ય ત્રણ ઈસમોએ બોલેરો કાર તેમજ કારમાં મફા પટેલની બાઇકનો પીછો કર્યો અને કાર વડે બાઇકને ટક્કર મારી દીધી અને ત્યારબાદ મફા પટેલ પર કાર ચડાવી અને આડેધળ ગોળીઓ વરસાવી અને ચપ્પુના ઘા ઝીંકી મફા પટેલની હત્યા કરી નાખી હતી.

આ બાબતે માવસરી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો હતો તેમાં અનિલ કાઠી નામનો ઈસમ વોન્ટેડ હતો.  તે પોલીસથી બચવા ભાગતો ફરતો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યાના ગુનાનો આરોપી મુંબઈમાં છે. તેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે અલગ-અલગ ટીમો મુંબઈ રવાના કરવામાં આવી હતી અને બાતમીના આધારે મુંબઈ વિરાર હાઇવે ઉપરથી અરવિંદ કાઠીની ધરપકડ કરવામાં આવી છે.  મહત્વની વાત છે કે અનિલ કાઠી સુરતનો રહેવાસી છે. આ ઉપરાંત તેની સામે સુરત રાંદેર પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, વરાછા, ઉમરા અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અલગ અલગ 14 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. 

બીજી તરફ વાપી જીઆઇડીસી અને રાજકોટ ગાંધીગ્રામ તેમજ બનાસકાંઠાના માવસરી પોલીસ સ્ટેશનમાં પણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. આમ અનિલ કાઠી સામે રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 18 જેટલા ગુનાઓ દાખલ થયા છે.  બીજી તરફ સુરત પોલીસ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે, અરવિંદ કાઠી દ્વારા જો કોઈ નાગરિક સાથે ગુનાહિત વ્યવહાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈને ધાક ધમકીઓ આપવામાં આવ્યું હોય તો તે વ્યક્તિ પોલીસનો સંપર્ક કરે. સુરત પોલીસ દ્વારા અનિલ કાઠી સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. 

મહત્વની વાત છે કે અનિલ કાઠી ખૂન, ખૂનની કોશિશ, મારામારી, ધાક ધમકી, પ્રોહીબીશન અને જમીનના કબજા સહિતના ગુનાઓમાં અગાઉ ઝડપાઈ ચુક્યો છે અને જુનાગઢ, પાલનપુર, હિંમતનગર અને ભુજ ખાતે ચાર વખત તેની પાસા હેઠળ અટકાયત પણ થઈ છે. બનાસકાંઠાના કેસમાં મૃતક મફા પટેલે વર્ષ 2016માં ભગીરથ બારોટના પિતાની હત્યા કરી દીધી હતી અને આ બંને પરિવાર વચ્ચે જૂની અદાવતને લઈને ઝઘડો ચાલતો હતો. ત્યારે ભગીરથે પોતાના પિતાની હત્યાનો બદલો લેવા માટે સુરતના અનિલ કાઠીને સોપારી આપી હતી અને મફા પટેલ પેરોલ ઉપર જેલમાંથી બહાર આવતા અનિલ કાઠીએ પોતાના માણસોને સાથે રાખીને તેમજ ભગીરથ બારોટ, પીન્ટુ બારોટ દશરથ બારોટે ભેગા મળી મફા પટેલની હત્યા કરી નાખી હતી.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.