શોધખોળ કરો

CRIME NEWS : અમદવાદના નિકોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વેપારીની હત્યા મામલે મોટો ખુલાસો થયો

AHMEDABAD NEWS : હત્યા કરનાર અને ઊંચું વ્યાજ વસૂલનાર બંને આરોપીઓ અલગ અલગ છે.

AHMEDABAD : અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં  વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી. પરંતુ વેપારીની હત્યા વ્યાજખોરોએ ન કરી હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વેપારીની હત્યા કરનાર અને આરોપીને છુપાવનાર સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ સામે આવ્યું કે હત્યા માત્ર એકબીજાની સામે કેમ જોવે છે. તેવી સામાન્ય બાબત પર થઈ હતી.

નિકોલ પોલીસે આ ઘટનાના આરોપીઓ રજ્જુ ઉર્ફે રાજુ ગૌડ અને હિતેશ પુનમચંદને ઝડપી પાડ્યા છે. આ બંને આરોપી મૃતક વેપારી અમિત શાહની દુકાન પાસે ફર્નિચરનું કામ કરતા હતા અને હત્યાના દિવસે એટલે કે 10 તારીખે વેપારી અમિત શાહ દુકાનની બહાર રેલિંગ પર બેઠા હતા.તે સમયે આરોપીની સામે કેમ જોઈ રહ્યા છો. તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થતા આરોપી રાજુએ મૃતક વેપારીને તમાચો  મારી નીચે ફેંકી દીધો હતો.  સારવાર દરમિયાન વેપારીનું મૃત્યુ થતાં હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ સમય સારવાર લઈ રહેલા વેપારી અમિત શાહની પૂછપરછ કરતા તેઓએ ત્રણ વ્યાજખોરોના નામ આરોપી તરીકે લખાવ્યા હતા. જેમની પાસેથી મૃતકે 10% વ્યાજે રૂપિયા મેળવ્યા હતા. જે ફરિયાદ બાદ નિકોલ પોલીસે રાજભા અને કનુભાઈની ધરપકડ કરી હતી. જોકે અન્ય એક આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર હતો..જોકે પોલીસે  સીસીટીવી ફૂટેજ તપાસતા અને બનાવ અંગેની અસલ હકીકત સામે આવતા હત્યા કરનાર રાજુ અને તેને છુપાવનાર હિતેશ પૂનમચંદની ધરપકડ કરવામાં આવી છે.

હત્યા અને વ્યાજખોરીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરનાર પોલીસ હવે મૂંઝવણમાં મુકાઈ છે કારણકે હત્યા કરનાર અને ઊંચું વ્યાજ વસૂલનાર બંને આરોપીઓ અલગ અલગ છે. ત્યારે આ ગુનામાં ઝડપાયેલા ચાર આરોપી વિરુદ્ધ અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે હત્યા કરનાર અને વ્યાજે રૂપિયા આપનાર આરોપીઓ વચ્ચે કોઈ સીધો સંબંધ છે કે કેમ?

આ પણ વાંચો : 

VADODARA : 3 સ્ટાર અને 5 સ્ટાર હોટેલમાં ટેસ્ટી ખાવાના શોખીનો ચેતી જજો, આ વિડીયો જોઈ તમે ચોંકી જશો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Advertisement

વિડિઓઝ

AAJ No Muddo : આજનો મુદ્દો : તમારી દવા નકલી તો નથી ને?
India-US trade deal : ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો મોટો ઝાટકો!, ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત
NISAR Satellite Launching : ભારતે રચ્યો ઇતિહાસ, ઈસરો-નાસાના સંયુક્ત મિશન NISARનું લોન્ચિંગ
Porbandar News: પોરબંદર શહેર અને ગ્રામ્યમાં શ્વાનનો આતંક
Bhavnagar News : ભાવનગરમાં ભળેલા ગામડાઓની હાલત કફોડી, ચોમાસામાં છવાય છે કાદવનું સામ્રાજ્ય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
મિત્રએ મિત્રને આપ્યો મોટો ઝાટકોઃ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરીફની કરી જાહેરાત, 1 ઓગસ્ટથી લાગુ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ગુજરાતમાં ખરીફ વાવેતરનો વિક્રમ: 66 લાખ હેક્ટરમાં વાવેતર થયું, મગફળી અને કપાસે બનાવ્યો નવો રેકોર્ડ
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
ભાજપના રાજમાં ભાવનગરમાં ભાજપના નેતા જ અસલામત! દારૂના અડ્ડાની ફરિયાદ બદલ બુટલેગરોએ ઉપપ્રમુખ પર કર્યો હુમલો
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
પાંચમી ટેસ્ટ કેમ નથી રમી રહ્યો બેન સ્ટોક્સ ? શું ICC એ પ્રતિબંધ લગાવ્યો છે કે ઇંગ્લેન્ડે કરી કાર્યવાહી? જાણો સાચું કારણ
Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ
Premanand Maharaj: લવ મેરેજ કે એરેન્જ મેરેજ,લગ્ન કેમ નથી રહ્યા સફળ, પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સૌથી મોટું કારણ
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
NISAR સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ, હવે ભૂકંપ-સુનામીની મળશે વહેલી ચેતવણી
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ભારત vs પાકિસ્તાન: WCL સેમિફાઇનલ રદ! ક્રિકેટ જગતમાં ખળભળાટ, શું છે ખેલાડીઓનો નિર્ણય?
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
ગુજરાતમાં સરકારી ભરતીના મોટા સમાચાર: LRD ની ફાઇનલ આન્સર કી અને બે પરીક્ષાના પરિણામ જાહેર
Embed widget