શોધખોળ કરો

Amreli : યુવક પાડોશમાં રહેતી યુવતીઓની કરતો હતો છેડતી, પાડોશીએ ટકોર કરી ને પછી તો.....

થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના ચોકીદારની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખી બે આરોપીને પકડી પાડયા.

અમરેલીઃ થોડા દિવસો પહેલા પીપાવાવની ખાનગી કંપનીના ચોકીદારની હત્યા કરીને દાટી દીધેલી લાશનો ભેદ પોલીસે ગણતરીની દિવસોમાં ઉકેલી નાંખી બે આરોપીને પકડી પાડયા. કેવી હતી તેની સિસ્ટમ શા માટે કરવામાં આવી હતી ત્યાં જોઈએ આ રિપોર્ટમાં.

રાજુલા તાલુકાના રામપરા ગામમાં આવેલ કોન્ટ્રાક્ટ લોજીસ્ટીક કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા અનિલ કુમાર આશારામ ચોબાલી રહેવાસી બાગપત ઉત્તર પ્રદેશની તારીખ 13 જાન્યુઆરીના રોજ હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ તેમના જ રહેઠાણની પાછળ આવેલી અવાવરું જગ્યામાં દાટી દીધી. આ ઘટનાનો પર્દાફાશ અમરેલી પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાખ્યો. 

બે આરોપીને પકડી પાડી તેમની પાસેથી સિલસિલાબંધ વિગતો કઢાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની હકીકત પર નજર કરીએ તો મૃતક આ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો અને એ જ કંપનીમાં ઠેકેદાર તરીકે કામ કરી રહેલ બાબુ નંદ સરદાર કે જે બિહાર નો રહેવાસી હતો અને  તે મૃતક અનિલ કુમારની બાજુની રૂમમાં જ રહેતો હતો.

આ મૃતક અનિલકુમાર ચોબાલી અવારનવાર બાબુનંદ સરદારને અહીંની મહિલાઓ સાથે અભદ્ર વર્તન અને વાત કરતો હોય તે બાબતે વારંવાર તેમને અટકાવતો અને ટોકતો હતો. આ બાબતનું મનદુઃખ અને દાઝ રાખી તારીખ 13 જાન્યુઆરીના રોજ મૃતક અનીલ કુમાર ચોબાલીની રૂમમાં જઈ બોથડ પદાર્થ અને પાવડાનો ઘા મારી માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ઈજા કરી મોત નીપજાવ્યુ હતું. 

આ ઘટના આ જ કંપનીમાં કામ કરતો અનિલ સરદાર જોઈ ગયો ત્યારે બાબુ નંદે તેને કોઈને કહેવાની ના પાડી પૈસાની લાલચ આપી અને વાતને રફેદફે કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે રાત્રે અનિલ સરદાર અને બાબુનંદ સરદારે કંપનીના રહેણાંકની પાછળના ભાગમાં જ ઊંડો ખાડો કરી અને મૃતક અનિલ ચોબાલીની લાશને દાટી દીધી. આ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કામ કરી રહેલા મગનભાઈ ભાલીયાએ પોતાની કંપનીની પાછળના ભાગે જમીનમાં દટાયેલા લાશ બાબતે પોલીસને જાણ કરતા પીપાવાવ મરીન પોલીસે ખોદકામ કરાવી દટાયેલી લાશને બહાર કાઢતા આ લાશ અનિલકુમાર આશારામ ચોબાલી ઉર્ફે ત્યાગી રહેવાસી ઉત્તર પ્રદેશનો હોય તે ઓળખી બતાવેલ હતું.

પીપાવાવ મરીન પોલીસ અમરેલી એલ.સી.બી એસ.ઓ.જી એફ.એસ.એલ. આ તમામ ટીમોએ ટેકનિકલ અને એફ એસ એલની મદદથી આ લાશના હત્યારાને શોધી કાઢવામાં સફળતા મળી હતી અને આ જ કંપનીમાં કામ કરી રહેલા બે ઠેકેદારો તેમાં સંડોવાયેલા છે તેમની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા પોપટની જેમ ગુનો કર્યાની હકીકત જણાવી કબૂલાત આપી હતી. મુખ્ય આરોપી બાબુનંદ સરદારે તેની મદદ કરનાર અન્ય ઠેકેદાર અનિલ સરદારને રૂપિયા બે લાખ ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસા મૃતક અનિલ ચોબારીના મોબાઈલમાંથી પેટીએમ કરી ટ્રાન્સફર કર્યા હોવાનું ગુનેગારોએ કબૂલ્યું હતું. હાલ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે. જોકે પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીઓનો કોઈ ગુનાહિત ઈતિહાસ જાણવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget