શોધખોળ કરો

Bhavnagar: ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી આત્મહત્યાનો કર્યો પ્રયાસ, યુવતીની હાલત ગંભીર

ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકની પજવણીથી ત્રાસી જઈ દવા પી પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી

ભાવનગરમાં વધુ એક યુવતીએ યુવકની પજવણીથી ત્રાસી જઈ દવા પી પોતાની જાતને સળગાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ, ભાવનગરના ઘોઘા તાલુકાના હાથબ ગામ નજીક 18 વર્ષીય યુવતીને ફુલસર ગામે રહેતો પાર્થ બારૈયા નામનો યુવક પરેશાન કરતો હતો.  યુવકના ત્રાસથી કંટાળી યુવતી ગઈકાલે પોતાના ઘરે પહેલા ઝેરી દવા પીધી બાદમાં સળગી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

યુવતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેની હાલત ગંભીર ગણાવી હતી. છેલ્લા 10 દિવસમાં પજવણીના કારણે યુવતીની આત્મહત્યાના પ્રયાસનો આ બીજો બનાવ છે. પ્રથમ મોટા સુરકા ગામે સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી. જેમાં સગીરાનું મોત થયું હતું. હવે ઘોઘા તાલુકાના હાથબ ગામે યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ યુવતીની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ભાવનગર: સગીરાને આત્મહત્યા કરવા મજબૂર કરનારા ત્રણ આરોપીઓ 10 દિવસ બાદ ઝડપાયા

ભાવનગરમાં સગીરા આત્મહત્યા કેસમાં  10 દિવસ બાદ ત્રણ આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના સિહોર તાલુકાના મોટા સુરકા ગામમાં માથાભારે શખ્સોના ત્રાસથી કંટાળી 10 દિવસ પૂર્વે સગીરાએ આત્મહત્યા કરી હતી. સગીરાને મરવા મજબૂર કરનારા ત્રણ શખ્સની આખરે ધરપકડ કરવામાં આવી છે. વિપુલ જોટાણા, હર્ષિલ જોટાણા અને મહેશ જોટાણા નામના શખ્સો સુરકા ગામની સગીરાને શારિરીક સંબંધ બાંધવા તેમજ માનસિક ત્રાસ આપતા હતાં. છેલ્લા ચાર માસથી વધુ સમયથી માથાભારે શખ્સો યુવતીને ત્રાસ આપતા હતા જેનાથી કંટાળીને  સગીરાએ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી.

સગીરાના મોતના દસ દિવસ બાદ પણ આરોપીઓ ન પકડાતા પાટીદાર યુવકો સગીરાના પરિવારની વ્હારે આવ્યા હતા અને રેન્જ આઈજી ગૌતમ પરમારને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. રેન્જ આઈજીએ પણ મૃતકના પરિવારને ન્યાયની ખાતરી આપી પોલીસને તાત્કાલિક આરોપીની ધરપકડના આદેશ કર્યા હતાં. આખરે મોડી રાત્રે પોલીસે ત્રણેય શખ્સની ધરપકડ કરી હતી.

CRIME NEWS: આણંદમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા લગ્ન

આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે પરિણિતાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરણિતાનાં દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા. અગમ્ય કારણોસર ગળેફાંસો લગાવી મહિલાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આત્મહત્યા કરી છે કે હત્યા તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળા એકઠા થયા હતા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ

વિડિઓઝ

Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Sattvik Food Festival: અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન
Patan news: પાટણમાં માતા-પિતા માટે આંખો ઉઘાડતો કિસ્સો બન્યો
Pakistani President Zardari: ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનના રાષ્ટ્રપતિનું કબૂલનામું
Gujarat Weather Update: 1 જાન્યુઆરીથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
30 ડિસેમ્બરે ચોટીલાના ચામુંડા મંદિરમાં યાત્રાળુઓ માટે આ સમય દરમિયાન No એન્ટ્રી, જાણો ડિટેલ
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આખરે પાકિસ્તાનના ડેપ્યુટી PM એ સ્વિકાર્યું: 'ઓપરેશન સિંદૂર' દરમિયાન નૂર ખાન એરબેઝને થયું હતું મોટું નુકસાન
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Renault Duster, રિલીઝ થયું ટીજર, જાણો કેટલી હશે કિંમત ?
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
મહાકાલમાં VIP દર્શન બંધ, જાણો, દેશના 6 મોટા મંદિરોમાં નવા વર્ષમાં કેવી રીતે કરશો દર્શન
Embed widget