શોધખોળ કરો

Crime News: સુરતમાં જાહેરમાં બે યુવકોની હત્યા, એકની હાલત ગંભીર

Crime News: સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જ્યારે એક યુવાનની હાલત ગંભીર છે.

Crime News: સુરતમાં હત્યાનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ડીંડોલીમાં વધુ એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્માની અન્ય બે યુવકો દ્વારા જાહેરમાં હત્યા કરી દેવામાં આવી છે. ગત મોડી રાત્રે બે યુવકો ડીંડોલીમાં રેલવે ટ્રેકની ગલીમાં રાજા વર્મા સાથે ઝઘડો કરતા હતા. આ દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા માંડ્યા હતા. અચાનક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા માંડ્યા હતા. જીવણ અને સંદીપ નામના બંને યુવકોએ સાથે મળી રાજા વર્મા પર તીક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.

હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જીવણ અને સંદીપ રાજા વર્માને તિક્ષ્ણ હથિયાર વડે મારી રહ્યા હતા. ત્યારે રાજા વર્માનો મિત્ર સંદીપ રાય ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હુમલો કરનાર બંને યુવકોએ આ પણ રાજા વર્માનો મિત્ર છે, એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો .જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટયા હતા. સંદીપ રાયને પગના ભાગમાં નાની મોટી ઈજાઓ પહોંચતા તેનો જીવ બચી ગયો હતો .જોકે ત્યારબાદ સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેનો કઈ બાબતનો ઝઘડો છે, એની માહિતી તો ચોક્કસથી ખબર નથી પરંતુ તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આરોપી ના નામ

(૧) સંદિપ ઉર્ફે લેપટ્યા ઈંગલ લક્ષમણ આગળે  
(૨) જીવણ ઉર્ફે માંજરો લક્ષ્મણ ઉર્ફે લખા મંગાભાઈ ચૌહાણ.

નવાગામ ડીંડોલીના રેલવે ટ્રેકની ગલીમાં બનેલ ખુનીખેલમાં રાજા વર્માની હત્યા કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જેની પર હુમલો થયો હતો તે બંને યુવકોને પોલીસે તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જોકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ રાજા વર્માને મૃત જાહેર કર્યો હતો.જ્યારે અન્ય એક યુવક સંદીપની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે હુમલો કરી હત્યા કરનાર કરનાર બંને યુવકો સામે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બંને યુવકોને ડીંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Medanma Madamji । વિકાસની દોડમાં મહિલાઓ આગળ વધી રહી છે પણ શું હજુ પણ ઘરની જવાબદારી ઓછી થઇ ?Medanma Madamji । પ્રચારના મેદાનમાં ઉતર્યા દર્શનાબેન દેશમુખ, જુઓ કેવી છે કામગીરી ?Rajkot News । રાજકોટમા ગરમીને લઇ કેવી છે લોકોની હાલત ?, જુઓ અહેવાલGujarat News । રાજ્યમાં હજુ પણ ગરમી વધવાની આગાહી, જુઓ સમગ્ર વિગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ,  નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
ગુજરાત જનસંઘના એ ક્ષત્રિય નેતા જેનો મોદીએ દિલ્હીમાં કર્યો હતો ઉલ્લેખ, નેતાઓને તેમના જીવનમાંથી શું શીખવાની આપી સલાહ,જાણો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
Banaskantha: પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા,જાણો શું છે મામલો
PM Modi:  દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
PM Modi: દેશના 600થી વધુ વકીલોએ CJI ચંદ્રચુડને પત્ર લખી કહ્યું- ચોક્કસ જૂથ કરી રહ્યું છે ન્યાયપાલિકા પર હુંમલો,જાણો પીએમ શું આપી પ્રતિક્રિયા
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
ELECTIONS 2024: CM એકનાથ શિંદેની પાર્ટીમાં સામેલ થયો ગોવિંદા,આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
Arvind Kejriwal: CM કેજરીવાલને કોર્ટે ન આપી રાહત, એક એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં રહેશે
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
IPL 2024: સતત બે હાર બાદ મુંબઈ માટે આવ્યા ખરાબ સમાચાર, સૂર્યકુમાર હજુ ટીમ સાથે નહીં જોડાય
Arvind Kejriwal Arrest:  અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Arvind Kejriwal Arrest: અરવિંદ કેજરીવાલને CM પદ પરથી હટાવાની અરજી કોર્ટે ફગાવી, રાષ્ટ્રપતિ શાસનો કોર્ટ ન આપી શકે આદેશ
Embed widget